માન કે મનાવ.. April 12, 2008
Posted by vijayshah in : તમે અને મારું મન , add a comment
એક દિવસ જરૂર મળે છે સૌને
તેમનુ ધારેલુ સુખ.
તેદિવસ આવ્યો નથી તો આશવંત બન
તે દિવસ આવી ગયો તો આનંદીત રહે
તે દિવસ આજે છે તો તે માણતો જા
પ્રભુની આજ તો કૃપા છે
દરેક ઉગતા દિવસે કંઇક આપે છે
કદીક સુખ તો કદીક આનંદ
કદીક તડપન તો કદીક ખાલીપો
કદીક આશા તો કદીક આંસુઓ
કદીક જન્મ તો કદીક મરણ
મૃત્યુ ન આવે ત્યાં સુધી જિવવુ તે
કદીક સજા તો કદીક મજા
જે પણ મળે છે તે પ્રસાદી પ્રભુની
માન કે મનાવ..


Powered By