વિજયનું ચિંતન જગત

|

વેબ ઉપર ફરતા અને લખતા ગમેલા ગુજરાતી સાહિત્યની રોજનીશી

વહી જાયે ઉતાર બધા

March 11th, 2010

જિંદગીની રાહ પર છે ઉતાર ચઢાવ ઘણા
માનો તો દરેક ઉતાર પર ચઢાવ છે ઘણા
દરેક ચઢાવો લાવે મનભાવન સુખો ઘણા
જે માણતા માણતા વહી જાયે ઉતાર બધા.

સજન

February 4th, 2010

જા ને લુચ્ચા સજન love you
જા ને લાગણીઓથી તરબતર સજન

એક આંખે રડાવે Love you
પ્રાણથી અધિક વહાલોથી ભરેલ સજન

બીજી આંખે હસાવે Love you
મારા ચિત્તનો ચિત્તચોર પ્રેમાળ સજન

જાને જુઠ્ઠા સજન love you
ઉત્તમ સંવેદનો ને સમજથી ઠરેલ સજન

જા ને કહું પણ ના જા Love you
તારા પ્રેમનો કેવો જાદુ ઓ મારા સજન

અન્નજળ

December 20th, 2009

જ્યારે મળ્યા આપણે

પહેલી વખત

નયને હતું હાસ્ય અને રુડુ કાજળ

  છુટા પડ્યા આજે

 જ્યારે ત્યારે સજળ  નયનો  કહેતા

પુરા થયા હવે અન્નજળ

મિલન એ પ્રેમી અને પ્રેમીકાનુંજ હોય તે વાત ભૌતિક સ્તરે કદાચ સાચી હોય..પણ આત્મા અને પરમાત્મા વચ્ચે  મિલન માટે પણ અન્નજળનું (કર્મજ્ઞાન)કોઇ મહત્વ હોય તે ઘટના માં આત્માનું રુદન આવુંજ હોય તે સમજી શકાય.

મારી શકુનુ શુ થશે?

November 22nd, 2009

    

મેઇલબોક્સમાંથી મેલનો થોકડો લઇને હરેશ ઘરમાં પેઠો.બાથરુમમાં ફ્રેશ થવા ગયો.અને,તેની પત્ની ચા બનાવવા રસોડામાં પેઠી.મેલનો થોકડો અને ચા લઇને એણે રીડીંગરુમમાં મૂક્યાં.ફ્રેશ થઇને તે ચા પીતાં પીતાં આજની મેલ જોવા લાગ્યો.અચાનક પેનથી લખાયેલ સરનામાવાળા એક મોટાં પરબીડીયા પર તેની નજર પડી.કૌતુકવશ તેણે તે ઉપાડ્યું.સામાન્ય અહીં મેલ ટાઇપ કરેલ સરનામા સાથે હોય છે.મોકલનારનું નામ જોઇ એનું આશ્ચ્રર્ય વધી ગયું-નકુળ.અઠવાડિયામાં બે-ત્રણ વાર મળનાર એનો નિ:સંતાન મિત્ર.પણ, એને ફૉન કરી શકતો હતો કે રુબરુ વાત કરી શકતો હતો.આ પત્ર લખીને સસ્પેંસ ઉભું કરવાની શી જરુર હતી?એને થોડો ગભરાટ થયો.થોડી શંકાસહિત એણે પત્ર ખોલ્યો.

        હરેશના સંબોધનથી શરુ થયેલ આ પત્રમાં,પોતાને શું સંબોધન કરવું તેનાથી શરુઆત થઇ.આજ સુધી તો આવી જરુર જ ન પડી હતી.એકબીજાને ગાળો દઇ,અને પછી ,શ્રીહરિ જેવાં શબ્દો બોલી મુલાકાત અને વિદાય થતી.આજે નકુળે પત્ર લખવાની શી જરુર પડી? શંકાના વાદળો ઘેરાં થતાં ચાલ્યા.અને પત્ર આગળ વંચાયો.

 ”एक दिन मीट जायेगा….”ની કડીઓ પુરી થઇ.મુરખ! એવા તો શું કામ કર્યા છે,કે દુનિયા તને યાદ રાખે.  હાહાહા વાંચતા રહસ્ય પરાકાષ્ઠાએ પહોંચ્યું.હરેશને લાગ્યું કે નકુળ એની સામે આવીને ઉભો છે.

પત્ર લખવાની શી જરુર હતી?ફૉન કર્યો હોત કે રુબરુ વાત કરતે ને?” Read the rest of this entry »

નિરાશાની પળ-it is just a bend, not the end -E mail from V M Bhonde

October 30th, 2009

depressed

Often when we lose all the hope and think this is the end.
God smiles from above and says
“Relax guys, it is just a bend, not the end”.

We will have a helping hand in one way or other
it we who have to explore that adventure

પ્રભુ એ પરમ તત્વ ને પામેલ એક વખતે આપણી જેમજ શ્વસતા જીવતા માણસ હતા.

તે પરમ તત્વ ક્યારે અને કેવી રીતે પામ્યા તે તો ઇતિહાસવિદો, અચાર્યો અને ધર્મ પુસ્તકો કહેતા હોય છે

મારી સામાન્ય બુધ્ધી એમ કહે છે કે Read the rest of this entry »

દિવાળી આવે ને સૌનાં દિ’ વાળે

October 15th, 2009

www.arzoomag.com/tag/diwali/

જ્યાં અંધકાર ત્યાં આવે પ્રકાશ
જ્યાં ઉદાસીનતા ત્યાં થાયે હાશ
જયાં રૂદન ત્યાં પ્રગટે હાસ્ય
દિવાળી આવે ને સૌના દિ’ વાળે
તેવી સૌને અમારી શુભ આશ

વિચાર વિસ્તાર

October 8th, 2009

બિયું પોતાને ફોડે પછી ઝાડ થાય.

પોતાને ગોંધીને રાખેને ઈ તો ભાઈ વાડ થાય

                                            -મહેશ શાહ

હીના બહેન પારેખે તેમના બ્લોગ ઉપર આજે મુકેલ આ કાવ્યનું મુખડુ ખુબ જ સચોટ જણાયું…વાહ ભાઇ વાહ

 

 

જાત વિનાની જાત્રા ખોટી કે

 આપ સમાન બળ નહી કે તેજ પ્રકારની

અનેક વાતોનુ નવુ સ્વરુપ

બિયું પોતાને ફોડે પછી ઝાડ થાય.

 

મા બાપને ભુલશો નહીં -ઇ મેલ પ્રફુલ્લ કક્કડ

September 29th, 2009

 

http://www.youtube.com/watch?v=-TRVsFS4geI&feature=related

http://www.youtube.com/watch?v=n_FDqY5zYJc&NR=1

આ રજુઆતને સાંભળ્યા અને જોયા પછી જો આંખ ન ભીંજાય તો તેનો જન્મારો નિષ્ફળ જ ગયો તેમ જ સમજવું

Boss, આ ગુજરાત છે ! ઇ-મેલ પરાગ મહેતા

August 28th, 2009

 
અહીં પ્રેમ કેરો સાદ છે
પ્રભુજીનો પ્રસાદ છે
ને પ્રકૃતિનો વરસાદ છે !
Boss, આ ગુજરાત છે !
 
અહીં નર્મદાનાં નીર છે
માખણ અને પનીર છે
ને ઊજળું તકદીર છે !
Yes, આ ગુજરાત છે !
 
અહીં ગરબા-રાસ છે
વળી જ્ઞાનનો ઉજાસ છે
ને સોનેરી પરભાત છે
અલ્યા, આ ગુજરાત છે !
 
અહીં ભોજનમાં ખીર છે
સંસ્કારમાં ખમીર છે
ને પ્રજા શૂરવીર છે !
કેવું આ ગુજરાત છે !
 
અહીં વિકાસની વાત છે
સાધુઓની જમાત છે
ને સઘળી નાત-જાત છે
યાર, આ ગુજરાત છે !
 
અહીં પર્વોનો પ્રાસ છે
તીર્થો તણો પ્રવાસ છે
ને શૌર્યનો સહવાસ છે !
દોસ્ત, આ ગુજરાત છે !

__________________________________________________________

ભાભો ભારમાં તો વહુ લાજમાં

August 22nd, 2009

 

bhabho bharma

અર્ચના જયારે પરણી ને સાસરે આવી ત્યારે તેના વિચારો અને આદર્શો ખુબજ ઉંચા હતા. તે માનતી કે અવિનાશના માતા પિતા એ મારા માતાપિતાજ છે. એમની સંવા કરી એમની આંતરડી ઠારવી છે. એનાથી બાળકોને સંસ્કાર પણ પડે છે. તેથી જ નવી નવી જયારે ઘરમાં આવી ત્યારે બા તમે રહેવા દો. હું કરી નાખીશ. બાપુજી ઉઠો, ચા થઈ ગઈ. બા તમે મંદિર અને ધર્મ સંભાળો. ઘરમાં હવે હું બેઠી છું ને. બાપુજી બજારનું કામ હું કરી નાંખીશ તમે નિરાંતે નિવૃત્તિ માણો. જેવી કેટલીય મધમીઠી વાતો એની જીભ ઉપરથી નીતરતી રહેતી.
અવિનાશ કયારેક કહેતો પણ ખરો – આ શું એમનાથી થાય તેટલું કામ કરવા દે –થોડુંક શરીર ચેતનવંતુ રહે તો તબિયત સારી રહે પણ અર્ચના કહેતી – “મા બાપને આપણે છોકરા – વહું હોઈએ એથી તો રાહત હોવી જોઈએ, ભાર રુપ નહીં.”

અવિનાશ કહેતો – “તારી વાત ખરી છે પણ પછી આ આદત બનશે તો તને જ ભારે પડશે – એટલુ ધ્યાન રાખજે”.

અર્ચના નો પ્રત્યુત્તર સાંભળવા જેવો હતો. “એમ તો કઈ થાય અને થાય તો પ્રેમથી સમજાવીશું. એટલે વાંધો નહી આવે !”

અવિનાશ મન માં ખુશ થતો પણ છતાં પોતાની ફરજ બંને પક્ષે છે. તે સમજાવવા બોલ્યો. “જો અર્ચના કોઈ પણ વસ્તુ નો અતિરેક સારો નહીં. વહેવારુ બનીને રહીશ તો ઘરમાં અને આપણાં દાંપત્યમાં બંનેમાં શાંતિ રહેશે.”

સમય વહેતો ચાલ્યો. બધુ તૈયાર ભાણે મળતું ચાલ્યું. પણ બધા દિવસો કંઈ સરખા થોડા જાય… માતૃત્વ ધારણ કર્યા પછી અર્ચના ધીમે ધીમે સાસુ સસરા તથા અવિનાશ તરફ હાથમાં આપતી ચીજો ઘટાડતી ગઈ. ખરુ પુછો તો એ પહોંચીજ વળતી ન હોતીં. કારણ કે નાની સરલી પણ. કયારેક દૂધ – કયારેક સ્નાન. કયારેક ગંદા કપડા કયારેક ભુખ જેવા કારણોમાં તેનો સમય માંગતી અને માણસનું શરીર કંઇ મશીન તો નથી જ… તેથી પેલી પડેલી આદતોમાં વિધ્નો આવતા ગયા. Read the rest of this entry »

એમનો વંશ

July 31st, 2009

અને આક્રોશમાં ધારા પોકે ને પોકે રડી પડી. એને સમજ નહોંતી પડતી કે પ્રિયમ ને આટલુ સમજાવ્યા છતા પણ તે બા ની વાતોને જ કેમ વધારે મહત્વ આપતો હતો. બે છોકરી પછી પણ હજી એજ પુત્ર લાલસા..તેનામાં હવે સુવાવડ લેવાની તાકાત તો હતી જ નહીં. પ્રિયમ તેને સ્પંદીત કરવા મથે તો સ્પંદનો જન્મે તો ખરા પણ અજંપા, દુઃખ અને એકલતા ભરીતે સુવાવડની રાતો યાદ આવતાજ તે ઠરી જતી. પ્રિયમને મન ધારાનું દર્દ એ હંગામી ઘટના હતી પણ બાને રાજી રાખવા તે બધુ કરી છુટવા હરદમ તત્પર હતો..અને તે પણ માનતો કે વંશ ચલાવવા બા જે પુત્ર માટે આગ્રહ કરે છે તે લોકધારે પણ સાચો છે.

પ્રિયમ પણ આમતો ત્રીજે ખોળે હતો તેથી બા માનતા કે ત્રીજુ સંતાન પુત્ર હશે…રાત પડે અને પ્રિયમનો મનગમતો સાથ શરીરનો થાક ઉતારતો પણ સુવાવડની ભીતિ અને ત્રીજી પણ પુત્રી થશે તો?નો કાલ્પનીક ભય ધારાને રડાવતો..તેના ગર્ભધારણ ન થાય તે પ્રયત્નોથી પ્રિયમ પણ ખીજવાતો અને એક પ્રકારની તાણથી ધારા પણ ત્રસ્ત રહેતી..પહેલી રાધા બીજી સ્વરા પ્રિયમની શીફ્ટ ની નોકરી અને પાછી ધારાની નોકરી તો ચાલુ જ્..જોકે બા ઘણું કરતા છતા અપેક્ષાઓનાં બે ચાર વાક્યોમાં જેવો વંશજનો ઉલ્લેખ આવે એટલે ધારાને તેના પપ્પા જે વાત કહેતા તે યાદ આવે. આજના જમાનામાં પુત્ર હોય કે પુત્રી બંને દરેક રીતે સમાન. પણ બાને આ વાક્ય પ્રિયમ કહી શકે ધારાથી થોડું કહેવાય? Read the rest of this entry »

મનભાવન

July 28th, 2009

motabhai 016

 

કોઇ ક્યાં હવે સાથે આવે છે

ઘડી બે ઘડીની સૌ વાતો છે.

 

જન્મ્યા જીવ્યા તે તો ઠીક!

મૃત્યુની બીક બહુ  લાગે છે

  Read the rest of this entry »

આપણે ગુજરાતીઓ ….. કેતન સુગંધ નો ઇ મેલ

July 21st, 2009

હોટેલમાં કોઈ ચા મંગાવે અને ચામાં માખી પડે તો શું થાય…. ?

(1) ચોખ્ખાઈનો આગ્રહી બ્રિટિશર ચા પીધા વગર ભરેલો કપ તરછોડીને જતો રહે.

(2) ‘કેર-ફ્રી’ સ્વભાવવાળો અમેરિકન ચામાંથી માખી કાઢી ચા પી જાય.

(3) ‘ચાલુ’ સ્વભાવવાળો ઓસ્ટ્રેલિયન ચા ઢોળી કપ લઈને જતો રહે.

(4) ‘ચિત્ર-વિચિત્ર’ ખાનારો ચીનો માખી ઊપાડીને ખાઈ જાય.

આ સમયે એક ‘મહાન વ્યક્તિ’ ત્યાં હાજર હોય તો એ શું કરે ખબર છે? એ ‘મહાન’ વ્યક્તિ બ્રિટિશર પાસેથી તરછોડેલી ચાના પૈસા લે. એણે તરછોડેલી ચા અમેરિકનને વેચી દે, કપ ઓસ્ટ્રેલિયનને વેચી અને અને માખી ચીનાને વેચી દે! બધાના પૈસા ખિસ્સામાં મૂકી ઘર ભેગો થઈ જાય. આ સોલિડ ગણતરીબાજ મહાન વ્યક્તિ એટલે કોણ ખબર છે ? આ અદ્દભુત, જોરદાર મહાનુભાવ એટલે ‘ગુજરાતી’ !આખી દુનિયામાં ‘વર્લ્ડ બેસ્ટ વેપારી’નો જેને એવોર્ડ મળેલો છે, તે છે – હું, તમે અને આપણે બધા – ‘ગુજરાતીઓ’, પણ આપણે માત્ર વેપારી જ નથી, વેપારીથી પણ વિશેષ છીએ. આપણો સ્વભાવ, આપણી આદતો, આપણી ખાસિયતો આપણને બીજાથી નોખાં અને જુદાં બનાવે છે. તો ચાલો આપણે ગુજરાતીઓ કેવા છીએ એની ચર્ચા આજે એરણ ઉપર ચઢાવીએ. Read the rest of this entry »

મારે શ્યામાને નથી ખોવી

June 27th, 2009

Shyamawww.flickr.com

વાને શામળી તેથી શ્યામા તેના શ્યામ પાસે અને સાસરે હડધુત થયા કરે.. વળી દસ વર્ષનાં લાંબા દાંપત્ય જીવન પછી પણ નિઃસંતાન હોવાથી શ્યામ દારુની લતે ચઢ્યો. ભણેલી ગણેલી શ્યામા સફળતાથી ટ્યુશનનાં ક્લાસ ચલાવે અને શ્યામની લગભગ સમકક્ષ રહેતી તેથી શ્યામસુંદર ઠાકોરનો પારો હંમેશા ૧૦૨ ડીગ્રી પર રહે. અને પીન્નતમાં ગાળો ભાંડે- ”તુ કાળી જ્યારથી મારા જીવનમાં આવી ત્યારથી મારી જિંદગી મેશ કરી નાખી ” ” વાંઝણી તેં તો મારો વંશ કાઢી નાખ્યો” ” મારા જેટલુ કમાય છે તે કંઈ ઉપકાર નથી કરતી…તારા બાપનું ઘર ભરે છે..”

પણ ક્યારેક જ્યારે શ્યામાએ સવારનાં ઉઠતાવેંત લીંબુ પાણી આપ્યુ હોય અને સરસ ચા બનાવી હોય્..ત્યારે પાછો માફી પણ માંગી લેતો શ્યામ બધી તકલીફોનું કારણ દારુ ઉપર ઢોળી રાતની બૂમાબૂમ અને ગાળોનો લગ્નજીવનમાંથી બાદબાકી પણ કરી લેતો. શ્યામા આ ઠાગા ઠૈયા કરી સરતા જીવનથી ખુશ તો નહોંતી પણ એ કરે તો શું કરે? તેના બા અને બાપુજીએ તેના નામે ઘર લીધુ ત્યારે શ્યામને ખબર નહોંતી..પણ જ્યારે ખબર પડી ત્યારે ઉઠીને તેના મકાનમાંથી શ્યામાનું નામ કાઢી નાની બેન અને ભાણીયાનું નામ દાખલ કરી દીધું. Read the rest of this entry »

Why mother is always so special:

June 27th, 2009

 

When I came home in the rain ………..

Brother asked “why didn’t you take an umbrella?”

Sister advised, “Why didn’t you wait till rain stopped?”

Father angrily warned, “only after getting cold, you will  realize.”
 
But Mother, while drying my hair, said, “stupid rain !….Couldn’t it wait….till  my child came home ?”
 
That’s Aai…….(Aapala…..ishwar)

Thats Maâ (Our God)

“તીર્થોત્તમ”માં થી વીણેલું-સંકલન ભૂપેન્દ્ર ઉપધ્યાય

June 27th, 2009

 

  •  Picture from www.mcl-bjm.camother%20goose%20logo%20nat
  • બાળક્ને જોઈ જે રીઝે, રીઝે બાળક જોઇ જેને,વત્સલ મૂરત સ્નેહલ સૂરત,હ્રદય હ્રદયનાં વંદન તેને ,-ઊમાશંકર જોશી 
  •  ધન સંપતિ પ્રતિષ્ઠા સુખ સગવડ આપી દેવા મા તૈયાર થઈ જશે પરંતુ પુત્રને કદી નહિ આપે – અજ્ઞાત 
  •  ઈશ્વર સદેહ બધે પહોંચી શકે નહિ તેથી તેણે માતાનું સર્જન કર્યુ.-યહુદી કહેવત 
  •  મોંઘી માડી! જીવન ભરતી ઓટમાં તું જ ઇન્દુ -ચંદ્રવદન મહેતા 
  •   તુ જીવી, બા, જીવન હરિનું જીવવા શિર સાટે!-કરસનદાસ માણેક
  • આરાધનામાં સ્મરું રૂપ બાનું! ને બા સ્મરીને પ્રભુ રૂપ પામું-કૃષ્ણલાલ શ્રીધરાણી
  •   ચહું જન્મોજન્મે શિશુ તુજ હું, ને માત મુજ તું -ગુલાબદાસ બ્રોકર
  •   સમયને બાનો ચહેરો, વતનને બા નો ચહેરો -અજ્ઞાત
  •   માનો અર્થ દુનિયાની બધી જ ભાષામાં મા થાય છે.-રવિન્દ્રનાથ ટાગોર 
  •  માનવતા અને સંસ્કૃતિનું મહાવિદ્યાલય માતાનાં ચરણોમાં છે-ફ્રેડરીક હેસ્ટન
  •  પ્રથમ શિશુ સૌ કહાન, માતા બધી જ યશોમતી, મૂક મિલન મ્હોંમાં બ્રહ્માંડો અનંત વિલોકતી-ઉશનસ
  •  મા એક એવી ઋતુ છે જેને કદી પાનખર આવતી નથી-અજ્ઞાત
  •  (મા,)  તું માનવીનાં પરિતાપ કેરું હતું મહાઔષધ રામબાણ-ઇંદુલાલ ગાંધી
  •  મા યુવાન થઈ વૃધ્ધ થાય છે પરંતુ તેના સંતાન સદા બાળક રહે છે.-ઇરીચ નોરીશ
  • બીમાર પડતો કોઇ પણ માણસ સૌથી પહેલો અને વારંવાર જે શબ્દો બોલે છે તે  “મા” છે. સ્વામી રામતીર્થ
  • મારી માતાએ મારા ઉપર નજર રાખીને મને મારા સાથીઓનાં બુરા પ્રભાવથી બચાવ્યો છે -દાદાભાઈ નવરોજજી
  • તારું સ્વર્ગ તારી માતાનાં ચરણોની નીચે છે- હઝરત મહમ્મદ પયગંબર

વિશેષ આભાર- નીલમ દોશીનો જેમણે “તીર્થોત્તમ” મને ભેટ આપ્યું.

કિંમત કોણ ચુકવશે?

June 25th, 2009

IMG_0346

હજી તો ગયા અઠવાડીયે તો નિખાર મને કહેતો હતો “આપણી ઝીલને તો હું દુનિયાનું સુખ આપવાનો છું. ભલેને તું મારાથી છુટી થઈ પણ ઝીલ આપણું સંતાન. અને તું મારો પહેલો પ્રેમ…”
ભૂતકાળમાં પ્રવેશતું કેતાનું મન…એક વખત તો કમકમી ગયું..કેટલી મુરખ હતી કે આવા ભોળા પતિને વારંવાર ત્રાસ આપીને ઘરે નાસી આવતી હતી. અને વિખવાદનું કારણ પણ શું? હું મારી ભાભીના ભાઈ સાથે વાતો કરું તે ના ગમે.. મારા પર વહેમાયા કરે.
અમેરિકાથી આવેલી ફોઈને આ વાતની જાણ થઈ ત્યારે તે કહે
“કેતા જે રીતે તુ આ વાત કરે છે તે રીતે જોવાને બદલે આને બીજી રીતે જો. પતિ તરીકે તારા ઉપર તેનો અધિકાર છે. અને પતિ તને કોઇની સાથે વાતો કરવાની ના પાડે તો તેમા તેનું આધિપત્ય અને છુપાયેલી ઇર્ષ્યા છે. આ પ્રેમનો પ્રકાર પણ હોઇ શકેને?” Read the rest of this entry »

ઝાંઝર-

June 16th, 2009

  

“ભાઈ હવે તુ મને મારી નાખ.. મારે હવે જીવવુ નથી…” જિંદગીની દોડમાં ૮૯ વર્ષનાં ત્રિભુવનદાસ નકારાત્મક મનોદશાની ઉંડી ગર્તામાં જઈ રહ્યા હતા. તેમનો ત્રીજો દિકરો રમેશ તેમને આ અકસ્માતને લીધે થયેલ શારીરિક જખ્મો અને તેને લીધે આવેલી હતાશામાંથી તેને બહાર કાઢવા મથી રહ્યો હતો.

આજના શબ્દોથી તે ચોંક્યો અને પરાવર્તી ક્રિયા સ્વરુપે તે બોલ્યો ” અને હું પછી આખી જિંદગી જેલમાં જતો રહું કેમ ખરુને?” પણ તરત જ ભાન થયું કે બાપા તો હતાશામાં બોલે છે તેથી વિનમ્ર થઈ ને પાછુ વાક્ય અનુસંધાન કર્યુ… ” બાપા તમે તો અમારા જન્મ દાતા..અમારાથી તમને મૃત્યુ કેવી રીતે અપાય?  જરા શુભ શુભ બોલો..” Read the rest of this entry »

મોક્ષ માર્ગ સહજ બને

May 20th, 2009

કહે છે
જે તમને ચાહે છે તે તમારું પૂણ્ય છે
અને સૌ પાપો જે ધિક્કાર સ્વરૂપ છે

જીવવું એ કારીગરી શ્રેષ્ઠ બને

જ્યારે
પાપ અને પૂણ્ય શૂન્ય બને
તોજ મોક્ષ માર્ગ સહજ બને

‘મધરડે’ ને દિવસે

May 6th, 2009

 

રાધા દાદીએ પૌત્ર અખિલ ને હાથમાં લીધો

સાત વર્ષનું કાનુની ઝ્નુન આજે ધીમંતની તરફેણમાં આવ્યું. માનસિક નબળાઇઓથી પીડાતા ધીમંતનાં દુઃખનું અવિભાજ્ય અંગ તેનો દીકરો અખિલને આજે તે મેળવશે..  તે વિચારીને રાધાદાદી ખુશ થતી હતી. તેની આંખમાં ઝળ ઝળીયા હતા પણ ખુશીનાં.. આજે તેનો દીકરો ધીમંત ખુશ થશે..

ઝરણાને પોતાના દીકરાથી છુટા પડતા દુઃખ થતું હતું. નપાણિયા પતિ સાથે ગાળેલા યાતના પૂર્ણ વરસોમાં એક માત્ર આશ હતી તેનો પુત્ર અખિલ ..તેને છોડવાની વાત માત્રથી આંખો ભરાઈ જતી હતી. આશા મમ્મી પણ અખિલનાં જવાથી રડતી હતી,તેથી પણ વધુ ઝરણાનો વિલાપ જોવાતો નહોંતો..

મા કેવું હ્રદય છે તે હંમેશા સંતાનોને સુખી જુએ તો પણ રડે અને દુઃખી જુએ તો પણ રડે…

કરૂણતા તો તે હતી ‘મધરડે’ ને દિવસે બધી માતાઓ ની આંખમાં આંસુ હતા.. કોઇક્નાં ખુશીનાં તો કોઇકનાં ગમનાં…

મૃત્યુબીક

March 30th, 2009

કોઇ ક્યાં સાથે આવે છે, ઘડી બે ઘડીની વાતો છે.
કહેવાયે સૌ પોતાના પણ, રાત્રે  એકલતા ડારે છે
જન્મ્યા જીવ્યા તે તો ઠીક! મૃત્યુબીક બહુ લાગે છે
ચાલ્યા ગયા સૌ સ્વજનો, હવે એકલતા ડારે છે

 

 

એક જ દે ચિનગારી, મહાનલ! – હરિહર ભટ્ટ

March 21st, 2009

 

એક જ દે ચિનગારી, મહાનલ !
એક જ દે ચિનગારી.

ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી
મહાનલ… એક દે ચિનગારી… 

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી
મહાનલ… એક દે ચિનગારી… 

ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી
મહાનલ… એક દે ચિનગારી…

 

  એક  જ દે ચિનગારીનું સર્જન -સુધાકર હરિહર ભટ્ટ.   

ગુજરાતની લગભગ દરેક શાળામાં દરેક વિદ્યાર્થીએ અને દરેક વિદ્યાર્થીનીએ કેટલાય દાયકાઓથી ‘એક જ દે ચિનગારી’ થી પ્રાર્થના કરી છે અને આજે પણ કદાચ કરે છે. ‘એક જ દે ચિનગારી’નું સર્જન એક અલૌકિક વાતાવરણમાં થયું તેના સર્જનની પાર્શ્વભૂમિકા અત્યંત રસદાયક અને અદભુત છે. ‘એક જ દે ચિનગારી’ નાં કવિ અને મારા પૂ. પિતાશ્રી હરિહર ભટ્ટ ઇ.સ ૧૯૧૯ થી ૧૯૩૦ સુધી અમદાવાદ મહાત્મા ગાંધીજી નાં સાબરમતી આશ્રમમાં તેમના અંતેવાસી તરીકે રહ્યા હતા.  Read the rest of this entry »

મા યાદ આવી

March 18th, 2009

અચાનક ફરીથી જ મા યાદ આવી,
બધાંયે દરદની દવા યાદ આવી…

                       અહમદ મકરાણી

બા જ્યારે નાની વાતોની ચિંતા કરતી ત્યારે થતું કે બા હવે ના ફીકર કર્. હવે મોટા થઈ ગયા..એના ચહેરા પર  હાસ્ય આવતુ  અને કહેતાં કે “તુ નાનકો..હંમેશા નાનો જ રહેવાનો ભલેને સાચ્ચે  જ નાના થઈને કેમ મને મળવા ન આવે…”

હવે તો ખૈર એનુ હાસ્ય ક્યાં જોવા મળે છે? તસ્વીર ઉપરનાં ફુલો સુકાયા અને આશિર્વચનો વરસાવતા તમે હવે તો ફોટો થઈ ગયા..

પહેલા આંસુ આવતા હતાને બા યાદ આવતા

હવે બા યાદ આવે છે ને આસુ આવે છે.

Thanks to Vijay Dharia for sending this in email

હાઈકુ

March 18th, 2009

સુકું તે ઝાડ
થઈ ગયું લીલેરું
ફાગણ સ્પર્શે

૦-૦

તુ પુછે કેમ્
હોળી સળગાવી તેં!
પાપો બાળવા

૦-૦

શ્વાસોચ્છશ્વાસ
જન્મથી મૃત્યુ સુધી
સમય  ચાલે

નિરપેક્ષીત થા

March 18th, 2009

oct06news2

તુ અપેક્ષાપ્રચુર

તેથી થાયે ક્ષણે ક્ષણે તને દુઃખોનાં પ્રચંડ આઘાત.

તેથી તુ રડે

પ્રભુને કરે ઘણી ઘણી ફરિયાદ્.

પછી જ્યારે કશું ન થાય ધાર્યુ,

ત્યારે કહે પ્રભુ તો બહેરો છે.

oct06news2નથી સાંભળતો મારી દરેક ફરીયાદ્

પણ પ્રભુએ તો તને દીધુ એક વરદાન ખબર છે ને…?

ફક્ત કાર્ય તુ કર

હાક માર.. તને નથી ફળનો અધિકાર્

યોગ્ય સમયે જરુર મળશે તને

યથા યોગ્ય પરિણામ….

oct06news2ખબર છે ને દ્રૌપદીનાં ચીર પુર્યા હતા

ને સુદામાનાં તાંદુલ આરોગી મહેલ દીધા હતા

મીરાને અપાયેલ ઝેરનો પ્યાલો ખીરથી છલકાવ્યો હતો

ને નરસૈંયાની હુંડીઓ ભરપાઇ કરી હતી

તે સૌએ જે કર્યુ હતું તે તું કરે છે?

મુક શ્રધ્ધા કે તે જે કરે છે તે સાચુ છે

oct06news2તુ ફરિયાદ ન કર

પ્રભુને જે પ્યારા છે તેમને મદદ કર.

સુખ સંતોષ માં છે …

સુખ મનમાં છે

પ્રાર્થના કર.. સહન કર..

નિરપેક્ષીત થા

શબ્દ – હાઈકુ

February 25th, 2009

મૌન ને શબ્દો

મળ્યા પણ વાંઝણા

શ્રોતા બધીર

વિજય શાહ

 

જીત્યું હંમેશા ગુજરાત (રાજ્ય ગીત- ૨૫ પ્રસિધ્ધ ગુજરાતી ગાયકો વડે ગવાયેલુ..)

February 4th, 2009

4 02 2009

૨૫ પ્રસિધ્ધ ગુજરાતી ગાયકો અને ગાયિકાઓ ( પ્રફુલ્લ દવે, ઐશ્વર્યા મજમુદાર્ પદ્મશ્રી દિવાળીબેન ભીલ, આસીત દેસાઈ,હરી ભરવાડ, મૌલિ દવે, આરતી મુન્શી, આલાપ દેસાઈ,હાર્દિક દવે, શ્યામલ મુન્શી,સૌમીલ મુન્શી, અભેસીંહ રાઠોડ, અચલ મહેતા, ઉદય મજમુદાર્ ફાલ્ગુની શેઠ, દીલીપ ધોળકીયા,પુરુશોત્તમ ઉપાધ્યાય્ હેમા દેસાઈ, હેમંત ચૌહાણ, કરસન સગથીયા, કીર્તિ સગથિયા, નીરજ પરીખ્ બીહારીદાન ગઢવી, દમયંતી બરડાઈ, ભારતી કુંચાલા,વિરાજ ઉપાધ્યાય અને બીજલ ઉપાધ્યાય્) વડે ગવાયેલું આ રાજ્ય ગીત જુના યુધ્ધ ગીત કસુંબીનાં રંગ ( રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણી વડે લખાયેલ અને ઉત્તમ ગાયક હેમુ ગઢવી વડે ગવાયેલ્ પર થી પ્રેરીત થયેલુ છે

Please click this link to see this song and video    

 http://in.youtube.com/watch?v=elZkODDMXHk Read the rest of this entry »

છોડો વડીલ “જોઇએ”નું વળગણ

February 2nd, 2009

સુરજે રોજ સવારે ઉગવુ જોઇએ
સાંજ ઢળે તેને આથમવુ જોઇએ
કોયલે ગ્રીશ્મમાં ટહુકવુ જોઇએ
શ્રાવણે મંડુકે ડ્રાઊં કરવું જોઇએ
રાત પડેને તમરા રડવા જોઇએ
સવારે ઝાકળે ફુલને ધોવા જોઇએ
આ બધુ તો ઠીક વડીલ  મુરબ્બી
સમયકેદે તમારે કાં રહેવુ જોઇએ?

આઠને ટકોરે તમે બહાર ચાલો
નવનાં ટકોરે ઉત્સર્જન પ્રવૃત્તિ
દસ્ ટકોરે ગરમાગરમ સુપ્
અગીયારે દાળ ભાત રોટલી
બાર વાગે ટીવીનું ધ્યાન
તકીયો ઉગમણે જોઇએ
બેઠક આથમણે જોઇએ
જોઇએ જોઇએની યાદી
દિનભર થાતી ટુંકી લાંબી

પ્રભુ ક્યાં છે ? ક્યાંછે તેનું ચિંતન?
ક્યાંછે આતમ જ્ઞાનનું ઉંજણ?
ભવાટવીનાં ફેરા વધતા જાશે
ઘડીયાળ છોડી બાંધો આતમ કંઠી
છોડો વડીલ “જોઇએ”નું વળગણ

અંજામ તો એજ કે

February 1st, 2009

હૃદયની લાગણીઓ, પ્રેમ ને વિશ્વાસ – સંબંધો,
થશે અંજામ શું આખર બધાનો ? કો’ક તો બોલો.

હિમલ પંડ્યા ‘પાર્થ’
અંજામ તો એજ કે

આંખમાં આસુને હૈયે શૂળ હોયે છેતરાયાની
પ્રેમ વિશ્વસ ને સબંધો ફક્ત વાતો કહેવાની

હ્રદયની લાગણી ઓ ત્યારેજ દે જવાબ ધાર્યો
જ્યાં ઝીલનાર પાત્ર હોયે દેનારા સમું દિલદાર

“પાર્થ” તેથી જ કહુ એ દોસ્ત…ગઝલ છે દવા
વાપરે જે દવા જેમ, મળે દુનીયાનું સૌ ભાન

તે દિકરી થઈ તેથી શું થયું ?

January 8th, 2009

 

મારી દિકરી ચિન્મયી મહીના માં સાસરે જશે બાપ ને જયારે દિકરી વિશે આવા નાજુક સમયે લખવાનુ અને વિચારો ની રંગોળી ને કેન્વાસ ઉપર ઉતારવાનું આમંત્રણ મંજુલાબેન અને ડો ભગવાનદાસભાઈ પાસે થી મળ્યુ ત્યારે સ્વયંભુ જ સ્વિકૃતિ અપાઈ ગઈ.

દિકરો કે દિકરી વચ્ચે માબાપને તો કયારેય ભેદ નથી હોતો પરંતુ જિંદગી નો પહેલો 25 વર્ષનો તબક્કો પુરો કરી પોતાની જિંદગી શરુ કરતી દિકરી ને વળાવતા જે આંસુ નો ધોધ વહે તેટલો જ આનંદ જયારે દિકરો કુળવધુ ને લઈ ને આવે ત્યારે થતો જ હશે…. આ ધારણા પાછળ કોઈ કારણ નથી…. પણ હું મહદ્ રીતે મારા મિત્રો ના મતે આનંદ કરતા કારુણ્ય વધારે માણુ છુ એમ કહેવાય…. ખૈર. આ વાત એટલા માટે યાદ આવી કે દુનિયા ને ઈર્ષા આવે તેવી સફળતા કોલેજ કાળમાં પાંચ વર્ષ સુધી મળી હતી યુનીવર્સીટી રેંકીગ આવતુ પણ એ ખુશી કલાક ટકે અને જતી રહે પણ એમ.એસ.સી નું છેલ્લુ વર્ષ જયારે ત્રીજો વર્ગ આવ્યો તેનો અફસોસ જયાં સુધી સારી જોબ નહોંતી મળી ત્યાં સુધી ચાલ્યો હતો. Read the rest of this entry »

Powered By Indic IME