Daily Archives: September 20, 2008

એજ પ્રભુને પ્રાર્થના

બા

તમારા ગયા પછી તમારી નીકટતા વધી
હજારો માઈલની દુરી હવે તો અનંતા થઈ

મથ્યા કરું સ્મરણમાં ભુલવા તમારું મરણ
ફોટો પણ બોલકો થઈ કરાવ્યા કરે સ્મરણ

ઈચ્છિત ચુડી ચાંદલા સાથેનું મૃત્યુ વર્યા
 ને અમે સૌ તમારા વિના એકલા પડ્યા

જાણીયે અમે કે મિથ્યા આ દુન્યવી વિલાપ
છતા ના સમજાય કેમ જન્મ્યું તે જાય?

છો તમે પ્રભુને ધામ, તે તો ઉત્તમ નિવાસ
પામો પરમ શાંતિ અને પામો પરમ જ્ઞાન

એજ પ્રભુને પ્રાર્થના
એજ પ્રભુને પ્રાર્થના

 મા હયાત હોય ત્યારે મન એમને પુજતુ હોય પણ મૃત્યુ પછી તેને જોવા અને પામવા જંખતુ થાય. આ દુઃખદ પરિસ્થિતિ દરમ્યાન મળતા આશ્વાસનો ને સમાવતુ આ કાવ્ય મનને હંગામી રાહત જરુર આપે છે. છતા મન તો કહે કે મા એ શા માટે જવુ જોઈએ? અને સર્જાય છે

જાણીયે અમે કે મિથ્યા આ દુન્યવી વિલાપ
છતા ના સમજાય કેમ જન્મ્યું તે જાય?