વિજયનું ચિંતન જગત

|

વેબ ઉપર ફરતા અને લખતા ગમેલા ગુજરાતી સાહિત્યની રોજનીશી

હાથના કર્યા…

July 31st, 2010

http://www.divyabhaskar.co.in/2009/10/03/images/raj411.jpg

ઉમંગ ઘણા સમયે આવ્યો. આમતો દુરનો પિત્રાઇ ભાઇ પણ એક સરખી ઉંમર એટલે મૈત્રી પણ ઠીક ઠીક…મેં એની સાથે પાછલા સમયની ઘણી વાતો કરી અને એક વાત પર તે ખુબ જ આર્દ્ર બની જતો જોયો..અને તે જ્યારે પણ તેની બા ના મૃત્યુનો ઉલ્લેખ આવે ત્યારે તેની આંખો ભરાઈ જતી.

મેં આ વખતે તેને રડવા દીધો. સ્વાતી પાણી આપી ગઈ પછી સ્વસ્થ કરતા કહ્યુ.. “અરે ભાઈ કલાકાકીએ તો પુરી જિંદગી જોઇ છે.. લીલી વાડી મુકીને ગયા છે. અને અમરપટો લઈને કોણ ક્યારેય આવ્યુ છે?”

મારી વાત સાંભળીને તે ફરી ડુસકે ચઢ્યો…

થૉડાક સમય પછી તે બોલ્યો..”ભાઈ! મારી જગ્યાએ મારી મા હોત તો આ નિર્ણય ના લેત એમ વિચારી વિચારીને મને રડવુ આવે છે.”

“એટલે?”

“…..”

“મને સમજાયુ નહિ…”

“મારી મા કોમામાં હતી. અને મેં તે વધુ રીબાય નહિ તેથી ડોક્ટરોના કહેવા મુજબ તેની ઓક્ષીજન ટ્યુબ ખેંચી નાખી હતી. .”

” અર..ર..ર..ર” મારાથી અને સ્વાતી થી એક સાથે નિઃસાસો નીકળી ગયો…

ઉમંગ અમારી સામે જોઇ ના શક્યો..તેનું રુદન વધુ ને વધુ હીબકા ભરતુ હતુ.

તે આગળ બોલ્યો..ડોક્ટરે જ્યારે આશા ના બતાવી ત્યારે તેમનો મને આ દયામૃત્યુ યોગ્ય અને વ્યવહારીક લાગ્યુ હતુ…પણ જેમ જેમ સમય વીતતો જાય છે તેમ મને એવા ભાવ બળવત્તર થતો જાય છે કે તે કામ કરીને હું સ્વાર્થી વધુ થયો હતો.. અને ખાસ તો જ્યારે જ્યારે કોમામાંથી પાછા ફરેલા ઉદાહરણો વિશે જાણુ છું ત્યારે તો મને એમજ થાય છે કે જો હું એની જગ્યાએ હોત તો અને તેઓ મારી જગ્યાએ હોત તો તેઓ આવું ના જ કરત…

ઉમંગ તો જતો રહ્યો પણ અમને વિચારમાં મુકી ગયો…

સ્વાતી કહે “ઉમંગભાઇએ આટલો બધો ગુનાનો ભાવ ન રાખવો જોઇએ..જે થયુ તે ન થવાનુ થોડુ હતુ?”

મેં સ્વાતીને કહ્યુ “આ મા એ તેને બહુજ જીવની જેમ સાચવ્યો હતો..તે માને દયામૃત્યુ આપવાનું તે નિમિત્ત બન્યો..તે ગુનાભાવ કરતા તેનો માતૃપ્રેમ તેને વધુ રડાવે છે.”

સ્વાતી કહે..”દયામૃત્યુ? ઉષાને હું જાણુને..તેણે જ ઉમંગને ચઢાવ્યો હશે..કલાકાકીનો દલ્લો જ તેમનો વેરી બન્યો..”

મેં સ્વિકાર અસ્વિકારની અસંમજસમાં જોરથી માથુ ધુણાવ્યું…

પછીની વાત તો બહુ લાંબી છે પણ કુદરતની લાકડી ક્યાં અને કેવી રીતે પડે છે તે સમજાવતી ઘટના બની…ઉષાને તેના એકના એક દીકરાએ મધરાતે તેને ઘરમાંથી કાઢી મુકી ત્યારે પાગલખાનામાં ઉમંગ ખડ્ખડાટ હસતો હતો અને મને કેમ એવુ સંભળાતુ હતુ જાણે ઉમંગ બોલતો ન હોય કે…”મા જે હું ન કરી શક્યો તે કુદરત કરે છે…હાથના કર્યા હૈયે વાગે જ છે.”

સંત શ્રી મોરારી બાપુ નાં હસ્તે નિવૃત્ત જીવન જીવવાની માર્ગદર્શિકા “નિવૃત્તિની પ્રવૃતિ”નું વિમોચન થયું.

July 13th, 2010

 

</strong

 છબી સૌજન્યઃ મોના નાયક “ઉર્મી” 

(તસ્વીરમાં શ્રી  અંકીત ત્રિવેદી પુસ્તક પરિચય આપે છે અને બાપુ પુસ્તક વિમોચન કરી રહેલ છે. શ્રી રામ ગઢવી, ચંદ્રકાંત શાહ, વિજય શાહ અને હરિકૃષ્ણ મજમુદાર પુસ્તક વિમોચન નિહાળી રહ્યા છે)

ગુજરાતી લીટરરી અકાદમી  ઓફ  નોર્થ અમેરીકા દ્વારા યોજાયેલ સ્વર્ણીમ ગુજરાત ઉત્સવ ની વિદેશ યાત્રા ના  અન્વયે ઉજ્વાતા સાહિત્ય સત્સંગ અને રામ કથામાં સંત શ્રી મોરારી બાપુ નાં હસ્તે તા.૭/૭/૨૦૧૦ ના રોજ નિવૃત્ત જીવન જીવવાની માર્ગદર્શિકા “નિવૃત્તિની પ્રવૃતિ”નું વિમોચન થયું.

લગભગ ૨૦૦૦થી વધુ શ્રોતાજનોને સંબોધતા  શ્રી અંકીત ત્રિવેદીએ પુસ્તકનો અલ્પ પરિચય આપી ૯૧ વર્ષના કેલીફોર્નીયા થી પધારેલ શ્રી હરીક્રિષ્ણ મજમુદાર અને હ્યુસ્ટનથી પધારેલ શ્રી વિજય શાહ નો પરિચય આપ્યો.  

ગુજરાતી લીટરરી અકાદમી ના પ્રમુખ શ્રી રામ ગઢવી અને ઉપપ્રમુખ શ્રી ચંદુકાંત શાહ માનપુર્વક બંને અતિથિઓને બાપુ પાસે લઇ જઈ બાપુ દ્વારા થતા આ વિમોચનને સહાયભુત થયા. સાંજે સંપૂર્ણ મૌન સેવતા બાપુએ પુસ્તક વિમોચન કરી  પુસ્તક સમગ્ર જન સમુદાયને બતાવ્યુ.

અમેરિકાનાં ઓથર હાઉસ દ્વારા પ્રસિધ્ધ થયેલુ આ પ્રથમ ગુજરાતી પુસ્તક છે જેમાં નિવૃત જીવનને પ્રવૃતિમય બનાવવાના વ્યવહારીક અને પ્રેરક કીમિયા છે. આકર્ષક કવરમાં બહુરંગી તસ્વીરો સાથે મોટા ટાઇપમાં એસીડ ફ્રી કાગળ પર છપાયેલુ પુસ્તક ભેટ આપવા માટે ઉત્તમ છે. ૧૮૪ પાના અને ૮ X  ૮ ની સાઇઝમાં છપાયેલ આ પુસ્તક દરેક પુસ્તક વેચતી વેબ સાઈટ જેવી કે એમેઝોન અને બાર્ન્સ એન્ડ નોબલ પર પ્રાપ્ય છે. વિશ્વભરમાં આ પુસ્તકનું વિતરણ ઓથર હાઉસ.કોમ દ્વારા થાય છે. તેમનો સંપર્ક નં ૧-૮૮૮-૨૮૦-૭૭૧૫ એક્ષ્ટેન્શન ૫૦૨૨ છે. 

પુસ્તક્ની વધુ વિગતો માટે વાંચો ગિરીશ પરીખનો લેખ “દરેકે વાંચન, ચિંતન અને આચરણ કરવા જેવું રસમય પુસ્તક”

દરેકે વાંચન

રેડીઓ “સુર સંવાદ” -સીડનીમા “નિવૃત્તિની પ્રવૃતિ” પુસ્તક વિશે વાર્તાલાપ

July 4th, 2010

 

ટેક્નોલોજી એ વિશ્વને સાવ નાનુ બનાવ્યુ છે તેનો પ્રત્યક્ષ ઉદાહરણ છે રેડિઓ “સુર સંવાદ” -સીડની પર “નિવૃત્તિની પ્રવૃતિ” પુસ્તક વિશે વાર્તાલાપ.

આરાધના બહેન સીડનીમાં (ઓસ્ટ્રેલીયા), હું હ્યુસ્ટન (યુ. એસ.એ.) અને હરિક્રિષ્ણભાઇ પાલો અલ્ટોમાં (યુ.એસ.એ.) અને સર્જાય છે ટેલીફોનીક વાર્તાલાપ “નિવૃત્તિની પ્રવૃત્તિ” પુસ્તક ઉપર.

તો સાંભળો આ તક્નીકી ચમત્કાર કે જ્યાં કોઈ પ્લેનમાં બેઠુ નથી અને ચાલ્યુ છે તક્નીકી જહાજ.

આ કાર્યક્રમ ૪ થી જુલાઇ એ ૩ થી ૪ ની વચ્ચે પ્રસારીત થયેલો આ વાર્તાલાપનું બ્રોડકાસ્ટીંગ સ્પષ્ટ અને સુંદર હતુ.

આપ આ લીંક ક્લીક કરશો અને તે સાંભળી શકશો રેડિઓ “સુર સંવાદ” -સીડનીમાં “નિવૃત્તિની પ્રવૃતિ”  પુસ્તક વિશે વાર્તાલાપ.

(આ પુસ્તક દરેક પુસ્તક  વેબ સાઈટ જેવીકે એમેઝોન, બર્ન્સ અને નોબ્લ્સ પરથી ખરીદી શકાય છે. સૌથી કિફાયતી ભાવ ઓથર હાઉસ ની વેબ સાઈટ ઉપર છે તેમનો સંપર્ક નંબર છે 1-888-280-7715 Ext 5022)

Speakbidas -Interview

June 30th, 2010


 

http://www.youtube.com/watch?v=qEguFN79c4Q

http://www.youtube.com/watch?v=cKvZc_lvpH0

http://www.youtube.com/watch?v=sYC8XoStZXE

“ફરી પાછુ એજ પ્રશ્નાર્થ ચિન્હ?” અને “વૃત્ત એક અને વૃતાંત અનેક” પુસ્તક સ્વરુપે..

June 15th, 2010

fari pachhu e j prashnarth chinh (Repaired)

વેબ પર મુકાયેલી સર્વે વાર્તાઓ પુસ્તક સ્વરુપે માણો…

Terrific Twoliners…Dr MJ Kapadia

March 16th, 2010
  •  When Snake is alive, Snake eats Ants. When Snake is dead, Ants eat Snake.
    Time can turn at any time. Don’t neglect anyone in your life…….. …
  • Never make the same mistake twice, There are so many new ones,
    Try a different one each day. 
  •  A good way to change someone’s attitude is to change our own.
    Because, the same sun melts butter, also hardens clay!
    Life is as we think, so think beautifully. 
  •  Life is just like a sea, we are moving without end.
    Nothing stays with us,
    what remain is just the memories of some people who touched us as Waves.
  • Whenever you want to know how rich you are? Never count your currency,
    just try to Drop a Tear and count how many hands reach out to WIPE that- that is true richness.
     Heart tells the eyes see less, because you see and I suffer lot.
    Eyes replied, feel less because you feel and I cry a lot.
  • Never change your originality for the sake of others,
    because no one can play your role better than you.
    So be yourself, because whatever you are, YOU are the best. 
  • Baby mosquito came back after 1st time flying.
    His dad asked him “How do you feel?”
    He replied “It was wonderful, Everyone was clapping for me!”
    That’s what I call Positive Attitude………..
  • વહી જાયે ઉતાર બધા

    March 11th, 2010

    જિંદગીની રાહ પર છે ઉતાર ચઢાવ ઘણા
    માનો તો દરેક ઉતાર પર ચઢાવ છે ઘણા
    દરેક ચઢાવો લાવે મનભાવન સુખો ઘણા
    જે માણતા માણતા વહી જાયે ઉતાર બધા.

    સજન

    February 4th, 2010

    જા ને લુચ્ચા સજન love you
    જા ને લાગણીઓથી તરબતર સજન

    એક આંખે રડાવે Love you
    પ્રાણથી અધિક વહાલોથી ભરેલ સજન

    બીજી આંખે હસાવે Love you
    મારા ચિત્તનો ચિત્તચોર પ્રેમાળ સજન

    જાને જુઠ્ઠા સજન love you
    ઉત્તમ સંવેદનો ને સમજથી ઠરેલ સજન

    જા ને કહું પણ ના જા Love you
    તારા પ્રેમનો કેવો જાદુ ઓ મારા સજન

    અન્નજળ

    December 20th, 2009

    જ્યારે મળ્યા આપણે

    પહેલી વખત

    નયને હતું હાસ્ય અને રુડુ કાજળ

      છુટા પડ્યા આજે

     જ્યારે ત્યારે સજળ  નયનો  કહેતા

    પુરા થયા હવે અન્નજળ

    મિલન એ પ્રેમી અને પ્રેમીકાનુંજ હોય તે વાત ભૌતિક સ્તરે કદાચ સાચી હોય..પણ આત્મા અને પરમાત્મા વચ્ચે  મિલન માટે પણ અન્નજળનું (કર્મજ્ઞાન)કોઇ મહત્વ હોય તે ઘટના માં આત્માનું રુદન આવુંજ હોય તે સમજી શકાય.

    મારી શકુનુ શુ થશે?

    November 22nd, 2009

        

    મેઇલબોક્સમાંથી મેલનો થોકડો લઇને હરેશ ઘરમાં પેઠો.બાથરુમમાં ફ્રેશ થવા ગયો.અને,તેની પત્ની ચા બનાવવા રસોડામાં પેઠી.મેલનો થોકડો અને ચા લઇને એણે રીડીંગરુમમાં મૂક્યાં.ફ્રેશ થઇને તે ચા પીતાં પીતાં આજની મેલ જોવા લાગ્યો.અચાનક પેનથી લખાયેલ સરનામાવાળા એક મોટાં પરબીડીયા પર તેની નજર પડી.કૌતુકવશ તેણે તે ઉપાડ્યું.સામાન્ય અહીં મેલ ટાઇપ કરેલ સરનામા સાથે હોય છે.મોકલનારનું નામ જોઇ એનું આશ્ચ્રર્ય વધી ગયું-નકુળ.અઠવાડિયામાં બે-ત્રણ વાર મળનાર એનો નિ:સંતાન મિત્ર.પણ, એને ફૉન કરી શકતો હતો કે રુબરુ વાત કરી શકતો હતો.આ પત્ર લખીને સસ્પેંસ ઉભું કરવાની શી જરુર હતી?એને થોડો ગભરાટ થયો.થોડી શંકાસહિત એણે પત્ર ખોલ્યો.

            હરેશના સંબોધનથી શરુ થયેલ આ પત્રમાં,પોતાને શું સંબોધન કરવું તેનાથી શરુઆત થઇ.આજ સુધી તો આવી જરુર જ ન પડી હતી.એકબીજાને ગાળો દઇ,અને પછી ,શ્રીહરિ જેવાં શબ્દો બોલી મુલાકાત અને વિદાય થતી.આજે નકુળે પત્ર લખવાની શી જરુર પડી? શંકાના વાદળો ઘેરાં થતાં ચાલ્યા.અને પત્ર આગળ વંચાયો.

     ”एक दिन मीट जायेगा….”ની કડીઓ પુરી થઇ.મુરખ! એવા તો શું કામ કર્યા છે,કે દુનિયા તને યાદ રાખે.  હાહાહા વાંચતા રહસ્ય પરાકાષ્ઠાએ પહોંચ્યું.હરેશને લાગ્યું કે નકુળ એની સામે આવીને ઉભો છે.

    પત્ર લખવાની શી જરુર હતી?ફૉન કર્યો હોત કે રુબરુ વાત કરતે ને?” Read the rest of this entry »

    નિરાશાની પળ-it is just a bend, not the end -E mail from V M Bhonde

    October 30th, 2009

    depressed

    Often when we lose all the hope and think this is the end.
    God smiles from above and says
    “Relax guys, it is just a bend, not the end”.

    We will have a helping hand in one way or other
    it we who have to explore that adventure

    પ્રભુ એ પરમ તત્વ ને પામેલ એક વખતે આપણી જેમજ શ્વસતા જીવતા માણસ હતા.

    તે પરમ તત્વ ક્યારે અને કેવી રીતે પામ્યા તે તો ઇતિહાસવિદો, અચાર્યો અને ધર્મ પુસ્તકો કહેતા હોય છે

    મારી સામાન્ય બુધ્ધી એમ કહે છે કે Read the rest of this entry »

    દિવાળી આવે ને સૌનાં દિ’ વાળે

    October 15th, 2009

    www.arzoomag.com/tag/diwali/

    જ્યાં અંધકાર ત્યાં આવે પ્રકાશ
    જ્યાં ઉદાસીનતા ત્યાં થાયે હાશ
    જયાં રૂદન ત્યાં પ્રગટે હાસ્ય
    દિવાળી આવે ને સૌના દિ’ વાળે
    તેવી સૌને અમારી શુભ આશ

    વિચાર વિસ્તાર

    October 8th, 2009

    બિયું પોતાને ફોડે પછી ઝાડ થાય.

    પોતાને ગોંધીને રાખેને ઈ તો ભાઈ વાડ થાય

                                                -મહેશ શાહ

    હીના બહેન પારેખે તેમના બ્લોગ ઉપર આજે મુકેલ આ કાવ્યનું મુખડુ ખુબ જ સચોટ જણાયું…વાહ ભાઇ વાહ

     

     

    જાત વિનાની જાત્રા ખોટી કે

     આપ સમાન બળ નહી કે તેજ પ્રકારની

    અનેક વાતોનુ નવુ સ્વરુપ

    બિયું પોતાને ફોડે પછી ઝાડ થાય.

     

    મા બાપને ભુલશો નહીં -ઇ મેલ પ્રફુલ્લ કક્કડ

    September 29th, 2009

     

    http://www.youtube.com/watch?v=-TRVsFS4geI&feature=related

    http://www.youtube.com/watch?v=n_FDqY5zYJc&NR=1

    આ રજુઆતને સાંભળ્યા અને જોયા પછી જો આંખ ન ભીંજાય તો તેનો જન્મારો નિષ્ફળ જ ગયો તેમ જ સમજવું

    Boss, આ ગુજરાત છે ! ઇ-મેલ પરાગ મહેતા

    August 28th, 2009

     
    અહીં પ્રેમ કેરો સાદ છે
    પ્રભુજીનો પ્રસાદ છે
    ને પ્રકૃતિનો વરસાદ છે !
    Boss, આ ગુજરાત છે !
     
    અહીં નર્મદાનાં નીર છે
    માખણ અને પનીર છે
    ને ઊજળું તકદીર છે !
    Yes, આ ગુજરાત છે !
     
    અહીં ગરબા-રાસ છે
    વળી જ્ઞાનનો ઉજાસ છે
    ને સોનેરી પરભાત છે
    અલ્યા, આ ગુજરાત છે !
     
    અહીં ભોજનમાં ખીર છે
    સંસ્કારમાં ખમીર છે
    ને પ્રજા શૂરવીર છે !
    કેવું આ ગુજરાત છે !
     
    અહીં વિકાસની વાત છે
    સાધુઓની જમાત છે
    ને સઘળી નાત-જાત છે
    યાર, આ ગુજરાત છે !
     
    અહીં પર્વોનો પ્રાસ છે
    તીર્થો તણો પ્રવાસ છે
    ને શૌર્યનો સહવાસ છે !
    દોસ્ત, આ ગુજરાત છે !

    __________________________________________________________

    ભાભો ભારમાં તો વહુ લાજમાં

    August 22nd, 2009

     

    bhabho bharma

    અર્ચના જયારે પરણી ને સાસરે આવી ત્યારે તેના વિચારો અને આદર્શો ખુબજ ઉંચા હતા. તે માનતી કે અવિનાશના માતા પિતા એ મારા માતાપિતાજ છે. એમની સંવા કરી એમની આંતરડી ઠારવી છે. એનાથી બાળકોને સંસ્કાર પણ પડે છે. તેથી જ નવી નવી જયારે ઘરમાં આવી ત્યારે બા તમે રહેવા દો. હું કરી નાખીશ. બાપુજી ઉઠો, ચા થઈ ગઈ. બા તમે મંદિર અને ધર્મ સંભાળો. ઘરમાં હવે હું બેઠી છું ને. બાપુજી બજારનું કામ હું કરી નાંખીશ તમે નિરાંતે નિવૃત્તિ માણો. જેવી કેટલીય મધમીઠી વાતો એની જીભ ઉપરથી નીતરતી રહેતી.
    અવિનાશ કયારેક કહેતો પણ ખરો – આ શું એમનાથી થાય તેટલું કામ કરવા દે –થોડુંક શરીર ચેતનવંતુ રહે તો તબિયત સારી રહે પણ અર્ચના કહેતી – “મા બાપને આપણે છોકરા – વહું હોઈએ એથી તો રાહત હોવી જોઈએ, ભાર રુપ નહીં.”

    અવિનાશ કહેતો – “તારી વાત ખરી છે પણ પછી આ આદત બનશે તો તને જ ભારે પડશે – એટલુ ધ્યાન રાખજે”.

    અર્ચના નો પ્રત્યુત્તર સાંભળવા જેવો હતો. “એમ તો કઈ થાય અને થાય તો પ્રેમથી સમજાવીશું. એટલે વાંધો નહી આવે !”

    અવિનાશ મન માં ખુશ થતો પણ છતાં પોતાની ફરજ બંને પક્ષે છે. તે સમજાવવા બોલ્યો. “જો અર્ચના કોઈ પણ વસ્તુ નો અતિરેક સારો નહીં. વહેવારુ બનીને રહીશ તો ઘરમાં અને આપણાં દાંપત્યમાં બંનેમાં શાંતિ રહેશે.”

    સમય વહેતો ચાલ્યો. બધુ તૈયાર ભાણે મળતું ચાલ્યું. પણ બધા દિવસો કંઈ સરખા થોડા જાય… માતૃત્વ ધારણ કર્યા પછી અર્ચના ધીમે ધીમે સાસુ સસરા તથા અવિનાશ તરફ હાથમાં આપતી ચીજો ઘટાડતી ગઈ. ખરુ પુછો તો એ પહોંચીજ વળતી ન હોતીં. કારણ કે નાની સરલી પણ. કયારેક દૂધ – કયારેક સ્નાન. કયારેક ગંદા કપડા કયારેક ભુખ જેવા કારણોમાં તેનો સમય માંગતી અને માણસનું શરીર કંઇ મશીન તો નથી જ… તેથી પેલી પડેલી આદતોમાં વિધ્નો આવતા ગયા. Read the rest of this entry »

    એમનો વંશ

    July 31st, 2009

    અને આક્રોશમાં ધારા પોકે ને પોકે રડી પડી. એને સમજ નહોંતી પડતી કે પ્રિયમ ને આટલુ સમજાવ્યા છતા પણ તે બા ની વાતોને જ કેમ વધારે મહત્વ આપતો હતો. બે છોકરી પછી પણ હજી એજ પુત્ર લાલસા..તેનામાં હવે સુવાવડ લેવાની તાકાત તો હતી જ નહીં. પ્રિયમ તેને સ્પંદીત કરવા મથે તો સ્પંદનો જન્મે તો ખરા પણ અજંપા, દુઃખ અને એકલતા ભરીતે સુવાવડની રાતો યાદ આવતાજ તે ઠરી જતી. પ્રિયમને મન ધારાનું દર્દ એ હંગામી ઘટના હતી પણ બાને રાજી રાખવા તે બધુ કરી છુટવા હરદમ તત્પર હતો..અને તે પણ માનતો કે વંશ ચલાવવા બા જે પુત્ર માટે આગ્રહ કરે છે તે લોકધારે પણ સાચો છે.

    પ્રિયમ પણ આમતો ત્રીજે ખોળે હતો તેથી બા માનતા કે ત્રીજુ સંતાન પુત્ર હશે…રાત પડે અને પ્રિયમનો મનગમતો સાથ શરીરનો થાક ઉતારતો પણ સુવાવડની ભીતિ અને ત્રીજી પણ પુત્રી થશે તો?નો કાલ્પનીક ભય ધારાને રડાવતો..તેના ગર્ભધારણ ન થાય તે પ્રયત્નોથી પ્રિયમ પણ ખીજવાતો અને એક પ્રકારની તાણથી ધારા પણ ત્રસ્ત રહેતી..પહેલી રાધા બીજી સ્વરા પ્રિયમની શીફ્ટ ની નોકરી અને પાછી ધારાની નોકરી તો ચાલુ જ્..જોકે બા ઘણું કરતા છતા અપેક્ષાઓનાં બે ચાર વાક્યોમાં જેવો વંશજનો ઉલ્લેખ આવે એટલે ધારાને તેના પપ્પા જે વાત કહેતા તે યાદ આવે. આજના જમાનામાં પુત્ર હોય કે પુત્રી બંને દરેક રીતે સમાન. પણ બાને આ વાક્ય પ્રિયમ કહી શકે ધારાથી થોડું કહેવાય? Read the rest of this entry »

    મનભાવન

    July 28th, 2009

    motabhai 016

     

    કોઇ ક્યાં હવે સાથે આવે છે

    ઘડી બે ઘડીની સૌ વાતો છે.

     

    જન્મ્યા જીવ્યા તે તો ઠીક!

    મૃત્યુની બીક બહુ  લાગે છે

      Read the rest of this entry »

    આપણે ગુજરાતીઓ ….. કેતન સુગંધ નો ઇ મેલ

    July 21st, 2009

    હોટેલમાં કોઈ ચા મંગાવે અને ચામાં માખી પડે તો શું થાય…. ?

    (1) ચોખ્ખાઈનો આગ્રહી બ્રિટિશર ચા પીધા વગર ભરેલો કપ તરછોડીને જતો રહે.

    (2) ‘કેર-ફ્રી’ સ્વભાવવાળો અમેરિકન ચામાંથી માખી કાઢી ચા પી જાય.

    (3) ‘ચાલુ’ સ્વભાવવાળો ઓસ્ટ્રેલિયન ચા ઢોળી કપ લઈને જતો રહે.

    (4) ‘ચિત્ર-વિચિત્ર’ ખાનારો ચીનો માખી ઊપાડીને ખાઈ જાય.

    આ સમયે એક ‘મહાન વ્યક્તિ’ ત્યાં હાજર હોય તો એ શું કરે ખબર છે? એ ‘મહાન’ વ્યક્તિ બ્રિટિશર પાસેથી તરછોડેલી ચાના પૈસા લે. એણે તરછોડેલી ચા અમેરિકનને વેચી દે, કપ ઓસ્ટ્રેલિયનને વેચી અને અને માખી ચીનાને વેચી દે! બધાના પૈસા ખિસ્સામાં મૂકી ઘર ભેગો થઈ જાય. આ સોલિડ ગણતરીબાજ મહાન વ્યક્તિ એટલે કોણ ખબર છે ? આ અદ્દભુત, જોરદાર મહાનુભાવ એટલે ‘ગુજરાતી’ !આખી દુનિયામાં ‘વર્લ્ડ બેસ્ટ વેપારી’નો જેને એવોર્ડ મળેલો છે, તે છે – હું, તમે અને આપણે બધા – ‘ગુજરાતીઓ’, પણ આપણે માત્ર વેપારી જ નથી, વેપારીથી પણ વિશેષ છીએ. આપણો સ્વભાવ, આપણી આદતો, આપણી ખાસિયતો આપણને બીજાથી નોખાં અને જુદાં બનાવે છે. તો ચાલો આપણે ગુજરાતીઓ કેવા છીએ એની ચર્ચા આજે એરણ ઉપર ચઢાવીએ. Read the rest of this entry »

    મારે શ્યામાને નથી ખોવી

    June 27th, 2009

    Shyamawww.flickr.com

    વાને શામળી તેથી શ્યામા તેના શ્યામ પાસે અને સાસરે હડધુત થયા કરે.. વળી દસ વર્ષનાં લાંબા દાંપત્ય જીવન પછી પણ નિઃસંતાન હોવાથી શ્યામ દારુની લતે ચઢ્યો. ભણેલી ગણેલી શ્યામા સફળતાથી ટ્યુશનનાં ક્લાસ ચલાવે અને શ્યામની લગભગ સમકક્ષ રહેતી તેથી શ્યામસુંદર ઠાકોરનો પારો હંમેશા ૧૦૨ ડીગ્રી પર રહે. અને પીન્નતમાં ગાળો ભાંડે- ”તુ કાળી જ્યારથી મારા જીવનમાં આવી ત્યારથી મારી જિંદગી મેશ કરી નાખી ” ” વાંઝણી તેં તો મારો વંશ કાઢી નાખ્યો” ” મારા જેટલુ કમાય છે તે કંઈ ઉપકાર નથી કરતી…તારા બાપનું ઘર ભરે છે..”

    પણ ક્યારેક જ્યારે શ્યામાએ સવારનાં ઉઠતાવેંત લીંબુ પાણી આપ્યુ હોય અને સરસ ચા બનાવી હોય્..ત્યારે પાછો માફી પણ માંગી લેતો શ્યામ બધી તકલીફોનું કારણ દારુ ઉપર ઢોળી રાતની બૂમાબૂમ અને ગાળોનો લગ્નજીવનમાંથી બાદબાકી પણ કરી લેતો. શ્યામા આ ઠાગા ઠૈયા કરી સરતા જીવનથી ખુશ તો નહોંતી પણ એ કરે તો શું કરે? તેના બા અને બાપુજીએ તેના નામે ઘર લીધુ ત્યારે શ્યામને ખબર નહોંતી..પણ જ્યારે ખબર પડી ત્યારે ઉઠીને તેના મકાનમાંથી શ્યામાનું નામ કાઢી નાની બેન અને ભાણીયાનું નામ દાખલ કરી દીધું. Read the rest of this entry »

    Why mother is always so special:

    June 27th, 2009

     

    When I came home in the rain ………..

    Brother asked “why didn’t you take an umbrella?”

    Sister advised, “Why didn’t you wait till rain stopped?”

    Father angrily warned, “only after getting cold, you will  realize.”
     
    But Mother, while drying my hair, said, “stupid rain !….Couldn’t it wait….till  my child came home ?”
     
    That’s Aai…….(Aapala…..ishwar)

    Thats Maâ (Our God)

    “તીર્થોત્તમ”માં થી વીણેલું-સંકલન ભૂપેન્દ્ર ઉપધ્યાય

    June 27th, 2009

     

    •  Picture from www.mcl-bjm.camother%20goose%20logo%20nat
    • બાળક્ને જોઈ જે રીઝે, રીઝે બાળક જોઇ જેને,વત્સલ મૂરત સ્નેહલ સૂરત,હ્રદય હ્રદયનાં વંદન તેને ,-ઊમાશંકર જોશી 
    •  ધન સંપતિ પ્રતિષ્ઠા સુખ સગવડ આપી દેવા મા તૈયાર થઈ જશે પરંતુ પુત્રને કદી નહિ આપે – અજ્ઞાત 
    •  ઈશ્વર સદેહ બધે પહોંચી શકે નહિ તેથી તેણે માતાનું સર્જન કર્યુ.-યહુદી કહેવત 
    •  મોંઘી માડી! જીવન ભરતી ઓટમાં તું જ ઇન્દુ -ચંદ્રવદન મહેતા 
    •   તુ જીવી, બા, જીવન હરિનું જીવવા શિર સાટે!-કરસનદાસ માણેક
    • આરાધનામાં સ્મરું રૂપ બાનું! ને બા સ્મરીને પ્રભુ રૂપ પામું-કૃષ્ણલાલ શ્રીધરાણી
    •   ચહું જન્મોજન્મે શિશુ તુજ હું, ને માત મુજ તું -ગુલાબદાસ બ્રોકર
    •   સમયને બાનો ચહેરો, વતનને બા નો ચહેરો -અજ્ઞાત
    •   માનો અર્થ દુનિયાની બધી જ ભાષામાં મા થાય છે.-રવિન્દ્રનાથ ટાગોર 
    •  માનવતા અને સંસ્કૃતિનું મહાવિદ્યાલય માતાનાં ચરણોમાં છે-ફ્રેડરીક હેસ્ટન
    •  પ્રથમ શિશુ સૌ કહાન, માતા બધી જ યશોમતી, મૂક મિલન મ્હોંમાં બ્રહ્માંડો અનંત વિલોકતી-ઉશનસ
    •  મા એક એવી ઋતુ છે જેને કદી પાનખર આવતી નથી-અજ્ઞાત
    •  (મા,)  તું માનવીનાં પરિતાપ કેરું હતું મહાઔષધ રામબાણ-ઇંદુલાલ ગાંધી
    •  મા યુવાન થઈ વૃધ્ધ થાય છે પરંતુ તેના સંતાન સદા બાળક રહે છે.-ઇરીચ નોરીશ
    • બીમાર પડતો કોઇ પણ માણસ સૌથી પહેલો અને વારંવાર જે શબ્દો બોલે છે તે  “મા” છે. સ્વામી રામતીર્થ
    • મારી માતાએ મારા ઉપર નજર રાખીને મને મારા સાથીઓનાં બુરા પ્રભાવથી બચાવ્યો છે -દાદાભાઈ નવરોજજી
    • તારું સ્વર્ગ તારી માતાનાં ચરણોની નીચે છે- હઝરત મહમ્મદ પયગંબર

    વિશેષ આભાર- નીલમ દોશીનો જેમણે “તીર્થોત્તમ” મને ભેટ આપ્યું.

    કિંમત કોણ ચુકવશે?

    June 25th, 2009

    IMG_0346

    હજી તો ગયા અઠવાડીયે તો નિખાર મને કહેતો હતો “આપણી ઝીલને તો હું દુનિયાનું સુખ આપવાનો છું. ભલેને તું મારાથી છુટી થઈ પણ ઝીલ આપણું સંતાન. અને તું મારો પહેલો પ્રેમ…”
    ભૂતકાળમાં પ્રવેશતું કેતાનું મન…એક વખત તો કમકમી ગયું..કેટલી મુરખ હતી કે આવા ભોળા પતિને વારંવાર ત્રાસ આપીને ઘરે નાસી આવતી હતી. અને વિખવાદનું કારણ પણ શું? હું મારી ભાભીના ભાઈ સાથે વાતો કરું તે ના ગમે.. મારા પર વહેમાયા કરે.
    અમેરિકાથી આવેલી ફોઈને આ વાતની જાણ થઈ ત્યારે તે કહે
    “કેતા જે રીતે તુ આ વાત કરે છે તે રીતે જોવાને બદલે આને બીજી રીતે જો. પતિ તરીકે તારા ઉપર તેનો અધિકાર છે. અને પતિ તને કોઇની સાથે વાતો કરવાની ના પાડે તો તેમા તેનું આધિપત્ય અને છુપાયેલી ઇર્ષ્યા છે. આ પ્રેમનો પ્રકાર પણ હોઇ શકેને?” Read the rest of this entry »

    ઝાંઝર-

    June 16th, 2009

      

    “ભાઈ હવે તુ મને મારી નાખ.. મારે હવે જીવવુ નથી…” જિંદગીની દોડમાં ૮૯ વર્ષનાં ત્રિભુવનદાસ નકારાત્મક મનોદશાની ઉંડી ગર્તામાં જઈ રહ્યા હતા. તેમનો ત્રીજો દિકરો રમેશ તેમને આ અકસ્માતને લીધે થયેલ શારીરિક જખ્મો અને તેને લીધે આવેલી હતાશામાંથી તેને બહાર કાઢવા મથી રહ્યો હતો.

    આજના શબ્દોથી તે ચોંક્યો અને પરાવર્તી ક્રિયા સ્વરુપે તે બોલ્યો ” અને હું પછી આખી જિંદગી જેલમાં જતો રહું કેમ ખરુને?” પણ તરત જ ભાન થયું કે બાપા તો હતાશામાં બોલે છે તેથી વિનમ્ર થઈ ને પાછુ વાક્ય અનુસંધાન કર્યુ… ” બાપા તમે તો અમારા જન્મ દાતા..અમારાથી તમને મૃત્યુ કેવી રીતે અપાય?  જરા શુભ શુભ બોલો..” Read the rest of this entry »

    મોક્ષ માર્ગ સહજ બને

    May 20th, 2009

    કહે છે
    જે તમને ચાહે છે તે તમારું પૂણ્ય છે
    અને સૌ પાપો જે ધિક્કાર સ્વરૂપ છે

    જીવવું એ કારીગરી શ્રેષ્ઠ બને

    જ્યારે
    પાપ અને પૂણ્ય શૂન્ય બને
    તોજ મોક્ષ માર્ગ સહજ બને

    ‘મધરડે’ ને દિવસે

    May 6th, 2009

     

    રાધા દાદીએ પૌત્ર અખિલ ને હાથમાં લીધો

    સાત વર્ષનું કાનુની ઝ્નુન આજે ધીમંતની તરફેણમાં આવ્યું. માનસિક નબળાઇઓથી પીડાતા ધીમંતનાં દુઃખનું અવિભાજ્ય અંગ તેનો દીકરો અખિલને આજે તે મેળવશે..  તે વિચારીને રાધાદાદી ખુશ થતી હતી. તેની આંખમાં ઝળ ઝળીયા હતા પણ ખુશીનાં.. આજે તેનો દીકરો ધીમંત ખુશ થશે..

    ઝરણાને પોતાના દીકરાથી છુટા પડતા દુઃખ થતું હતું. નપાણિયા પતિ સાથે ગાળેલા યાતના પૂર્ણ વરસોમાં એક માત્ર આશ હતી તેનો પુત્ર અખિલ ..તેને છોડવાની વાત માત્રથી આંખો ભરાઈ જતી હતી. આશા મમ્મી પણ અખિલનાં જવાથી રડતી હતી,તેથી પણ વધુ ઝરણાનો વિલાપ જોવાતો નહોંતો..

    મા કેવું હ્રદય છે તે હંમેશા સંતાનોને સુખી જુએ તો પણ રડે અને દુઃખી જુએ તો પણ રડે…

    કરૂણતા તો તે હતી ‘મધરડે’ ને દિવસે બધી માતાઓ ની આંખમાં આંસુ હતા.. કોઇક્નાં ખુશીનાં તો કોઇકનાં ગમનાં…

    મૃત્યુબીક

    March 30th, 2009

    કોઇ ક્યાં સાથે આવે છે, ઘડી બે ઘડીની વાતો છે.
    કહેવાયે સૌ પોતાના પણ, રાત્રે  એકલતા ડારે છે
    જન્મ્યા જીવ્યા તે તો ઠીક! મૃત્યુબીક બહુ લાગે છે
    ચાલ્યા ગયા સૌ સ્વજનો, હવે એકલતા ડારે છે

     

     

    એક જ દે ચિનગારી, મહાનલ! – હરિહર ભટ્ટ

    March 21st, 2009

     

    એક જ દે ચિનગારી, મહાનલ !
    એક જ દે ચિનગારી.

    ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી
    જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી
    મહાનલ… એક દે ચિનગારી… 

    ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી
    ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી
    મહાનલ… એક દે ચિનગારી… 

    ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી
    વિશ્વાનલ ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી
    મહાનલ… એક દે ચિનગારી…

     

      એક  જ દે ચિનગારીનું સર્જન -સુધાકર હરિહર ભટ્ટ.   

    ગુજરાતની લગભગ દરેક શાળામાં દરેક વિદ્યાર્થીએ અને દરેક વિદ્યાર્થીનીએ કેટલાય દાયકાઓથી ‘એક જ દે ચિનગારી’ થી પ્રાર્થના કરી છે અને આજે પણ કદાચ કરે છે. ‘એક જ દે ચિનગારી’નું સર્જન એક અલૌકિક વાતાવરણમાં થયું તેના સર્જનની પાર્શ્વભૂમિકા અત્યંત રસદાયક અને અદભુત છે. ‘એક જ દે ચિનગારી’ નાં કવિ અને મારા પૂ. પિતાશ્રી હરિહર ભટ્ટ ઇ.સ ૧૯૧૯ થી ૧૯૩૦ સુધી અમદાવાદ મહાત્મા ગાંધીજી નાં સાબરમતી આશ્રમમાં તેમના અંતેવાસી તરીકે રહ્યા હતા.  Read the rest of this entry »

    મા યાદ આવી

    March 18th, 2009

    અચાનક ફરીથી જ મા યાદ આવી,
    બધાંયે દરદની દવા યાદ આવી…

                           અહમદ મકરાણી

    બા જ્યારે નાની વાતોની ચિંતા કરતી ત્યારે થતું કે બા હવે ના ફીકર કર્. હવે મોટા થઈ ગયા..એના ચહેરા પર  હાસ્ય આવતુ  અને કહેતાં કે “તુ નાનકો..હંમેશા નાનો જ રહેવાનો ભલેને સાચ્ચે  જ નાના થઈને કેમ મને મળવા ન આવે…”

    હવે તો ખૈર એનુ હાસ્ય ક્યાં જોવા મળે છે? તસ્વીર ઉપરનાં ફુલો સુકાયા અને આશિર્વચનો વરસાવતા તમે હવે તો ફોટો થઈ ગયા..

    પહેલા આંસુ આવતા હતાને બા યાદ આવતા

    હવે બા યાદ આવે છે ને આસુ આવે છે.

    Thanks to Vijay Dharia for sending this in email

    હાઈકુ

    March 18th, 2009

    સુકું તે ઝાડ
    થઈ ગયું લીલેરું
    ફાગણ સ્પર્શે

    ૦-૦

    તુ પુછે કેમ્
    હોળી સળગાવી તેં!
    પાપો બાળવા

    ૦-૦

    શ્વાસોચ્છશ્વાસ
    જન્મથી મૃત્યુ સુધી
    સમય  ચાલે

    Powered By Indic IME