ગામફોઇ

gamfoi.jpg

Picture courtsey: Mahendra Shah Pittsberg PA

 .

૫૫ વર્ષની કૃષ્ણવદનભાઈની પત્ની સુભદ્રા એ આપઘાત કર્યો.. કશુંક પી લીધું હતું અને બે છોકરા મા વિનાના થઈ ગયા.બે વહુઓ સાસુ વિનાની અને ત્રણ પૌત્રો અને એક પૌત્રી દાદીમા વિનાના થઈ ગયા.પોલીસને પત્રમ પુષ્પમ અને હોસ્પીટલના ખર્ચા ને અંતે કૃષ્ણવદન્ નાં બેંક ખાતામાં ૩ લાખ ઘટી ગયા પણ જેલ અને વકીલોની તકલીફ જતી રહી

નીતાને કૃષ્ણવદન ઉપર બહુ જ ગુસ્સો આવતો હતો તેથી તે બેસણામાં ના ગઈ.મનો મન સુભદ્રાના અત્માને વૈકુંઠધામ આપો પ્રભુની પ્રાર્થના કરીઆ ને સુભદ્રાની જીવન કથા મમળાવવા બેઠી.. સુભદ્રા છેલ્લા દિવસોમાં બહુ ઉદાસ રહેતી..વરંવાર કહેતી મારે તો મરી જવુ છે. નીતા તેની હતાશાને બે ત્રણ વાતો કરી હળવા કરવા મથતી. પણ સુભદ્રા તો હતી ત્યાં અને ત્યાં..તે દિવસે તે બોલી પણ ખરી હું મરી જઉં તો હું તો છુટુ અને તેમને બીજીને લાવવાનો રસ્તો મળેને?

નીતા બોલી પણ ખરી સુભદ્રા બેન એવુ ના વિચારો ૫૮ વર્ષે કંઇ તેમને બીજી કોઇ ના મળે..

કૃષ્ણવદનભાઈએ તેરમુ પત્યુ અને કોર્ટમાં લગ્ન ની અરજી દાખલ કરી ત્યારે નીતાને ગાંધારીની જેમ આંખે પાટા બાંધીને બેઠેલા ખોખલા સમાજ ઉપર ખુબ જ ગુસ્સો આવ્યો…ખુબજ ધુંધવાઈ અને તેણે પોલીસને ફોન કરીને જણાવ્યુ કે સુભદ્રાને બળજબરીથી ઝેર પાયુ છે કૃષ્ણવદન ભાઈએ..

નીતા ને ઘણા બધા લોકો એ ખખડાવી.. આ શું શરુ કર્યુ છે તેં.. અને એ કૃષ્ણવદન સાથે આપણે શું પંચાત્ પોલીસે તો ત્યાં સુધી કહ્યું વિના પુરાવાને આધારે તારી વાત હવામાં ઉડી જશે.

ત્યારે નીતા ફક્ત એટલુ બોલી મને ગાંધારીની જેમ આંખે પાટા બાંધીને બેસવુ ગમતુ નથી, મને ખબર છે કૃષ્ણવદને તેને ઝેર પાયુ છે.

કૃષ્ણવદન નાં બેંક ખાતમાંથી બીજા ચાર લાખ ઘટી ગયા.
ભીનુ સંકેલાઈ ગયુ અને
નીતાને ભાગે ખોટુ આળ આવી ગયુ..
તે તો ગામફોઇ છે.

પણ તેનો ગુસ્સો વેડફાઈ નહોંતો ગયો..
મીરાબેને કૃષ્ણવદનને લગ્નની ના પાડી રખડાવી દીધા હતા….
ગામફોઈઓ પણ ક્યારેક ગામનુ ભલુ કરી જતી હોય છે.
પૈસા હોય એટલે કંઈ બધુ ના કરી શકાય્..તે પાઠ ખોખલા સમાજને શીખવાડી ગઈ

પ્રિય સોહમ (૨૯)

 moon-venus_filtered.jpg

તારો પત્ર મળ્યો. દેવિકાબેનની કવિતા સચોટ છે અને શીખાને તે ગમી જાય તે સહજ છે.

આગળના પત્રોમાં તેં એવો ઉલ્લેખ કરેલો કે અંશ છેતરી ગયો તે વાતનુ શીખા અને આશ્કાને દુઃખ છે અને આ પત્રમાં વાત બદલાઈ..કદાચ આ એક સારી ઘટના છે.
કારણ કે “મા” જીવંત થઈ રહી છે..તને ખબર છે ને પેલી કોઈ મા નો કિસ્સો.. વૈશ્યાનાં પ્રેમ માં પાગલ દિકરો વૈશ્યાના ચઢાવાને કારણે માનુ મસ્તક વાઢીને લઈ જાય છે. અને પાછા જતા રસ્તામાં ઠોકર ખાય છે અને પેલુ કપાયેલુ માનુ મસ્તક બોલી ઉઠે છે ખમ્મા બેટા તને વાગ્યુ તો નથી ને?.. મા ગુસ્સો કરે, ગાળો દે કે રડે પણ કદી સંતાન નું તેના થકી અહીત નથી થતુ…

Continue reading →

પૂ. મોટાભાઈ (૨૯)

moon-venus_filtered.jpg 

તમારો પત્ર મળ્યો.ઘણી વખત ઘરમાં સહજ થવાના પ્રયત્નો અમે બંને જાગૃત રહીને કરીયે છે અને તમે તો જાણો છો અમેરિકામાં માંદા પડવુ પોષાય પણ્ નહીં.કદાચ આપના માનવા પ્રમાણે અમે “હતાશા” જે પણ એક માનસિક રોગ નો પ્રકાર જ કહેવાય તેનાથી પીડાઈએ છે.પણ મને આજે તમને શીખાની તકલીફો કહેવા દો.

હું માનુ છુ તેમ તેનો રોગ હતાશા નહિ પણ “મા” છે. તે ખુબ જ વાત્સલ્યમયી છે. અને તે વાત મને ત્યારે સુઝી કે જ્યારે તેના રુદનમાં ક્યારેય અંશ છેતરી ગયો નો ભાવ નથી આવતો અને એમજ વાત આવે છે કે તે ભોળો છે તેને દુનિયા છેતરી જશે.” ગરજ સરી ને વૈદ્ય વેરી”ની લપડાકો તેને પડશે Continue reading →

મોતી જો પામવા હો તો દરિયામાં ‘મરીઝ’

400px-scuba_diver.jpg 

એક નેમ છે અને એને વિસરવાનું નહીં
બીજી ભણી માથાને વિહાવાનું નહીં
મોતી જો પામવા હો તો દરિયામાં ‘મરીઝ’
ડૂબકી જ મારવાની હો, પછી તરવાનું નહીં
‘મરીઝ’

courtsey: www.tahuko.com

કેવી સુંદર વાત!

કોઈપણ લક્ષ્ય્ ઉપર પહોંચવુ હોય તો આડા અવળા વિચારોને તાબે થયા વિના એક જ ધ્યેયે એક નિશાને ચાલે તેને સિધ્ધિ મલે મળે અને મળે જ… પુરાણોમાં અર્જુનને જ્યારે ફક્ત ડાબી આંખ જ દેખાઈ તો તેનો લક્ષ્ય વેધ સફળ થયો તેજ વાત કવિ એ મરજીવાનાં રુપક થી અત્રે સિધ્ધ કરી.. મોતી પામવા હો તો ડુબકી મારવી જ પડે.. પછી સાપ કે શાર્ક આવશે તો ખાઈ જશે.. કે તળિયે પહોંચતા પહેલા શ્વાસ ખુટી જશે તો મરી જવાશે એવા ભયોથી કિનારે રહી જનાર મોતી કદી પામતા નથી..ધ્યેય સંધાન માટે “એક નેમ છે તેને વિસરવાનુ નહીં” અને તે નેમ જો મોતી પામવાની હોય “તો ડૂબકી જ મારવાની પછી તરવાનુ નહીં” કદાચ આવુ જ બીજુ સુંદર પદ ” કરતા જાળ કરોળીયો ભોંય પડી પછડાય” આપને યાદ હશે જ્…

ત્સુનામી ક્ષણ પહેલા

ત્સુનામી ક્ષણ પહેલાઆ ચિત્ર લેનાર કદાચ હયાત ન હોય
કે આ ચિત્ર કોમ્પ્યુટરની ઉપજ પણ હોય
પણ એક વસ્તુ જરૂર કહી જાય છે કે માણસ હજી.. પાંગળો છે
તે બણગા ભલે ફુંકે કે તે સર્વ શ્રેષ્ઠ છે
પણ ના હજી તેની ઉપર પણ કોઈક છે
જે જ્યારે ધારે ત્યારે તેને સીધો કરી શકે..
હરિકેન, ત્સુનામી , ધરતીકંપ, શીત પ્રપાત,વીજ પ્રપાત્,
દાવાનળ અને જ્વાળામુખી જેવી કેટલીય સત્તઓનો ધણી તે છે
જેને કદીક પ્રભુ, નસીબ કે પરમ તત્વ કહી માનવ નમે છે

Email Picture Courtsey : Vinod R Patel

રંગ, ચિત્રોનાં ને કલ્પનાનાં હીલોળે ચઢ્યા

હ્યુસ્ટનની શાંગ્રીલા આર્ટ ગેલેરીમાં ગુજરાતી સાહિત્ય સરિતાનાં ઉપક્રમે એક નવતર પ્રયોગ યોજાયો જેમાં રંગ, ચિત્રોના અને કલ્પનાનાં હીલોળે ચઢ્યા.

પહેલી માર્ચની હુંફાળી બપોરે ગુજરાતી સાહિત્ય સરિતાની 72મી બેઠક યોજાઇ જેમા નિયમીત આવતા 35 સભ્યોની હાજરીમાં નિયત સમયે એસોસીએટેડ કો ઓર્ડીનેટર શ્રી પ્રશાંત મુંશાએ શ્રી પ્રકાશ ની પ્રાર્થના થી બેઠકનો આરંભ કર્યો. કવિ ન્હાનાલાલની ‘પ્રભો અંતરયામી જીવન જીવના દીન શરણા’ ગવાયુ અને સમુહ સભા પ્રાર્થના ના નવે નવ મુક્તકોને ગાયા અને માણ્યાં. પ્રશાંતભાઇએ સભા સંચાલન દેવિકાબેન ધ્રુવને સોંપ્યું. ‘નજર’ વિષય ઉપર કાવ્યો રજુ કરવા વિશે જાણ કરી આ બેઠક માં શેરાક્ષરી -2 રજુ થઇ

.

વિવિધ કવિઓ અને લેખકો પોતાની રચના રજુ કરતી વખતે શ્રી વિનોદ પટેલ તરફથી વિનંતી થઇ કે બે કળા- ચિત્ર કળા અને કાવ્ય કળાના અદભુત સંગમને યાદગાર બનાવવા કવિ મિત્રો ને જે ચિત્ર જોતા લખવાનુ મન થાય તેવુ કાવ્ય, મુક્તક કે શેર લખે.

જેનો પ્રતિસાદ બે કલાકે દેખાયો કવિ શ્રી સુમન અજ્મેરી, રસિક મેઘાણી,હેમંત ગજરાવાલા, મનોજ મહેતા,શૈલા મુંશા,રમઝાન વિરાણી, વિજય શાહ અને અશોક પટેલે પોત પોતાની કલમ રજુ કરી.જે ચિત્રો ઉપર કવિતા લખાઇ તેના ચિત્રકારો હતા સંગીતા પસરીજા, મિશ્તા સ્માલી, અનીતા હલ્દિપુર, હોમી ડેવિયર, સોનુ આનંદ (ઇશ્વિન)અને અવન ભર્થેના.મુખ્ય હતા
શ્રી અતુલ અને આરતી વીરની આ આર્ટ ગેલેરીમાં તે સાંજે હ્યુસ્ટનનાં જનરલ કોંસ્યુલર દ્વારા કોમ્યુનીટી સ્થાનિક કલાકારોનાં ચિત્રોનું પ્રદર્શન ખુલ્લુ મુકાવાનું હતુ. જેમા 19 જેટલા ભારતિય ચિત્રકારોનાં લગભગ 100 જેટલા ચિત્રો પ્રદર્શીત થયા હતા.ચિત્રકારો કોઇ કવિને ઓળખતા નહોંતા અને તેઓ સાંજે પાંચ વાગ્યે આવવાના હતા.સંવેદન શીલ કવિમિત્રોને આ ઇજન સોનામાં સુંગંધ ભરે તેવુ તો હતુજ..અને નવો પ્રયોગ ઘણી નવી ઉર્જા લાવી ગઇ. અને લગભગ નવ ચિત્રો પર બાર જેટલા કાવ્યો તે બેઠક ના બે કલાક દરમ્યાન લખાયા.

મિશ્તા સ્માલી ચિત્ર 1, 2

 

જુની છતાં વિરાટ હવેલીના બારણા

ખુલ્લાં કદી જે પ્રેમથી ધબકી રહ્યા હતા

આજે પડેલા કેમ છે સૂના સપનની જેમ

વીટેલ વાદળો છે કાં ત્યાં અંધકારનાં

રસિક મેઘાણી –


સંગીતા પસરીજા -ચિત્ર 1

મારી હાજરી નથી તેથી તે ઉદાસ છે

ઉડીને પહોંચુ તેવી મારી આશ છે

સુરેશ બક્ષી

2.

હતાશ નજરે જોઇ રહી છું જુના મહેલો તરફ

સારું થયું નાદારી નોંધાવી સત્તા તરફ

યુવાન લાગણી અને જોબનની મિલ્કત થી.

નવી દાસ્તાન બનાવીશું નવી પેઢી થી.

હેમંત ગજરાવાલા

અવન ભર્થેના ચિત્ર 2

 

 

નાજુક બે આ ગરદનો ને કેવો છે આ ભાર

થાય ગમે તે હવે ઉગારી લેવો છે આ ભાર

મનોજ મહેતા

સંગીતા પસરીજા ચિત્ર 4

 

ઓત પ્રોત છે એકબીજામાં લાલ ને કાળો રંગ

વાંસડાની ફર્સ જો વેઠે એમને ખુદને અંગ

મનોજ મહેતા

અવન ભર્થેના ચિત્ર 1

સીંદુરી કુમ કુમ સેંથીમાં રાજ
મને મિલન નો ઉલ્લાસ પ્રગાઢ
સખે કરુ સૌ આજ નર્તન આજ
સજન તુ આવ આવ ને આવ
વિજય શાહ

હોમી ડેવીયર ચિત્ર

ઇચ્છાઓનાં અશ્વો જુઓ કેવા હણહણે

નથી પુરી થતી બધી છતા તે હણ હણે

કવચીત એકાદ થાયે પુરી

હજારો નવી થઈ ઉભી હણ હણે

અશોક પટેલ્

સંગીતા પસરીજા ચિત્ર 4 અનીતા હલ્દીપુર ચિત્ર 1

સજી સોળ શૃંગાર સખીરી, બેઠી રમણ કાજે

ખુલ્લી આંખે ભાળું કેવાં,સપના નેણ સજાવે

ભર્યું ભર્યું મલપતુ હૈયું, કોના ખ્યાલે મદમાતું

પુલક પુલક આ મુખડે મીઠી, યાદ સરે ઝલકાતી

સખીરી હું તો ઘેલી ઘેલી થાતી

પ્રો સુમન અજ્મેરી

સોનુ આનંદ (ઈશ્વીન)ચિત્ર ૪

દુઃખો આ નારીએ વેઠ્યા ઘણા છે કારમા
વ્યાકુળ નયનો,ચિંતીત મુદ્રા,કોના ઇતજારમાં
રમઝાન વિરાણી

અનીતા હલ્દિપુર ચિત્ર 2

વાસંતી વાયરાએ કર્યુ અડપલુને

ખીલ્યો ગુલમ્હોર મારે અંગ

ખીલ્યો તે ચંપો ને ખીલ્યો કેસુડો

ને છંટાયો રંગ કસુંબલ મારે અંગ

શૈલા મુંશા

હોમી ડેવિયર ચિત્ર-2

પર્વતોને છાંયડે વસ્યું ગામડું

કેવું ગમ્યું

પ્રતિતિ કરાવે પળ માટે

કે વસ્યા એવા કેટલાય ગામ

ગામે -ગામ

દેશભરમાંને ખાસ

આપણા ગરવા ગુજરાતમાં

રમઝાન વિરાણી

ચિત્રકારો અને કવિની રુબરુ મુલાકાત દરમ્યાન લાગણી ઓ જે હિલોળે ચઢી તેનુ વર્ણન કરવુ હોય તો આ રીતે કરી શકાય કે બે કલાબહેનો પ્રેમથી એકમેકને ભેટી. ચિત્રકારને થયું કે તેમની કલાને દેહ મળ્યો અને કવિને તેમની કલ્પના વાસ્તવમાં કેનવાસ ઉપર ઉભરી…

ચિત્રકારોમાં મહદ અંશે વિનોદ પટેલ અને હોમી ડેવીયર સિવાય ભાગ્યે જ કોઇ ગુજરાતી હતા પણ છતા દરેક ચિત્રકારોને તેમના ચિત્ર ઉપરથી લખાયેલ કાવ્ય સમજવાની અને માણવાની ઇંતેજારી ને જો ઉપમા આપવી હોય તો કંઇક આવી અપાય..તાજી પ્રસુતા જેમ પોતાના સંતાનને પહેલી વખત જુએ અને હરખે તેમ હતુ..જ્યારે કવિ પણ તેમના કાવ્યને સંભળાવતા અને ભાવનુવાદ કરતા હરખાતા હતા જાણે કે તેમને પણ્ કોઇ નવી સિધ્ધિ ના મળી હોય.
ગુજરાત ટાઈમ્સે લીધેલી આ પ્રસંગની નોંધ અહી જુઓ

 

 

 

પ્રિય સોહમ (૨૮)

moon-venus_filtered.jpg

તુ સમજુ છે અને તેથી જે વાત હુ તને સમજાવવા માંગતો હતો તે દિલીપ દોશીની કહાણીથી તુ સમજી ગયો. હાલત ગમે તેવી ખરાબ હોય માણસે ઝઝુમીને મથ્યા કરવુ પડતુ હોય છે અને તે ઝઝુમવાની વાત ઉપર તને બાળપણ ની કવિતા પડતા જાળ કરોળિયો ભોંય પડી પછડાય યાદ હશેજ..એક વખત બે વખત ત્રણ વખ કંળ કેટલીયે વાર પડ્યા પછી દરેક પ્રયત્ને તેણે શોધી નાખ્યુ કે ઉપર ચઢવા જતા ભીંત ક્યાં ખરબચડી છે અને ક્યાં સુંવાળી.. સાંજ સુધીમાં તો કરોળિયો ભીંત ની ટોચે બેઠો હતો. Tough time comes and go but tough people always stay તે તો તને ખબર છે ને? Continue reading →

જ્યારે તારા નયનથી નયન ટકરાય છે-ભરત દેસાઈ ‘સ્પંદન્’

jyaare1.jpg 

જ્યારે તારા નયનથી નયન ટ્કરાય છે
શાંત પડેલી લાગણીઓ ઉભરાય છે
                                જ્યારે તારા

લેણ દેણ નથી શબ્દોની આપલે પરંતુ
ઓળખ વર્ષોની હોય તેમ વર્તાય છે
 વર્કાં ચુકા પથરીલા એ પહાડ પર્
એક પગદંડી લીલીછમ દેખાય છે
                            જ્યારે તારા

રાત જાગ્યા સપના સઘળાયે મારા
મહેલ મીનારા તાજ્ ખુલ્લી આંખે ચણાય છે
 આમ મોટેથી સાદ દઈશ ના તું મને
ખાલી મારા ઘરમાં એ પડઘાય છે
                             જ્યારે તારા

સાવ નગ્ન સત્ય હકીકત “સ્પદંન”
ગઝલો આવી રીતે જ લખાય છે

નજરો જેની

vijay-renu.jpg

પેલી સારસ બેલડી મલકે સંગ સંગ
કેવુ સુખી જોડુ આ હેતલ નજરો જેની

ભવોથી સાથે ફરતી ગાંધર્વ જોડી આ
ના લગાવો નજર ઓ જમાના વાલો

સુખી દંપતિ જીવન જીવે ત્રણ દસકાથી
હેત પ્રીત અને સતત નેહ નજરો જેની

નજરો જ જેની કહી દે પ્રેમ અમર તેનો
સુખ દુઃખે પણ રહી હસતી નજરો જેની

પૂ. મોટાભાઈ (૨૮)

moon-venus_filtered.jpg 

પૂ. મોટાભાઈ (૨૮)

તમારો પત્ર મળ્યો. અક્ષરે અક્ષર સત્ય અને અનુભવ ભરેલ વાણી છે.

ઘણા લાંબા સમય પછી આજે મંદિરે ગયા હતા અને આજે એવુ ભયાનક દુઃખ જોયુ . દિલીપ દોશીનું કુટુંબ ખુબ ધાર્મિક અને સફળ વેપારી. દસેક વર્ષ પહેલા તેમની બંને કીડની ખલાસ થઈ ગઈ.સમાજમાં નામ મોટું તેથી પહોંચ ઉંચી તેથી જીવન બચ્યુ પણ કીડની ડાયાલીસીસ નુ દર્દ વેઠતા રહ્યા.પત્નીને સમજાવી તેમના ધંધા ઉપર બેસાડી.વીલ કર્યુ ભાગીદારી છુટી કરી અને હવે જિંદગી ઓછી છે કરીને ધર્મ માર્ગે ચઢ્યા Continue reading →

વિચાર વિસ્તાર

છે હરણની ફાળ જેવા ઓરતા
ને ચરણમાં કાચબો પાળ્યો તમે
                  કરસનદાસ લુહાર

માણસની મોટામાં મોટી મજબુરીને કવિએ કેવા સરસ શબ્દોમાં મુક્યુ છે.મનનાં ઓરતા તો ગગન આંબવાનાં છે.. કોઈકને કરોડપતિ બનવું છે.કોઈકને અપ્સરા સમી નાર જોઈએ છે તો કોઈક્ને દેવરૂપ જીવન સાથી.આપેક્ષાઓનો તો અંત નથી અને તે અપેક્ષાનાં અશ્વોને મન બેફામ રીતે દોડાવે તેમ કાયમ બને પરંતુ તે સ્વપ્ના દરેક્ના સાચા નથી પડતા કારણ્ કે એ મનોરથોને પામવાનાં સાધનો ટુંકા છે પગે કાચબો બાંધ્યો છે..પરિણામે અપેક્ષાઓ તુટતા દુઃખનો અહેસાસ થતો હોય છે.
  
જે હ્રદયને સાંભળે છે તે પગે કાચબો બાંધ્યો છે તે સત્યને ભુલતો નથી અને તેથી કદાચ આ વણ જોઈતા જાતે ઉભા કરેલા દુઃખથી બચી જાય છે. મારી મોટર કાર ભલેને ૧૨૦ માઈલની ઝડપે ચલાવી શકાય પણ ગતિમર્યાદા ૪૫ માઈલ હોયતો ૯૦ માઈલનું અંતર એક કલાકમાં ન જ કપાય્… હવામાં ભલે ઊડો તમે પણ પગ જો હશે ધરતી પર તો પછડાટનો માર નહીં લાગે

પ્રિય સોહમ (૨૭)

moon-venus_filtered.jpg

તારી વાતો હંગામી ધોરણે તને ભલે સાચી લાગે પાણ વાસ્તવિકતા તો એજ છે કે દેશ તેવો વેશ કરવામાં તે સાચો છે. જો રોજ નાં સંઘર્ષો વેઠીને પણ અંતે ત્યાં નાં જેવુ થવાનુ જ હોય તો સંઘર્ષો વેઠ્યા વિના કેમ ત્યાંનું અનુકુલન કેમ ન લેવું? ભારતનાં મુલ્યો ભારત માટે સાચા છે તે અમેરિકામાં સાચા હોઇ પણ શકે અને ન પણ હોઇ શકે..!

હું હરદમ એવુ માનતો આવ્યો છું કે એક પરિસ્થિતિમાં હું સાચો હોઉ તે પરિસ્થિતિ દરેક માટે તે ક્ષણે સાચી ન પણ હોઇ શકે તેનાથી તે ખોટો છે તેવુ સિધ્ધ નથી થતુ. અનેકાંતવાદનાં આ સિધ્ધાંતનુ જ્યારે અમલિકરણ હુ તારી વાતો સાથે કરુ છુ ત્યારે મને તો વારં વાર એવો અહેસાસ થયા કરે છે કે વાંક જો હોય તો એકલી વિધાતા બની ગયેલી મનોવૃત્તિનો છે. તમે બધ્ધા કહો છો Continue reading →

પૂ મોટાભાઈ(૨૭)

moon-venus_filtered.jpg
તમે કહેલુ સત્ય મને તો શીરાની જેમ ગળે ઉતરી જાય પણ આ પંડ એકલો ક્યાં છે? શીખા અને આશ્કાને આ સત્ય હું જેવો સમજાવા બેસુ એટલે તેમનો છેતરાયા નો ચચરાટ જ્વાળા મુખીની જેમ ભડકે…કેમ? કેવી રીતે આવુ ચાલે અને એ આગને ઠારવા છેલ્લે આવીને ઉભી રહે આંસુઓની ફોજ… જે મને કદી ન ગમે.
મારી હાલત તો એવી કે મને જ જાણે મારુ બીજુ અંગ ઠપકારે…સાવ જ બિન વહેવારીક છે તુ. આવા છોકરાની પાછળ લોહી તે બળાતુ હશે જે તમને મોઢા પર કહે
“તમને મે ક્યાં બોલાવ્ય છે તે આમ વિના અમંત્રણે ચાલ્યા આવો છો?”
શીખા તો રડતા રડતા બોલે કે હું તો એના ભલા માટે ના કહેતી હતી અને તેની ચિંતા થી રડ્યા કરતી હતી. એ ફસાયો છે તે ભોળો છે.અમેરિકન થવામાં તે અમેરિકન પણ નથી અને ભારતિય પણ નથી તેથી તો મને છોડીને જતો રહ્યો…આશ્કા પણ બોલે કે મારે અને એને શું વહેંચવાનુ છે? પણ મારો પણ ફોન ઉપાડતો નથી.. મને પણ હડધૂત કરે છે.
હું મને મારા મનમાં થતા દર્દને સહન કરું કે તે બંને ને શાંત કરુ તે સમજાતુ નહીં. Continue reading →

પ્રિય સોહમ (26)

moon-venus_filtered.jpg

તારો પત્ર મળ્યો.
 
મને નવાઈ લાગે છે કે અંશનાં લગ્નને સવા વરસ વીતી ગયા પછ અરે તેને ત્યાં દિકરો આવી ગયા પછી તને તેનુ આલ્બમ જોવા મળે છે? અને તે પણ અચાનક અને તેને તુ દુઃખનુ કારણ માની દુઃખી થાય છે?  આ બતાવે છે કે હજી તુ કર્તૃત્વ ભાવથી મુક્ત નથી થયો…હજી તને ઉંડે ઉંડે એવી આશા છે કે દહીંનુ ક્યારેક દુધ થશે?તે તો તેના જીવનમાં તને તારા હાલ ઉપર છોડીને જતો રહ્યો..હવે જે થનાર છે તે અંગે વિચારી વિચારી દુઃખી થવાને બદલે થોડોક ભરોંસો ભગવાન ઉપર મુક અને ખાલી પ્રાર્થના કર કે તેનુ પણ ભલુ થાય અને તારી જિંદગીમાં તારે જે કરવાનુ હોય તે કર્.
હમણા ક્યાંક વાંચેલુ તને લખવાનુ મન થાય છે Continue reading →

પૂ મોટાભાઇ(26)

moon-venus_filtered.jpg

પૂ મોટાભાઇ,

તમારી વાત સાચી હોવા છતા મનમાં એવુ ક્યારેય થતુ નથી કે અહીં રહીને મારે તમારુ ઘડપણ બગાડવુ જોઇએ.મારી મારા સંતાનો તરફ કોઇ ફરજ છે તો તમારી તરફ પણ મારી ફરજ છે. ડોલરનો નશો તો કદી ઉતરે તેવો નથી અને માણસને સાચા ખોટાનુ ભાન ભુલાવી દે તેટલો નશો પણ શુ કામ કરવો જોઇએ?

હા આશ્કા તેના સાસરે સુખી છે અજય મોટો થઇ રહ્યો છે જ્યારે અંશ તેના જીવનમાં સુખી છે.ત્યારે મને અહીં હું મારો સમય વેડફી રહ્યો હોઉ તેવુ લાગે છે. Continue reading →

પ્રિય સોહમ(25)

મને તુ આવે છે તે ગમે છે પણ આવ રીતે અર્ધા યુધ્ધમાં હથિયાર નાખી દઈને આવે તે ગમતુ નથી. સમયે મને એ શિખવ્યુ છે કે કઠીન સમય તો આવે અને જાય પણ સાચો માણસ બંને પરિસ્થિતિમાં ખરો ઉતરતો હોય છે અને તે ખરો ઉતરવા ખુબ જ ધીરજ જોઈએ છે. જાગૃતિ જોઈએ છે. અમેરિકન થવાના અંશનાં પ્રયત્નો તેની અમેરિકામાં સ્થિર થવાની એક પધ્ધતિ હોય અને તુ ભારતિયપણાને તારી જીવન પધ્ધતી માનતો હોય તો બન્ને અશ્વો તદ્દન વિરુધ્ધ દિશામાં જઈ રહ્યા છે.
તને તો અંબુકાકા ૮૩માં ત્યાં આવ્યા અને ૮૩ થી આજ દિન સુધી રહ્યા તેમની જીવન પધ્ધતિ જો અને સમજ. એમ્ણે એમના ભારતિયપણાને છોડ્યા વગર સંઘર્ષ રહિત જીવનનાં ૨૫ વર્ષ કેવી રીતે કાઢ્યા તે જરા જો. તેમના જીવનમાં વહુઓ દિકરી બનીને આવી હતી અને તેમનુ દરેક વર્તન સંહિષ્ણુ બનીને કાઢ્યુ.. જતિન કહે તેટલુ જ કરવાનુ અને ઘરમાં બને તેટલુ સંપથી રહેવાનુ. હર્ષલ મને પણ તે રીતે અમેરિકામાં રહેવાનુ કહેતો હતો પણ મને તે ન સદ્યુ અને હું અહી વેરાયેલા કુટુંબ સાથે છીન્ન ભીન્ન છું.જ્યારે તેઓ આટલુ સહન કર્યા પછી છ દિકરા અને તેમની ચોથી પેઢી સાથે ૩૭ માણસોનાં કુટુંબમાં આદર અને માનથી જીંદગી જીવે છેને?
પ્રશ્ન એ છે કે તમને મળેલી જુદી જુદી પરિસ્થિતિમાં તમે જે નિર્ણય લો તે પ્રમાણે પરિણામ મળે છે.
મને ડર છે કે તુ પણ મારી જેમ જ છીન્ન ભીન્ન થઈને રહેવાના રસ્તે જઈ રહ્યો છું. મારો દિકરો છુ તેથી કહુ છુ મારો નિર્ણય આજે ૨૫ વર્ષે મને સાચો નથી લાગતો તુ જરા વિચારજે અને પછી ધીરજ પુર્વક તારા અંતરનાં અવાજને અનુસરજે.
બહુ વિચારતા મને એવુ લાગે છે કે અમારા અહી હોવા સુધીજ તને અહી રહેવુ ગમશે.. અમે નહી હોઈએ ત્યારે તારુ મન પાછુ ખેંચાવાનું જ. આશ્કા અને અંશ બંનેના સંસારમાં તારા પૌત્ર અને પૌત્રીઓ હશેજ્..
દરેક દુઃખ અને સુખ તેમનો નિર્ધારીત સમય લઈને આવે છે.. જે જતો પણ રહેતો હોય છે.
દરેક ઘન્ઘોર કાળી રાતની પાછળ સુર્ય પણ ઉગતો જ હોય છે. મને ઘણુ વિચાર્યા પછી એવુ જ લાગે છે કે તુ આવ પણ અહી સ્થિરતા તને મળશે કે નહી તે જાણ્યા વિના ભમ ભુસ્કા ન કરીશ. ફરીથી કહુ તો અમે તો પીળુ પાન.. અમારે માટે એવુ કંઈ ન કરીશ કે તારા પાછલા વર્ષો અમારી જેમ અફસોસ કરીને તુ ના જીવે.
તારી બાને પણ્ તારી આવીજ કંઈક ચિંતા કોરે છે…

વેલેન્ટાઈન ડે

valentine.jpg

વેલેન્ટાઈન ડે એટલે “હની” એકલી?
તમે જેન ચાહો તે બધા વેલેન્ટાઈન
જે તમને ચાહે તે બધા પણ વેલેન્ટાઈન
વેલેન્ટાઈન એટલે પ્રેમ પુનઃનવીનીકરણ

જે વરસે એક વાર કેમ્?
કેમ નહીં તે અહર્નિશ ?

માણસાઈની હેલી!- ડો. દિનેશ ઓ શાહ

mansai-ni-heli.jpg 

એક હતા માજી બહ શાણા સમજુ અને સન્નારી
બીજી હતી ભલી અને ભોળી યુવાન એક દુધવાળી
ગજરી એનુ નામ હતુ એ લાગતી ખૂબ રૂપાળી
માજીને ગજરી હૈયું ખોલી કરતા વાત નિરાળી

શિયાળાની ઠંડી પડતી સૌની કાયા કંપાવી
કુદરત તેનુ જોર બતાવેસૌને ખુબ હંફાવી
માજીને ઉષ્મા આપે ગજરી માલીસનુ તેલ લગાવી
ગજરી વિના માજીનુ જીવન બળદ વીનાની ગાડી

માજી આપે રૂપિયો ગજરીને, લીધા વીના ગઈ દોડી
માડી તારી ચાકરીના રૂપિયા મારે હરામની મૂડી
માજી કહે હું મરુ ત્યારે તો  તુ  આવજે સ્મશાને દોડી
આપીશ તને ચિતાની ઉષ્મા હવે એજ રહી છે મૂડી

મોજ શોખ ને પૈસા પાછળ આ દુનિયા થાતી ઘેલી
“દિનેશ” હૈયુ પલળે આજે જોઈ માણસાઈની હેલી
                                 
                                 દિનેશ ઓ શાહ
                                નડીયાદ, ગુજરાત
                                ૧૦, ફેબ્રુઆરી ૨૦૦૮

.
“પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ” વાળા કળીયુગમાં સાવ ગરીબ, નિઃસહાય અને સાધનહીન મૃત્યુની નજીક પહોંચેલી વૃધ્ધાની માવજત કરતી દુધવાળીની એક ઘટના અને સ્વાર્થ વિનાનાં માણસાઈના સબંધો જે સમજ થકી કેટલા ઉંચે જઈ શકે તેની સાવ સીધી વાત “માડી તારી ચાકરીના રૂપિયા મારે હરામની મૂડી” કહીને દર્શાવે છે

દેશમાં રહી દેશનું ઋણ ફેડવા માનદ પ્રધ્યાપક તરીકે કાર્ય કરતા સીત્તેર વર્ષની ઉમરે દેશ અને વિદેશ બંનેમાં  છ મહિના રહેતા અને સરળ જીવન જીવતા ડો.દિનેશ ભાઈ ઘણાનાં જીવનમાં માર્ગદર્શક બન્યા છે.
 
 

રૂપિયે કિલો-હેમંત પુણેકર

રૂપિયે કિલો

હું પણ હોત એક અબજોપતિ
જો વેચાઈ જાત
આ સ્વપ્નોનો ભંગાર
રૂપિયે કિલો

-હેમંત પુણેકર

http://hemkavyo.wordpress.com/2007/05/20/rupiye_kilo/ 

કવિની નજર ક્યાંથી ક્યાં પહોંચે છે?
ક્ષણ ભંગુર સ્વપ્નાઓનો વેપાર કરી અબજો પતિ બનવુ છે.
અને અબજો પતિઓ કોઇક નવુ સ્વપ્નુ શોધવા ‘બ્રૈન સ્ટોર્મીંગ સેશન’ કરી અબજો પતિ માંથી કરોડ પતિ બનતા હોય છે.
આ અબજો પતિમાંથી કરોડપતિ બનવાની ચાવી શું છે તે ખબર છે?
અમેરીકાનાં મનો વૈજ્ઞાનિકો કહે છે મનમાં શાંતિ આવે ત્યારે જે સુખ આવે છે તે કરોડો કે અબજોમાં નથી.
આવો શાંતિનો નોબલ પ્રાઈઝ જીતી શકાય તેવો ઉપાય શબ્દ ‘દાદા’ તરીકે આપણા ભૂતપુર્વ પ્રમુખ શ્રી અબ્દુલ કલામ આઝાદે આપ્યો હતો..દા એટલે આપવુ.
તારી પાસે જે  હોય તે તુ આપ અને વારંવાર આપ તો ત્યાગ લાવશે ખુશી.. જે લાવ લાવ કરતા લેનારા લોકોને ભાવ લાવે અને આપનારનો ભાર ઘટાડે..
જેનો ભાર ઘટ્યો તેનુ ઉર્ધ્વગમન નિશ્ચીંત થઈ જાય.
આપણને ખબર છે સ્વર્ગ ઉપર છે.

અમ વીતી, તુજ વીતશેની વાત

images.jpg 

કહે છે આજે તેને તમે યાદ નથી રહ્યાં
કારણ હવે નવી દુનીયા એની પાસે રહી
ગૈ કાલે તુ પણ તારીદુનિયામાં હતોને?
તેની જેમ જ…
ત્યારે યાદ આવતા હતા તને તારા માબાપ?
ત્યારે જે તેં કર્યુ તે આજે તે કરે
તે અફસોસ નકામો
કરેલી ભુલ ભુંસાય તેવો કાયદો ન હોય
ત્યાં ભુલ ભુલકાં અને
ભુલે માબાપ તે વાતો સાવ સહજ લે
કહેતા હતાને મા બાપ..
ઉપર ન્યાય છે..
સાચો સમય આવે ત્યારે જ સમજાયે
અમ વીતી, તુજ વીતશેની વાત…

વહેવાર અને લાગણી

મિત્ર તમે ગજબનાં તેની તો વાત કરું
સમજ્યા અમે ઉંધુ તેથી પ્રત્યાઘાત કરું

લાગણી તમે દુભવી તે તમને વાત્ કરું
તમારા માટે નથી કો’ દુર્ભાવ  તે વાત કરું

કાં અપેક્ષા અમારી વધુ તમને વાત કરું
કે પછી સમજ્યા વિના વાત આદાન્ કરું

તીર તો નીકળી ગયુ કમાન થી શું વાત કરું
લાવે રુદનો ઘણા  હવે કહો ઇલાજ શું કરું?

મિત્ર છો માફી માંગીને ફક્ત એ યાદ કરું
વહેવાર અને લાગણી જુદા છે  એ જાણ કરું

વંશજ

jack-at-18-hours1.jpg

આશિર્વાદો ઝરણા સમ્ સૌ સ્ફુટતા રહે, તુ છે વંશજ
ભરજે આનંદ અગણીત સૌ નાં મને, તુ છે વંશજ

અભિનંદન માબાપને જય જય કાર, તુ છે વંશજ
ન પીડાઓ આધી વ્યાધી કે સમય દે, તુ છે વંશજ

લોહીની સગાઈ, ધર્મની દુહાઈ તને, તુ છે વંશજ
આગમનથી તારા આનંદ ઝાઝો અમને, તુ છે વંશજ

રુપ અમેરિકન્ ભલે તેં તો ધર્યુ છતા, તુ છે વંશજ
નામ તારા સાથે ચાલે વંશનો વેલો, તુ છે વંશજ
 

સખી

sakhi.jpg

સંતાડ્યા કરે છે મને મારી બેચેની સખી
સંતાપ્યા કરે છે મને તારી બેચેની સખી

હાસ્ય સાથે અશ્રુ પણ લાવે જીવન સખી
સમજ જરા તે કદી આવે ન એકલા સખી

ક્યારેક હસે પણ વધુ તો ફરિયાદો કરે સખી
આમ થયુ તેમ કેમ થયુ ક્ષતિશોધ કાં સખી?

શાંતિ થી જો સુખ તો વસ્યુ છે મનમાં સખી
સુખનો ઉપાય પણ વસ્યો તુજ મનમાં સખી

હ્રદય દુ:ખ્યાની વાત

broken-heart.jpg

જિંદગીની શુન્યતાઓને ખુબ ભરી લીધી
પ્યાસી નજરોમાં એક તરસ ભરી લીધી

જાય  દિવસો હતાશ, ઉદાસી ઘેરી વળી
તુ આવશે  નહી તે ઉદાસીને ભરી લીધી

સમય જ્યારે  આવશે તને સાથે લાવશે
તે વાતને હવે દુઃસ્વપ્ન સમ ધારી લીધી

એકલતા ક્ષણ ક્ષણ બનીને મને રિક્ત કરે
ત્યાં કરવી કોઈ આશ  મુર્ખતા ધારી લીધી

સમજ ને ફરજની વાત જ્યાં સૌની પોતાની
ત્યાં સંસ્કારબીજ ફોરશે તે વાત અંધારી દીધી

છું એક વ્યથાનુ પુષ્પ,  સુગંધ ક્યાંથી હોય?
હ્રદય દુ:ખ્યાની વાત તેથી કાવ્યે  ધારી લીધી

ફરજ અને હક્કોની વાત દરેક માણસ પોત પોતાની રીતે જોતો હોય છે. દરેકને પોતાના હક્કો યાદ રહે છે પણ તે હક્કો ફરજો બજાવ્યા પછી આવે છે તે સમીકરણ યાદ નથી રહેતુ અને તે કારણે ધીમે ધીમે તે એકલતા તરફ ધકેલાતો જાય છે. હ્રદય દુખ્યાની વાત તેથી તો કહેવાની માંડી વાળી..

વિચાર વિસ્તાર

મારી ન્યૂનતા ના નડી તને
તારી પૂર્ણતા ગૈ અડી મને

-ઉમાશંકર જોષી

 પ્રભુ અને માનવ વચ્ચેની આ વાત સ્વયં સંપુર્ણ છે.માનવ કહે છે મારામાં અપૂર્ણતા ઘણી છે અને તે વારંવાર હું મદ અને પ્રમાદ કરીને વ્યક્ત કરતો જ હોઉં છુંપણ હે પરમ પિતા તમે ક્યારેય એ ઉછાંછળાપણાને ધ્યાનમાં નથી લીધું.

પણ હે પ્રભુ તમારુ સંપૂર્ણપણુ મને કાયમ જ જોઈતુ હોય છે. લાયકાત હોય કે ના હોયતમારું સંતાન હોવાનાં નાતે કે સર્વોપરી પોતાની જાતને માનવા માટે તમારી પુર્ણતાની જલન જરુર મને થાય છે.

મારા વગર પણ…..ભરત દેસાઈ “સ્પંદન”

બધુ જ રાબેતા મુજબ નુ લાગશે મારા વગર પણ
બે  ઘડી ની  ખૉટ નક્કી સાલશે મારા વગર પણ

રાખજે સચવાય  તો તુ સાચવીને યાદ મારી
 અર્થ એ ભીંનાશ નો સમજાવશે મારા વગર પણ

એ  જ યારો એ  જ  મૅ’ફિલ જામ સાકી ને સુરાહી
એ મદીરા પણ  જવાબો માગશે મારા વગર પણ

ક્યાંય પણ જો લાગણીનો ના મળે પર્યાય તમને
તો ગઝલ મારી દિલાસો આપશે મારા વગર પણ

દુર  દિલ થી ક્યાં કદી “સ્પંદન”તમારા થી ગયો છે
હાજરી મારી તમોને લાગશે મારા વગર પણ

– ભરત દેસાઈ “સ્પંદન”

શિકાગો સ્થિત હજી છ મહિના જુના ભરત દેસાઈ “સ્પંદન્” તેમની ચાલીસીમાં બે બાળકો અને પત્ની સાથે અમેરિકા આવ્યા છે.

બાળકોનું સુંદર ભાવી કે આર્થિક સમૃધ્ધિનું અમેરિકન શમણુ તેમનુ પુરુ થશે તેવા શ્રધ્ધાવાન આ કવિ સાથે ફોન ઉપર વાતો કરતા લાગ્યુ તેમનામાં તેમનુ પોતાનુ કહી શકાય તેવુ ઘણું બધુ છે. સારા ગાયક શ્રેષ્ઠ કવિ અને શાયર ઉપરાંત સ્ટેજ ઉપર જકડી રાખી શકે તેવી રજુઆત અને સ્ટેજ કલાકાર છે. અમેરિકન થવાની તેમની પ્રક્રીયા સહજ છે પણ પ્રસ્તુત કાવ્ય જે વતન વડોદરા છોડતા મિત્રોને અલવિદા કહેતા જ્યારે રચાયુ હશે ત્યારની તેમની વતન ઝુરાપાની શ્રેષ્ઠ ક્ષણો હશે તેમા કોઇ બે મત નથી.
  સંવેદનશીલ કવિનો મને આ શેર ખુબ જ ગમ્યો

દુર દિલ થી ક્યાં કદી “સ્પંદન”તમારા થી ગયો છે
હાજરી મારી તમોને લાગશે મારા વગર પણ

ભરતભાઈ અમેરિકા તમને તમારુ નવરંગી સ્વપ્ન સત્ય કરી ધાર્યુ સુખ આપે તેવી પ્રભુને પ્રાર્થના

તેમનો સંપર્ક ૧-૮૪૭-૮૨૪-૧૪૨૮

લાગણી ભીની જાત

zakal.jpg

સુખ તો સખી ઝાકળની ભીની જાત
ઝાકળનું સખી જીવન હોયે ક્ષણો સાત

આજનું તોફાન, ભારે ભારે પ્રપાત
લાગણી ઝંઝે ચઢે, હ્રદયને પક્ષાઘાત

તારુ હાસ્ય કે આંસુ જગાડે આખી રાત
ગમે તે હોય કારણ,રહેવુ ગમે મને અજ્ઞાત

ઝાકળ આપે ભીનાશ,ક્ષણમાં જ ખલાસ
જીવન મારું બને લાગણી ભીની જાત

વિચાર વિસ્તાર

આંગળીથી સ્પર્શ સૌ છેટા પડે,
રક્ત જ્યારે અર્થના વેઢા ગણે.

વિવેક મનહર ટેલર

ડો વિવેક ૧૯૯૫નાં કોઇક કઠીન તબક્કામાં સાવ સીધા શબ્દોમાં અર્થ અને રક્તનાં તાણા વાણાની વાત કહી ગયા.. .પૈસા આપીને સગાનું સગપણ ખોયુ, કદાચ તે પહેલો અને સ્થુળ અર્થ પહેલી નજરે દેખાય પણ કોઇકે સાચુ જ કહ્યુ છે.

“શુન્ય વધ્યા અને વધ્યા અંતરાળ..”

જુઓ કરોડપતિઓને તેઓને ત્યાં જેમ પૈસા વધે તેમ તાળા વધે.. આ તાળા શાનુ પ્રતિક છે? અવિશ્વાસનું કે સુરક્ષાનુ?
 જો સામાન્ય જનસમાજ કરતા ઓછો પૈસો હોય તો પણ દુઃખ અને વધાર પૈસો હોય તો પણ દુઃખ્..જેમ પૈસો વધે તેમ તેને ખોવાનો ભય પણ વધે અને તેથી જ તો સુખી માણસની વ્યાખ્યા કોઇકને પુછી તો કહ્યું

“સુખી તે જ જેની પાસે કોઇ ચાવી ન હોય્..”

પરંતુ વેદના ત્યારે વધુ થાય જ્યારે રક્તનો સંબંધ લક્ષ્મી પાસે પાતળો પડે.. અને તે અર્થ સાચા સ્વરુપે વ્યાજ અને વટાવના વેઢા ગણે. છુટા છેડા તેનુ વિકૃત સ્વરુપ્ અર્થના કારણે પકડે કે ઓછી નાણાકીય સંપતિ ને કારણે વૃધ્ધ મા બાપ છોકરાને ત્યાંથી ઘરડા ઘરે ઠેલાય કે ભાઈ ભાઈથી કૌટુંબીક હક્કો ઓળવાય કે દિકરી સાસરેથી પાછી હડસેલાય….

બહુ દુઃખ સાથે કહેવુ પડે છે કે

લોહીનાં સબંધો ફક્ત આપત્તિના સમયે જ ઉછાળો મારે
પણ અર્થનાં સબંધો કાયમ એક યા બીજા પ્રકારે ઉછળે