વિજયનું ચિંતન જગત

|

વેબ ઉપર ફરતા અને લખતા ગમેલા ગુજરાતી સાહિત્યની રોજનીશી

કદાચ

March 17th, 2013

૧૯મી જૂનના પ્રભાત છાપામાં એક સમાચાર હતા નવરંગપુરા રેલ્વે ફાટક પાસે કપાઇ ગયેલ એક અજાણ્યો યુવક સાથે કમકમી જવાય તેવી રીતે ધડથી છૂટું પડી ગયેલ માથું હાથ અને પગ અને બાઝી ગયેલ લોહીના અવશેષૌ ની છબી જોઇને ફોટોગ્રાફરેજ નહીં જેણ તે જોયા હશે તે બધાંએ કમકમિયા અનુભવ્યાં હશે..૨૨ વર્ષનો યુવાન .. હમણાં બોલી ઊઠશે તેવો ચહેરો અને સીટી પોલીસ , આ અમારી હદ નથી રેલ્વે પોલીસ જાણે અને રેલ્વે વાળા આ શહેરની હદમાંછે એમ કાગળિયે લઢતા હતા ત્યારે એ કોઇના એ લાડકવાયાને તાપ ન લાગે અને માંખો ન બણબણે તે માટે કફનના દાન જેવી ફાટેલી ચાદર ઓઢાડી હતી.એકાદ ફર્લાંગ દુર બેઠા ઘાટની બીનવારસી લીલા રંગની લેડીઝ સાયકલ પ્રસંગની સાક્ષી પુરતી ઉભી હતી. એક પગનાં બૂટનું નિકંદન ઘર્ષણમાં નીકળી ગયુ હતુ. દોઢ વાગ્યાના બોટાદ મેઇલ નીચે કચડાઇ મરેલ તે દેહનૂ પોષ્ટમોર્ટમ રાત્રે દસ વાગ્યે થયું. લાશના કપડાંમાથી કોઇ ચિહ્મ કે નિશાન ના મળતા પોલીસને તેની ઓળખવિધિ એક માથાનો દુખાવો બની ગઇ હતી તેથી તે ફોટો ગ્રાફ અને સમાચાર નજીકના પોલીસ સ્ટેશનોમાં અપાઇ અને છાપાઓમા જાહેરાત અપાઇ.છાપાના રીપોર્ટરો અકસ્માતની જગ્યાએ કોઇ વધુ સગડ મળે તે હેતુથી ખાંખા ખોળા કરતા હતા. લોહી જે રીતે પ્રસરેલૂ હતુ તેનાથી એક વાત તો સ્પષ્ટ હતીકે મૃતક ૫૦થી ૬૦ ફુટ ટ્રેન સાથે ઘસડાયો હતો અને તે સમય દરમ્યાન તેના શરીરે જે દર્દ વેઠયુ હશે..ચીસ પાડી હશે જીવ બચાવવા ફાંફા માર્યા હશે એ બધી કલ્પના કરતા ધ્રુજી જવાતુ હતુ.

સવારના પ્રભાતમાં ફોન આવ્યો અને એ સમાચાર વિશે પુછપરછ થઇ.ફોન કરનાર તે અભાગીના પિતા ચંદુભાઇ હતા અને લાશ ક્યાં હશે અને એ મેળવવા શુ કરવાનુ બાબતે પુછયુ સીવિલ હોસ્પીટલમાંથી લાશની ઓળખ આપી ચંદુભાઇ કપાયેલ અંગોનું પેાટલુ શબવાહીનીમાં ઘરે લાવ્યા બાદ છુટ્ટે મોઢે રડયા.”કપિલ આ તને શું સુજ્યુ..”

સોસાયટીનો આડોશ પાડોશ, સગા વ્હાલા અને ટોળે મળેલ સૌએ અંતિમ યાત્રાની તૈયારી કરી ત્યારે આ થાકથી બેવડ વળી ગયેલ ચંદુભાઈ લગભગ બેભાન બની ગયા હતા રામ બોલો ભાઇ રામની ધુન સાથે રડતાં મા બાપને ઘરમાં રાખીને ડાઘુઓ સ્મશાન તરફ વળ્યા.જુવાન કમોત એટલે માબાપને માટે તો હાથમાં અવેલ કોળીયો ગુમાવવાનો.. પણ કહે છે ને દુઃખનુ ઓસડ દહાડા..

વેકેશન પુરુ થયૂ અને પોલીટેકનીક કોલેજમાંથી અને હોસ્ટેલમાંથી પાછો આવ્યા હતા તેથી કપિલનૂ ડેથ સર્ટીફકેિટ લઇને ચંદુભાઇ વડોદરા ગયા.આર્કીટેક કોલેજમાં કપિલ જે વર્ગમાં ભણતો હતો તે વર્ગમાં ૪૫ છોકરા અને ૪ છોકરીઓ ભણતી અને દરેકને જ્યારે કપિલની આત્મહત્યાના સમાચાર મળ્યા ત્યારે આંચકો લાગ્યો.કપિલની ખુબજ વ્યવસ્થિત અને હોંશિયાર વિદ્યાર્થીની છાપ હતી. કોઇના માનવામાં આવતુ નહોંતું કે તેણે આમ કેમ કર્યુ હશે. વર્ગના બધા વિદ્યાર્થીઓની આંખોમાં તેને ગુમાવ્યાનો અફસોસ દેખાતો હતો.

હોસ્ટેલમાં તેનો રૂમ ખાલી કરતી વખતે તેનો રુમ પાર્ટનર કંદર્પ ચા બનાવતા બોલ્યો ગોવાની ટુરમાંથી પાછા આવ્યા પછી તે ભણી શકતો નહોંતો. તો શું ગોવામાં કંઇ બન્યુ હતુ? ચંદુભાઇ એ સહજ રીતે પુછયુ. હું તો નહોતો ગયો પણ શાલુને પુછી જોઇએ તે ગોવાની એજ્યુકેશન ટુરમાં ગઇ હતી. શાલુને તેડુ થયુ અને શાલુએ સ્પષ્ટ કહ્યુ ગોવામાંતો કશુ થયુ નહોંતુ પણ તેના માર્ક ઓછા આવ્યા હતા તેથી થોડોક નિરાશ રહેતો હતો. કંદર્પ તે વખતે ચા બનાવતો હતો અને તે આદુ લેવા બાજુના રુમમાં ગયો ત્યારે એક ચબરખીમાં ફોન નૃબર લખી હાથમાં આપી હાથથી ઇશારો કર્યો ૪ વાગે ફોન કરજો.ચંદુભાઇ ને લાગ્યુ કે કંદર્પ અને શાલુ વચ્ચે અણબનાવ હશે તેથી ચબરખી ગજવામાં મુકી અને તેઓ હોસ્ટેલમાંથી નીકળી હેડક્લાર્ક મકરંદ જોષીને મળવા ગયા. જ્મવાનો સમય હતો તેથી મકરંદનાં આગ્રહથી મેસમાં જમવા ગયા મેસ કોન્ટ્રાક્ટર દીઘેએ મકરંદ સાથે આવતા કપિલનાં પિતાને બહુજ આદરથી આવકાર્યા અને બોલ્યો

“આપ કપિલનાં પિતાજી?”

” હા”. ચંદુભાઇએ જવાબ આપ્યો.

દીઘેએ વાત આગળ ચલાવતા કહ્યુ “કપિલ આત્મહત્યા કરે તે ચોંકાવનારી બાબત છે પણ સાહેબ એક વિનંતી કરું?” મકરંદભાઇ બોલ્યા

“દીઘે કપિલનુ બાકી ફુડબીલ ભરાઇ ગયુ છે તેની ચિંતા ના કરશો.” ચંદુભાઇ બોલ્યા

“ તે ચિંતા તો નથી પણ કપિલ અને અરુણા અહીં સાથે જમવા આવ્યાં હતાં ત્યારે કેટલાક શબ્દો કાને પડયા હતા તે તમને કહેવા છે.”

“આ અરુણા કોણ?” ચંદુભાઇનાં પ્રશ્વ્નનો જવાબ મકરંદભાઇએ આપ્યો.

”જલાલપોરની છોકરી જે કપિલ સાથે ભણતી અને એક વિષયમાં નબળી તેથી મેં જ કપિલને ટયુશન માટે ભલામણ કરેલી.અને કપિલને કહેલુ કે ટયુશનના પૈસા બહુ નહીં આપી શકે ત્યારે કપિલે કેટલો ઉમદા જવાબ આપ્યો હતો

“સરસ્વતિ તો મા છે તેનો વેપાર હું નથી કરતો પણ માનભેર મન મંદિરમાં રાખીને ઉન્નતિ પામવીછે.”

મકરંદની વાત આગળ ચાલી ત્રણ મહિના કપિલ પાસેથી મફત ટયુશન લીધા પછી આ ટર્મમાં તે દેખાઇ નથી, અને ત્યાં કપિલના આ માઠા સમાચાર આવ્યા. હેં ભગવાન ભલાઇનો કે સારા માણસનો તો જમાનો જ નથી. દીઘેએ ફરીથી વાતનુ સંધાન બાંધતા કહ્યું મેં તેમની બધી વાતો નહોંતી સાંભળી પણ અરુણા કપિલને લગ્ન માટે સમજાવતી હશે અને કપિલનો જવાબ મેં સાંભળ્યો. તે કહેતો હતો “તમે બ્રાદ્મણ અને અમે વાણિયા તેથી લગ્ન સંભવ નથી અને આ બધુ માબાપની સંમતિથી ભણી રહ્યા પછી વિચારવાનુ..”

કેટલો ઠરેલ અને વ્યવહારૂ ઉકેલ. હૂં તો આવા દિકરાને જોઇ ખુબજ રાજી થઉ.

ચંદુભાઇને થોડોક તાળો મળતો જણાયો કાંતો આ પેમ પ્રકરણ કે પછી ગૂંડાઓની બળજબરી તેમનુ મન વિહ્વળ થવા લાગ્યુ.ઘડિયાળમાં નજર કરી તો કાંટા ૨ વાગ્યા હોવાનુ સુચવતાં હતાં..મકરંદ અને દીઘેનૌ આભાર માનીને અજંપ મનથી કપિલના રુમને ખાલી કરી વડોદરાનુ છેલ્લુ કામ પતાવવા નીકળ્યા.

કંદર્પ રુમમાં હતો તેથી કપિલના ચોપડા કપડા અને સામાન બેગમાં ભર્યો અને બહાર નીકળ્યા. ક્ંદર્પ સાથે આવ્યો અને રીક્ષાની રાહ જોતા ઉભા હતા ત્યારે ચંદુભાઇએ કૃદર્પને પુછયુ

“તુ કયા ગામનો?”

“ નવસારી પાસે જલાલપોર તો તુ અરુણાને ઓળખેં?”

“ હા તે અમારા ગામની”

તેના ઘરનો ફોન નંબર મળે?”

“ હા મળે પણ તે તો ગયા નાતાલ વેકેશનમાં સ્ટવ ફાટતાં અકસ્માત મૃત્યુ પામી.”

“ ખુબ ખોટું થયું.

ત્યાં રીક્ષા આવી જતા વાત પુરી કરી ચૃદુભાઇ રાવપુરા તેમના મિાને ત્યાં જવા રવાના થયા.હવે તેમને કપિલનાં પત્રોમાં આવતી ફરિયાદો જેવીકે ભણવામાં પાછળ પડી ગયોછું, ગમતુ નથી અને યાદશક્તિ ઘટી રહી છે જેવી વાતો સમજાવા માંડી.

બરોબર ૪નાં ટકોરે શાલુને ફોન કર્યો. તે કંદર્પની હાજરીમાં વાત નહોંતી કરવા માંગતી તેથી સમય લીધો હતો. તેની વાત સાવ સરળ હતી. અરુણા તેના કાકાની દીકરી અને કંદર્પને તેના કપિલ સાથે વધતા સબંધ પસંદ નહી તેથી તેણે અરુણાનાં ઘરે આ વાત વધારીને કહી હતી. તેથી નાતાલ વેકેશનમા ઘડિયાં લગ્ન લેવાયાં. લગ્નના બીજે દિવસે શાલુને બોલાવીને અરુણાએ એક ચિટ્ઠી કપિલને આપવા લખી.

કપીલ

હું જાઉં છું હવે ઉપર મળીશું.

અને બે જ કલાકમાં તેમણે કેરોસીન છાંટી આત્મ હત્યા કરી. છાપામાં અને પોલીસ સ્ટેશને સ્ટવ ફટયાની વાત થઇ અને કોલેજમાંથી નામ નીકળી ગયુ. કંદદર્પે કપિલને એટલુ જ જણાવ્યુ તેના લગ્ન થઇ ગયા તેથી ભણવામાંથી ઊઠાડી મુકી..મેં અરુણાબેનની ચિટ્ઠી બે મહીના સુધી ન આપી પણ કપીલની અસ્વસ્થતા અને બેચેનીમાંથી બહાર કાઢવા તે ચિટ્ઠી તેને આપી ત્યારે તે છુટ્ટા મોં એ ખુબજ રડયો અને બોલ્યો અરુણા તારુ કહેલુ મારે માનવુ જોઇતુ હતુ. ફોન ઉપર છેલ્લે રડતા રડતા શાલુ બોલી મને માફ કરજો અંકલ મેં કપિલને તે ચિટ્ઠી ન આપી હોત તો કદાચ..

(ગ્લોબલ ગુજરાત ન્યુઝ ની પ્રથમ વાર્તા સ્પર્ધામાં પ્રથમ વિજેતા)

સત્ય ઘટના ના આધારે

આજની વાત (૪)

March 31st, 2012

 આજની વાત

જે જે આજે બની રહ્યું છે

તે ગઇ કાલે વિચારેલ ઘટના કે સ્વપ્ન છે

આજે તો તે સત્ય થઇને ઘટી રહ્યું છે

તો આપણે તે માનવું જ રહ્યું કે તે સારું જ છે

અને જો તે બીન અનુકૂળ છે તો તે આપણી ક્ષતિ છે

આપણે તે ક્ષતિ સુધારી તો નહીં શકીયે

પણ આજથી

એવું જ વિચારીયે કે સ્વપ્નો સેવીયે કે

કાલે આઅપણ ને અનુકૂળ સર્વ મળે કારણ કે વિચાર અને સ્વપ્ન

એ બે જ તો માધ્યમ છે જગ નિયંતાને આપણા સ્વપ્નોથી વાકેફ કરવાના..

અને પિતા જેમ સંતાનની કાલી કાલી ભાષા સાંભળે.. સમજે .. માણે અને સ્વિકારીને

તમને યોગ્ય સર્વ આપે ..બની રહેલ ઘટનાની જેમ…

વિજય શાહ

છબીઃ દિલીપ ગજજર

આજની વાત (૩)

March 31st, 2012

સ્વપ્ન જોવા એ એક સારીવાત છે

પણ સ્વપ્નમાં રહેવું એ ખરાબ છે

સ્વપ્નમાંથી ઉઠી એ સ્વપ્ન માટે

જે મથે તે જરૂર સફળતાને વરે

ચઢતા અને લપસતા કરોળીયાને

ચકલીબેને ટોણો માર્યો તે સાંજે કરોળીયો

તેનું જાળુ ચકલીબેનના માળાથી પણ ઉપર

જાળુ રચીને બેઠા..તેથી તો કહ્યું છે ને

” એ રીતે જો માણ સો રાખી મનમાં ખંત

આળસ તજી મે’નત કરે પામે લાભ અનંત”

                  દલપત રામ

છબીઃ  દિલીપ ગજ્જર

આજની વાત-(૨)

March 31st, 2012

આજની વાત

રાત ગમગીન છે

પ્રિયજન દુઃખી છે

નિષ્ફળતા ઘેરી રહી છે

કોઇ રસ્તો મળી નથી રહ્યો

પ્રભુને ફરિયાદો કરવાને બદલે

મન શાંત કરીને

સવારની રાહ જોવી રહી

દરેકે રાત પછી ઉજ્વળ સવાર આવે તેમ જ

દરેક દુઃખો પછી સુખો આવે જ છે.

અને એવું વિચારવું જ રહ્યું કે

દુઃખ મોકલી ને પરમ પિતા નવા સુખો માટે

આપણું ઘડતર જ કરે છે.

વિજય શાહ

છબી –દિલીપ ગજ્જર

 

આજની વાત

March 31st, 2012

આજની વાત- વિજય શાહ

લોક વાયકા છે સફળ થવું હોય તો  નિશાન ઉંચુ હોવું જોઇએ.

મોટા ગજાનાં સપના જોવાની હિંમત હોવી જોઇએ.

હા પણ તે ઉપરાંત જરુરી છે

 તે સપના ને યોગ્ય થવાની લાયકાતની,

ત્યાં પહોંચવાનો થનગનાટ..પ્રયત્ન

અને કવચિત નિષ્ફળ થવાય તો

તે નિષ્ફળતાને પચાવી ફરી સફળ થવાનો સુયત્ન..

અને જો સફળ થયાને તો

 મિત્રોમાં અહોભાવ અને પ્રતિસ્પર્ધીમાં ઈર્ષા દેખાશે.

સાચો રસ્તો તો એ છે કે વડ જેવા બનો

મિત્ર કે પ્રતિસ્પર્ધીને સાથે રાખી સહિયારા પ્રયત્ન કરો..

વડવાઇઓમાં પણ ધગશ હોય છે નવું કરવાની..

અને નવા વડ બનવાની…

ઇર્ષા નહીં સહિયારા સપને આગળ વધીયે

એક મેક નાં ટેકે વિકસીયે ને ઝંઝાવાતોને પણ ખાળીયે

એકાંતે આવી યાદ તારી સજન

March 18th, 2012

આ કાવ્યનો રસાસ્વાદ તો ફક્ત એટલોજ કે  સજની ભૂતકાળે વહે છે અપેક્ષાઓ ઘણી છે ગુસ્સે છે. સાજન  આજમાં વહે છે અપેક્ષાઓનો ચશ્મો નથી રહ્યો અને વેઠી લે છે સૌ અને કહે છે ફક્ત અપેક્ષાનો ચશ્મો ઉતાર આવ આજમાં અને ચાલ મારી સાથે. સમય વહેતો જાય છે ગુસ્સો પીગળતો જાય છે અને રાતનાં એકાંતે સાજન ની યાદ પાછી આવે છે. સર્વ માન્ય આ કથા સૌના જીવને હોય છે વાત આગળ વધારવી હોય તો ઘણી વધે.. પણ અત્યારે આટલું જ…રીસાયેલી સજની સાજન ને કહે .. જરા તમેજ કલ્પના કરોને?

બાપાનું કારજ

January 30th, 2011

 

૯૫ વર્ષનાં કાંતીભાઇએ દેહ મુક્યો ત્યારે તેમની આખી લીલી વાડી હાજર હતી.૬ દીકરા ૩ દીકરીઓ તેટલીજ વહુઓ અને જમાઈઓ અને દરેક્ને ત્યાં બે પૌત્રો કે પૌત્રીઓ અને વળી મોટા ૩ દીકરાનાં પૌત્ર અને પૌત્રી ને ત્યાં બે બે પ્રપૌત્રો..અને બે આવવાનાં તેમ મળીને કુલ્લે ૬૦નું કુટુંબ અને તે સૌને માથે ૯૧ વર્ષનાં શાંતા બા..જોકે કાંતીકાકાની તબિયત તો રાતી ચોળ..ત્રણએક ચોકઠા બદલાવ્યા અને કાજુ બદામ અને સુકોમેવો તેમના ગજવામાં ભરેલો રહે..રોગ તો તેમને આખી જિંદગીમાં જોયેલો જ નહીં..હા શાંતાબા હોસ્પીટલમાં આવજા કરે..તેમને ખાંસી અને કફ્નું દરદ ઘર કરેલું.

શાંતાબાએ પોક મુકી અને તે જેટલું રડ્યા તે દરમ્યાન તેમની છોડીઓ મ્લાન થઇ. પોતાનું માણસ જાય એટલે દુઃખ તો થાયને…! મુંબઈથી કાંતીભાઇનો ભત્રીજો ફોન ઉપર થોડુંક રડ્યો પ્ણ કાકી સાથે વાત કરતાજ સ્વસ્થતા પકડી અને કહે “કાકી..કહો શું હુકમ..”
શાંતાકાકી બોલ્યા.”ભાઇ ગામ જઇને લાડવા વાલ અને ફૂલવડી કરાવો અને આખી નાતને ભેગી કરો.

મૉટો બગડ્યો.. “બા! જો તમે ગામમાં  નાત જમાડવાનું કહો તો હ્યુસ્ટન નું શું?” બીજા નંબરનો થોડો મોળો તેથી કહે બા.. નવા જમાનાની વાત તો એ છે કે એવા બધા ખર્ચ કરવાને બદલે જ્ઞાતની આર્થિક રીતે પછાત કુટુંબોને સખાવત કરો.
મોટી કહે પાંજરાપોળમાં જે કસાઇ જતા ઢોરોને, મુંગા જીવોને ગોળ ખવડાવો…આ જ્ઞાત હવે તમને શું કામ લાગશે? મુંબઇનો ફોન તો મુકાઇ ગયો પણ કાંતીકાકાનાં દેહની પાસે કાકા પાછળ શું કરવુ અને શું ના કરવુંની વાતે વેગ પકડ્યો Read the rest of this entry »

સિંહબાળ

December 6th, 2010

મારી અંદર હું વસુ
મને હસતો કે રડતો જોઇ
એ પણ હસે કે રડે

પણ જ્યારે મારામાંનો હું મારાથી જુદો થાય
ત્યારે ના મળે હાસ્ય કે રુદનની અનુભુતી
પણ જુદા થવાથી થાય કો’ અનન્યાનુભુતિ

રાગ અને દ્વેષ્નાં બંધનોથી બંધાયેલ
મારામાંનો હું જ્યારે મારામાંથી છુટો થાય
ત્યારે સમજાય મને કે
મારામાંની અનેક નબળાઇઓ તે ‘હું’માં નથી
ખરેખર તો હું
એ બાકર બચ્ચામાં ભુલું પડેલું સિંહબાળ
સિંહને ટોળાની શું જરુર?

મારા શરીરે કેદ થયેલો આતમરામ
જાગે અને એને સમજાય કે
આત્મા કર્તા નથી..ભોક્તા નથી..
એતો સિધ્ધ સ્વરૂપી અનંત પિતાનું સંતાન

ભુલું પડ્યુ બાકર બચ્ચા મહીં
એથી કરતો બેં..બેં..બેં..
I ને બદલે કરતો My..My..My..

મોંઘવારી હટાવો મહાયજ્ઞ –

September 23rd, 2010

 

 

તે સાંજે એડોલ્ફ ખુબ જ પરેશાન હતો. તેના કુટૂંબમાં જે ગણો તે હીલ્ડા અને એડોલ્ફ બે જ હતા.શીકાગોના પરામાં હીલ્ડાનું ઘર હતું -૩૦ ડીગ્રીની ઠંડીમાં ઘર ગરમ રાખવા વધારાના લાકડા આગદાનીમાં નાખતો અને હીલ્ડા ને કહેતો “મા તને હું કશું નહી થવા દઉ.” બે છેડા ભેગા કરવા ૧૮ કલાક  ત્રણ જુદા જુદા લીકર સ્ટોરમાં કામ કરતો.

હીલ્ડાને તો આ અમેરિકા દીઠ્ઠુય નહોંતું ગમતું..એનું આખું ય જીવન દક્ષીણ અમેરિકાનાં પેરુમાં ગયુ હતુ..એડોલ્ફ સૌથી નાનો તેથી તેને જીદ કરીને અમેરિકા લઈ આવ્યો હતો.

હીલ્ડાનો આ યંગ બેબી બોય બે વખત લગ્ન બંધનમાં ગોઠવાયો પણ દરેક્ને હીલ્ડા મા ના જોઇએ અને એડોલ્ફ કહે એ તો મારી સાથે જ રહેશે..હું કંઇ તેને નર્સીંગ હોમમાં ના મુકું..તેથી તેની વહુઓ તેને છોડીને જતી રહી, પણ એડોલ્ફ ના બદલાયો..ઊંમર વધતી ગઈ અને એક તબક્કે એડોલ્ફ અને તેની મામા પહેલા હાંસીનું અને પછી કરૂણાનૂ પાત્ર બની રહ્યા.

પેરુમાં ય હવે તો કોઇ રહયુ નહોતુ તેથી હીલ્ડાને એના એડી સિવાય કંઇ જ નહોંતુ.અમેરિકા આવ્યો ત્યારે તેને ખબર હતી કે મેડિકેર મળશે સોસીયલ સીક્યોરીટી મળશે અને સૌથી સરસ તો તબીબી વ્યવસ્થાઓ છે તે અને તેની માને સારી માવજત મળશે.

વરસો ઉપર વરસો ગયા..સોસીયલ સીક્યોરીટીની એલીજીબીલીટી હીલ્ડાની ઉંમર પ્રમાણે થઇ અને માજીને બાંધી આવકો શરુ થઇ..અને મેડીકેર મળતો થયો. એની જિંદગી એડી થી શરુ થાય અને એડી થી પુરી થાય.એડીનો બ્રેક ફાસ્ટ, લંચ અને સાંજે ડીનર. ઘર સાફ સફાઇ અને એડીનો ઇંતજાર…ટી.વી ઉપર મોટે ભાગે મારા મારી આવે તે જોવી હીલ્ડાને બીલકુલ ના ગમે.

પાંચેક વર્ષ પહેલા તેના ઘરે બ્રેક ઇન થયુ ત્યારે કાચ જડવા વાળાએ વણ માંગી સલાહ આપી હતી કે ઘરમાં રીવોલ્વર વસાવ..આ માજી આખો દિવસ એકલા હોય તો તે સારુ નહીંજો કે તે વખતે ઘર છોડી ને એપાર્ટ્મેંટમાં એડોલ્ફ રહેવા જતો રહ્યો હતો. પણ તેને માજી એકલા રહે તે ગમતુ તો નહોંતુ…પણ પગાર પણ ક્યાં વધતો હતો? અને આ કાળઝાળ મોંઘવારીમાં બે જણાએ કામ કરવુ પડે તે તબક્કામાં અઘરુ તો હતુ જ.. હીલ્ડા આવામાં પડી..તાબડતોબ હોસ્પીટલમાં તેને દાખલ કરી તેનો થાપો ભાંગી ગયો હતો અને સારવાર ૬ મહીના કરતા લાંબી થશે તેવુ ડોકટરનું કહેવુ હતુ.

રીસેશનમાં ત્રણમાંથી જે સારો પગાર આપતો હતો તે સ્ટોર વેચાઈ જવાનો છે અને નવા માલિકને સ્ટાફ ની જરુર નથી તે વાત આવતા તેને ટેન્શન તો થવાજ માંડ્યુ હતું

લીકર સ્ટોરનાં માલીકે તેને સ્ટોર ઉપર ગન આપી રાખી હતી.

સાંજના સમયે તેના ઉપર ફોન આવ્યો ડોક્ટર નેત બ્રુસ્ટરનો..કે મેડીકેર નાઅને મેડીકેડનાં કવરેજ પુરા થઇ ગયા હવે તે લોકો હીલ્ડાને એક દિવસ રાખી નહી શકે તેથી તેમને અમે સાંજે ૭.૦૦ વાગે મુકી જઇશુ.

ત્રીજી જોબ ઉપરના શેઠને કહ્યું આજે મામાને લેવા જઉં છું અને કાલે પેરુ જતો રહીશ. આમેય આ સ્ટોર વેચાવાનો હતો તેથી તેના શેઠે કોઇ પણ રક્ઝક વિના જવા દીધો. એડોલ્ફ સ્ટોરની ગન સંતાડીને સાથે લઇને નીકળ્યો.

સાત વાગે એમ્બ્યુલન્સ આવી નેત બ્રુસ્ટર તેની મામાને લઈ ઘરમાં દાખલ થયો…અને એડોલ્ફે પહેલી ગોળી છોડી મામા ઉપર.. બીજી નેત બ્રુસ્ટર ઉપર અને ત્રીજી પોતાની જાત ઉપર..કોઇ કશુ સમજે તે પહેલા મીનીટ નાં છઠા ભાગમાં ત્રણ દેહનાં રામ રમી ગયા.

પોલીસને એડોલ્ફ્નાં ટેબલ ઉપરથી ચીઠ્ઠી મળી હતી

મોંઘવારી…અસહ્ય મોંઘવારીમાં મામાને રીબાતી રાખવા કરતા હું તેમને મારી સાથે લઇ જઉ છું અને નેતનું તો મોત એટલે કરું છું કે મોંઘવારી અને બેરોજગારી જણતી આ સરકાર જાગે. યુધ્ધ કદી કોઇ વાતનું સમાધાન નથી હોતુ ત્યાં દેશનો સિપાહી મરે છે અને અહીં મારા અને મામા જેવાનાં આ દેશમાં સપના મરે છે.મેં જે કરવા ધાર્યુ છે તે રસ્તો જલદ છે..પણ આ પ્રશાસકોની કૂમ્ભકર્ણીય નીદ્રા તોડવા આ સચોટ હથિયાર થશે તેવી મારી શ્રધ્ધા છે.

નેત અને તેના કુટૂમ્બીજનો નો હું ગુનેગાર છુ. પણ કોઇકે તો શહિદ બનવું પડેને આ મોંઘવારી હટાવો મહાયજ્ઞનો

સત્ય ઘટનાના આધારે

હાથના કર્યા…

July 31st, 2010

http://www.divyabhaskar.co.in/2009/10/03/images/raj411.jpg

ઉમંગ ઘણા સમયે આવ્યો. આમતો દુરનો પિત્રાઇ ભાઇ પણ એક સરખી ઉંમર એટલે મૈત્રી પણ ઠીક ઠીક…મેં એની સાથે પાછલા સમયની ઘણી વાતો કરી અને એક વાત પર તે ખુબ જ આર્દ્ર બની જતો જોયો..અને તે જ્યારે પણ તેની બા ના મૃત્યુનો ઉલ્લેખ આવે ત્યારે તેની આંખો ભરાઈ જતી.

મેં આ વખતે તેને રડવા દીધો. સ્વાતી પાણી આપી ગઈ પછી સ્વસ્થ કરતા કહ્યુ.. “અરે ભાઈ કલાકાકીએ તો પુરી જિંદગી જોઇ છે.. લીલી વાડી મુકીને ગયા છે. અને અમરપટો લઈને કોણ ક્યારેય આવ્યુ છે?”

મારી વાત સાંભળીને તે ફરી ડુસકે ચઢ્યો…

થૉડાક સમય પછી તે બોલ્યો..”ભાઈ! મારી જગ્યાએ મારી મા હોત તો આ નિર્ણય ના લેત એમ વિચારી વિચારીને મને રડવુ આવે છે.”

“એટલે?”

“…..”

“મને સમજાયુ નહિ…”

“મારી મા કોમામાં હતી. અને મેં તે વધુ રીબાય નહિ તેથી ડોક્ટરોના કહેવા મુજબ તેની ઓક્ષીજન ટ્યુબ ખેંચી નાખી હતી. .”

” અર..ર..ર..ર” મારાથી અને સ્વાતી થી એક સાથે નિઃસાસો નીકળી ગયો…

ઉમંગ અમારી સામે જોઇ ના શક્યો..તેનું રુદન વધુ ને વધુ હીબકા ભરતુ હતુ.

તે આગળ બોલ્યો..ડોક્ટરે જ્યારે આશા ના બતાવી ત્યારે તેમનો મને આ દયામૃત્યુ યોગ્ય અને વ્યવહારીક લાગ્યુ હતુ…પણ જેમ જેમ સમય વીતતો જાય છે તેમ મને એવા ભાવ બળવત્તર થતો જાય છે કે તે કામ કરીને હું સ્વાર્થી વધુ થયો હતો.. અને ખાસ તો જ્યારે જ્યારે કોમામાંથી પાછા ફરેલા ઉદાહરણો વિશે જાણુ છું ત્યારે તો મને એમજ થાય છે કે જો હું એની જગ્યાએ હોત તો અને તેઓ મારી જગ્યાએ હોત તો તેઓ આવું ના જ કરત…

ઉમંગ તો જતો રહ્યો પણ અમને વિચારમાં મુકી ગયો…

સ્વાતી કહે “ઉમંગભાઇએ આટલો બધો ગુનાનો ભાવ ન રાખવો જોઇએ..જે થયુ તે ન થવાનુ થોડુ હતુ?”

મેં સ્વાતીને કહ્યુ “આ મા એ તેને બહુજ જીવની જેમ સાચવ્યો હતો..તે માને દયામૃત્યુ આપવાનું તે નિમિત્ત બન્યો..તે ગુનાભાવ કરતા તેનો માતૃપ્રેમ તેને વધુ રડાવે છે.”

સ્વાતી કહે..”દયામૃત્યુ? ઉષાને હું જાણુને..તેણે જ ઉમંગને ચઢાવ્યો હશે..કલાકાકીનો દલ્લો જ તેમનો વેરી બન્યો..”

મેં સ્વિકાર અસ્વિકારની અસંમજસમાં જોરથી માથુ ધુણાવ્યું…

પછીની વાત તો બહુ લાંબી છે પણ કુદરતની લાકડી ક્યાં અને કેવી રીતે પડે છે તે સમજાવતી ઘટના બની…ઉષાને તેના એકના એક દીકરાએ મધરાતે તેને ઘરમાંથી કાઢી મુકી ત્યારે પાગલખાનામાં ઉમંગ ખડ્ખડાટ હસતો હતો અને મને કેમ એવુ સંભળાતુ હતુ જાણે ઉમંગ બોલતો ન હોય કે…”મા જે હું ન કરી શક્યો તે કુદરત કરે છે…હાથના કર્યા હૈયે વાગે જ છે.”

સંત શ્રી મોરારી બાપુ નાં હસ્તે નિવૃત્ત જીવન જીવવાની માર્ગદર્શિકા “નિવૃત્તિની પ્રવૃતિ”નું વિમોચન થયું.

July 13th, 2010

 

</strong

 છબી સૌજન્યઃ મોના નાયક “ઉર્મી” 

(તસ્વીરમાં શ્રી  અંકીત ત્રિવેદી પુસ્તક પરિચય આપે છે અને બાપુ પુસ્તક વિમોચન કરી રહેલ છે. શ્રી રામ ગઢવી, ચંદ્રકાંત શાહ, વિજય શાહ અને હરિકૃષ્ણ મજમુદાર પુસ્તક વિમોચન નિહાળી રહ્યા છે)

ગુજરાતી લીટરરી અકાદમી  ઓફ  નોર્થ અમેરીકા દ્વારા યોજાયેલ સ્વર્ણીમ ગુજરાત ઉત્સવ ની વિદેશ યાત્રા ના  અન્વયે ઉજ્વાતા સાહિત્ય સત્સંગ અને રામ કથામાં સંત શ્રી મોરારી બાપુ નાં હસ્તે તા.૭/૭/૨૦૧૦ ના રોજ નિવૃત્ત જીવન જીવવાની માર્ગદર્શિકા “નિવૃત્તિની પ્રવૃતિ”નું વિમોચન થયું.

લગભગ ૨૦૦૦થી વધુ શ્રોતાજનોને સંબોધતા  શ્રી અંકીત ત્રિવેદીએ પુસ્તકનો અલ્પ પરિચય આપી ૯૧ વર્ષના કેલીફોર્નીયા થી પધારેલ શ્રી હરીક્રિષ્ણ મજમુદાર અને હ્યુસ્ટનથી પધારેલ શ્રી વિજય શાહ નો પરિચય આપ્યો.  

ગુજરાતી લીટરરી અકાદમી ના પ્રમુખ શ્રી રામ ગઢવી અને ઉપપ્રમુખ શ્રી ચંદુકાંત શાહ માનપુર્વક બંને અતિથિઓને બાપુ પાસે લઇ જઈ બાપુ દ્વારા થતા આ વિમોચનને સહાયભુત થયા. સાંજે સંપૂર્ણ મૌન સેવતા બાપુએ પુસ્તક વિમોચન કરી  પુસ્તક સમગ્ર જન સમુદાયને બતાવ્યુ.

અમેરિકાનાં ઓથર હાઉસ દ્વારા પ્રસિધ્ધ થયેલુ આ પ્રથમ ગુજરાતી પુસ્તક છે જેમાં નિવૃત જીવનને પ્રવૃતિમય બનાવવાના વ્યવહારીક અને પ્રેરક કીમિયા છે. આકર્ષક કવરમાં બહુરંગી તસ્વીરો સાથે મોટા ટાઇપમાં એસીડ ફ્રી કાગળ પર છપાયેલુ પુસ્તક ભેટ આપવા માટે ઉત્તમ છે. ૧૮૪ પાના અને ૮ X  ૮ ની સાઇઝમાં છપાયેલ આ પુસ્તક દરેક પુસ્તક વેચતી વેબ સાઈટ જેવી કે એમેઝોન અને બાર્ન્સ એન્ડ નોબલ પર પ્રાપ્ય છે. વિશ્વભરમાં આ પુસ્તકનું વિતરણ ઓથર હાઉસ.કોમ દ્વારા થાય છે. તેમનો સંપર્ક નં ૧-૮૮૮-૨૮૦-૭૭૧૫ એક્ષ્ટેન્શન ૫૦૨૨ છે. 

પુસ્તક્ની વધુ વિગતો માટે વાંચો ગિરીશ પરીખનો લેખ “દરેકે વાંચન, ચિંતન અને આચરણ કરવા જેવું રસમય પુસ્તક”

દરેકે વાંચન

રેડીઓ “સુર સંવાદ” -સીડનીમા “નિવૃત્તિની પ્રવૃતિ” પુસ્તક વિશે વાર્તાલાપ

July 4th, 2010

 

ટેક્નોલોજી એ વિશ્વને સાવ નાનુ બનાવ્યુ છે તેનો પ્રત્યક્ષ ઉદાહરણ છે રેડિઓ “સુર સંવાદ” -સીડની પર “નિવૃત્તિની પ્રવૃતિ” પુસ્તક વિશે વાર્તાલાપ.

આરાધના બહેન સીડનીમાં (ઓસ્ટ્રેલીયા), હું હ્યુસ્ટન (યુ. એસ.એ.) અને હરિક્રિષ્ણભાઇ પાલો અલ્ટોમાં (યુ.એસ.એ.) અને સર્જાય છે ટેલીફોનીક વાર્તાલાપ “નિવૃત્તિની પ્રવૃત્તિ” પુસ્તક ઉપર.

તો સાંભળો આ તક્નીકી ચમત્કાર કે જ્યાં કોઈ પ્લેનમાં બેઠુ નથી અને ચાલ્યુ છે તક્નીકી જહાજ.

આ કાર્યક્રમ ૪ થી જુલાઇ એ ૩ થી ૪ ની વચ્ચે પ્રસારીત થયેલો આ વાર્તાલાપનું બ્રોડકાસ્ટીંગ સ્પષ્ટ અને સુંદર હતુ.

આપ આ લીંક ક્લીક કરશો અને તે સાંભળી શકશો રેડિઓ “સુર સંવાદ” -સીડનીમાં “નિવૃત્તિની પ્રવૃતિ”  પુસ્તક વિશે વાર્તાલાપ.

(આ પુસ્તક દરેક પુસ્તક  વેબ સાઈટ જેવીકે એમેઝોન, બર્ન્સ અને નોબ્લ્સ પરથી ખરીદી શકાય છે. સૌથી કિફાયતી ભાવ ઓથર હાઉસ ની વેબ સાઈટ ઉપર છે તેમનો સંપર્ક નંબર છે 1-888-280-7715 Ext 5022)

Speakbidas -Interview

June 30th, 2010


 

http://www.youtube.com/watch?v=qEguFN79c4Q

http://www.youtube.com/watch?v=cKvZc_lvpH0

http://www.youtube.com/watch?v=sYC8XoStZXE

“ફરી પાછુ એજ પ્રશ્નાર્થ ચિન્હ?” અને “વૃત્ત એક અને વૃતાંત અનેક” પુસ્તક સ્વરુપે..

June 15th, 2010

fari pachhu e j prashnarth chinh (Repaired)

વેબ પર મુકાયેલી સર્વે વાર્તાઓ પુસ્તક સ્વરુપે માણો…

Terrific Twoliners…Dr MJ Kapadia

March 16th, 2010
  •  When Snake is alive, Snake eats Ants. When Snake is dead, Ants eat Snake.
    Time can turn at any time. Don’t neglect anyone in your life…….. …
  • Never make the same mistake twice, There are so many new ones,
    Try a different one each day. 
  •  A good way to change someone’s attitude is to change our own.
    Because, the same sun melts butter, also hardens clay!
    Life is as we think, so think beautifully. 
  •  Life is just like a sea, we are moving without end.
    Nothing stays with us,
    what remain is just the memories of some people who touched us as Waves.
  • Whenever you want to know how rich you are? Never count your currency,
    just try to Drop a Tear and count how many hands reach out to WIPE that- that is true richness.
     Heart tells the eyes see less, because you see and I suffer lot.
    Eyes replied, feel less because you feel and I cry a lot.
  • Never change your originality for the sake of others,
    because no one can play your role better than you.
    So be yourself, because whatever you are, YOU are the best. 
  • Baby mosquito came back after 1st time flying.
    His dad asked him “How do you feel?”
    He replied “It was wonderful, Everyone was clapping for me!”
    That’s what I call Positive Attitude………..
  • વહી જાયે ઉતાર બધા

    March 11th, 2010

    જિંદગીની રાહ પર છે ઉતાર ચઢાવ ઘણા
    માનો તો દરેક ઉતાર પર ચઢાવ છે ઘણા
    દરેક ચઢાવો લાવે મનભાવન સુખો ઘણા
    જે માણતા માણતા વહી જાયે ઉતાર બધા.

    સજન

    February 4th, 2010

    જા ને લુચ્ચા સજન love you
    જા ને લાગણીઓથી તરબતર સજન

    એક આંખે રડાવે Love you
    પ્રાણથી અધિક વહાલોથી ભરેલ સજન

    બીજી આંખે હસાવે Love you
    મારા ચિત્તનો ચિત્તચોર પ્રેમાળ સજન

    જાને જુઠ્ઠા સજન love you
    ઉત્તમ સંવેદનો ને સમજથી ઠરેલ સજન

    જા ને કહું પણ ના જા Love you
    તારા પ્રેમનો કેવો જાદુ ઓ મારા સજન

    અન્નજળ

    December 20th, 2009

    જ્યારે મળ્યા આપણે

    પહેલી વખત

    નયને હતું હાસ્ય અને રુડુ કાજળ

      છુટા પડ્યા આજે

     જ્યારે ત્યારે સજળ  નયનો  કહેતા

    પુરા થયા હવે અન્નજળ

    મિલન એ પ્રેમી અને પ્રેમીકાનુંજ હોય તે વાત ભૌતિક સ્તરે કદાચ સાચી હોય..પણ આત્મા અને પરમાત્મા વચ્ચે  મિલન માટે પણ અન્નજળનું (કર્મજ્ઞાન)કોઇ મહત્વ હોય તે ઘટના માં આત્માનું રુદન આવુંજ હોય તે સમજી શકાય.

    મારી શકુનુ શુ થશે?

    November 22nd, 2009

        

    મેઇલબોક્સમાંથી મેલનો થોકડો લઇને હરેશ ઘરમાં પેઠો.બાથરુમમાં ફ્રેશ થવા ગયો.અને,તેની પત્ની ચા બનાવવા રસોડામાં પેઠી.મેલનો થોકડો અને ચા લઇને એણે રીડીંગરુમમાં મૂક્યાં.ફ્રેશ થઇને તે ચા પીતાં પીતાં આજની મેલ જોવા લાગ્યો.અચાનક પેનથી લખાયેલ સરનામાવાળા એક મોટાં પરબીડીયા પર તેની નજર પડી.કૌતુકવશ તેણે તે ઉપાડ્યું.સામાન્ય અહીં મેલ ટાઇપ કરેલ સરનામા સાથે હોય છે.મોકલનારનું નામ જોઇ એનું આશ્ચ્રર્ય વધી ગયું-નકુળ.અઠવાડિયામાં બે-ત્રણ વાર મળનાર એનો નિ:સંતાન મિત્ર.પણ, એને ફૉન કરી શકતો હતો કે રુબરુ વાત કરી શકતો હતો.આ પત્ર લખીને સસ્પેંસ ઉભું કરવાની શી જરુર હતી?એને થોડો ગભરાટ થયો.થોડી શંકાસહિત એણે પત્ર ખોલ્યો.

            હરેશના સંબોધનથી શરુ થયેલ આ પત્રમાં,પોતાને શું સંબોધન કરવું તેનાથી શરુઆત થઇ.આજ સુધી તો આવી જરુર જ ન પડી હતી.એકબીજાને ગાળો દઇ,અને પછી ,શ્રીહરિ જેવાં શબ્દો બોલી મુલાકાત અને વિદાય થતી.આજે નકુળે પત્ર લખવાની શી જરુર પડી? શંકાના વાદળો ઘેરાં થતાં ચાલ્યા.અને પત્ર આગળ વંચાયો.

     ”एक दिन मीट जायेगा….”ની કડીઓ પુરી થઇ.મુરખ! એવા તો શું કામ કર્યા છે,કે દુનિયા તને યાદ રાખે.  હાહાહા વાંચતા રહસ્ય પરાકાષ્ઠાએ પહોંચ્યું.હરેશને લાગ્યું કે નકુળ એની સામે આવીને ઉભો છે.

    પત્ર લખવાની શી જરુર હતી?ફૉન કર્યો હોત કે રુબરુ વાત કરતે ને?” Read the rest of this entry »

    નિરાશાની પળ-it is just a bend, not the end -E mail from V M Bhonde

    October 30th, 2009

    depressed

    Often when we lose all the hope and think this is the end.
    God smiles from above and says
    “Relax guys, it is just a bend, not the end”.

    We will have a helping hand in one way or other
    it we who have to explore that adventure

    પ્રભુ એ પરમ તત્વ ને પામેલ એક વખતે આપણી જેમજ શ્વસતા જીવતા માણસ હતા.

    તે પરમ તત્વ ક્યારે અને કેવી રીતે પામ્યા તે તો ઇતિહાસવિદો, અચાર્યો અને ધર્મ પુસ્તકો કહેતા હોય છે

    મારી સામાન્ય બુધ્ધી એમ કહે છે કે Read the rest of this entry »

    દિવાળી આવે ને સૌનાં દિ’ વાળે

    October 15th, 2009

    www.arzoomag.com/tag/diwali/

    જ્યાં અંધકાર ત્યાં આવે પ્રકાશ
    જ્યાં ઉદાસીનતા ત્યાં થાયે હાશ
    જયાં રૂદન ત્યાં પ્રગટે હાસ્ય
    દિવાળી આવે ને સૌના દિ’ વાળે
    તેવી સૌને અમારી શુભ આશ

    વિચાર વિસ્તાર

    October 8th, 2009

    બિયું પોતાને ફોડે પછી ઝાડ થાય.

    પોતાને ગોંધીને રાખેને ઈ તો ભાઈ વાડ થાય

                                                -મહેશ શાહ

    હીના બહેન પારેખે તેમના બ્લોગ ઉપર આજે મુકેલ આ કાવ્યનું મુખડુ ખુબ જ સચોટ જણાયું…વાહ ભાઇ વાહ

     

     

    જાત વિનાની જાત્રા ખોટી કે

     આપ સમાન બળ નહી કે તેજ પ્રકારની

    અનેક વાતોનુ નવુ સ્વરુપ

    બિયું પોતાને ફોડે પછી ઝાડ થાય.

     

    મા બાપને ભુલશો નહીં -ઇ મેલ પ્રફુલ્લ કક્કડ

    September 29th, 2009

     

    http://www.youtube.com/watch?v=-TRVsFS4geI&feature=related

    http://www.youtube.com/watch?v=n_FDqY5zYJc&NR=1

    આ રજુઆતને સાંભળ્યા અને જોયા પછી જો આંખ ન ભીંજાય તો તેનો જન્મારો નિષ્ફળ જ ગયો તેમ જ સમજવું

    Boss, આ ગુજરાત છે ! ઇ-મેલ પરાગ મહેતા

    August 28th, 2009

     
    અહીં પ્રેમ કેરો સાદ છે
    પ્રભુજીનો પ્રસાદ છે
    ને પ્રકૃતિનો વરસાદ છે !
    Boss, આ ગુજરાત છે !
     
    અહીં નર્મદાનાં નીર છે
    માખણ અને પનીર છે
    ને ઊજળું તકદીર છે !
    Yes, આ ગુજરાત છે !
     
    અહીં ગરબા-રાસ છે
    વળી જ્ઞાનનો ઉજાસ છે
    ને સોનેરી પરભાત છે
    અલ્યા, આ ગુજરાત છે !
     
    અહીં ભોજનમાં ખીર છે
    સંસ્કારમાં ખમીર છે
    ને પ્રજા શૂરવીર છે !
    કેવું આ ગુજરાત છે !
     
    અહીં વિકાસની વાત છે
    સાધુઓની જમાત છે
    ને સઘળી નાત-જાત છે
    યાર, આ ગુજરાત છે !
     
    અહીં પર્વોનો પ્રાસ છે
    તીર્થો તણો પ્રવાસ છે
    ને શૌર્યનો સહવાસ છે !
    દોસ્ત, આ ગુજરાત છે !

    __________________________________________________________

    ભાભો ભારમાં તો વહુ લાજમાં

    August 22nd, 2009

     

    bhabho bharma

    અર્ચના જયારે પરણી ને સાસરે આવી ત્યારે તેના વિચારો અને આદર્શો ખુબજ ઉંચા હતા. તે માનતી કે અવિનાશના માતા પિતા એ મારા માતાપિતાજ છે. એમની સંવા કરી એમની આંતરડી ઠારવી છે. એનાથી બાળકોને સંસ્કાર પણ પડે છે. તેથી જ નવી નવી જયારે ઘરમાં આવી ત્યારે બા તમે રહેવા દો. હું કરી નાખીશ. બાપુજી ઉઠો, ચા થઈ ગઈ. બા તમે મંદિર અને ધર્મ સંભાળો. ઘરમાં હવે હું બેઠી છું ને. બાપુજી બજારનું કામ હું કરી નાંખીશ તમે નિરાંતે નિવૃત્તિ માણો. જેવી કેટલીય મધમીઠી વાતો એની જીભ ઉપરથી નીતરતી રહેતી.
    અવિનાશ કયારેક કહેતો પણ ખરો – આ શું એમનાથી થાય તેટલું કામ કરવા દે –થોડુંક શરીર ચેતનવંતુ રહે તો તબિયત સારી રહે પણ અર્ચના કહેતી – “મા બાપને આપણે છોકરા – વહું હોઈએ એથી તો રાહત હોવી જોઈએ, ભાર રુપ નહીં.”

    અવિનાશ કહેતો – “તારી વાત ખરી છે પણ પછી આ આદત બનશે તો તને જ ભારે પડશે – એટલુ ધ્યાન રાખજે”.

    અર્ચના નો પ્રત્યુત્તર સાંભળવા જેવો હતો. “એમ તો કઈ થાય અને થાય તો પ્રેમથી સમજાવીશું. એટલે વાંધો નહી આવે !”

    અવિનાશ મન માં ખુશ થતો પણ છતાં પોતાની ફરજ બંને પક્ષે છે. તે સમજાવવા બોલ્યો. “જો અર્ચના કોઈ પણ વસ્તુ નો અતિરેક સારો નહીં. વહેવારુ બનીને રહીશ તો ઘરમાં અને આપણાં દાંપત્યમાં બંનેમાં શાંતિ રહેશે.”

    સમય વહેતો ચાલ્યો. બધુ તૈયાર ભાણે મળતું ચાલ્યું. પણ બધા દિવસો કંઈ સરખા થોડા જાય… માતૃત્વ ધારણ કર્યા પછી અર્ચના ધીમે ધીમે સાસુ સસરા તથા અવિનાશ તરફ હાથમાં આપતી ચીજો ઘટાડતી ગઈ. ખરુ પુછો તો એ પહોંચીજ વળતી ન હોતીં. કારણ કે નાની સરલી પણ. કયારેક દૂધ – કયારેક સ્નાન. કયારેક ગંદા કપડા કયારેક ભુખ જેવા કારણોમાં તેનો સમય માંગતી અને માણસનું શરીર કંઇ મશીન તો નથી જ… તેથી પેલી પડેલી આદતોમાં વિધ્નો આવતા ગયા. Read the rest of this entry »

    એમનો વંશ

    July 31st, 2009

    અને આક્રોશમાં ધારા પોકે ને પોકે રડી પડી. એને સમજ નહોંતી પડતી કે પ્રિયમ ને આટલુ સમજાવ્યા છતા પણ તે બા ની વાતોને જ કેમ વધારે મહત્વ આપતો હતો. બે છોકરી પછી પણ હજી એજ પુત્ર લાલસા..તેનામાં હવે સુવાવડ લેવાની તાકાત તો હતી જ નહીં. પ્રિયમ તેને સ્પંદીત કરવા મથે તો સ્પંદનો જન્મે તો ખરા પણ અજંપા, દુઃખ અને એકલતા ભરીતે સુવાવડની રાતો યાદ આવતાજ તે ઠરી જતી. પ્રિયમને મન ધારાનું દર્દ એ હંગામી ઘટના હતી પણ બાને રાજી રાખવા તે બધુ કરી છુટવા હરદમ તત્પર હતો..અને તે પણ માનતો કે વંશ ચલાવવા બા જે પુત્ર માટે આગ્રહ કરે છે તે લોકધારે પણ સાચો છે.

    પ્રિયમ પણ આમતો ત્રીજે ખોળે હતો તેથી બા માનતા કે ત્રીજુ સંતાન પુત્ર હશે…રાત પડે અને પ્રિયમનો મનગમતો સાથ શરીરનો થાક ઉતારતો પણ સુવાવડની ભીતિ અને ત્રીજી પણ પુત્રી થશે તો?નો કાલ્પનીક ભય ધારાને રડાવતો..તેના ગર્ભધારણ ન થાય તે પ્રયત્નોથી પ્રિયમ પણ ખીજવાતો અને એક પ્રકારની તાણથી ધારા પણ ત્રસ્ત રહેતી..પહેલી રાધા બીજી સ્વરા પ્રિયમની શીફ્ટ ની નોકરી અને પાછી ધારાની નોકરી તો ચાલુ જ્..જોકે બા ઘણું કરતા છતા અપેક્ષાઓનાં બે ચાર વાક્યોમાં જેવો વંશજનો ઉલ્લેખ આવે એટલે ધારાને તેના પપ્પા જે વાત કહેતા તે યાદ આવે. આજના જમાનામાં પુત્ર હોય કે પુત્રી બંને દરેક રીતે સમાન. પણ બાને આ વાક્ય પ્રિયમ કહી શકે ધારાથી થોડું કહેવાય? Read the rest of this entry »

    મનભાવન

    July 28th, 2009

    motabhai 016

     

    કોઇ ક્યાં હવે સાથે આવે છે

    ઘડી બે ઘડીની સૌ વાતો છે.

     

    જન્મ્યા જીવ્યા તે તો ઠીક!

    મૃત્યુની બીક બહુ  લાગે છે

      Read the rest of this entry »

    આપણે ગુજરાતીઓ ….. કેતન સુગંધ નો ઇ મેલ

    July 21st, 2009

    હોટેલમાં કોઈ ચા મંગાવે અને ચામાં માખી પડે તો શું થાય…. ?

    (1) ચોખ્ખાઈનો આગ્રહી બ્રિટિશર ચા પીધા વગર ભરેલો કપ તરછોડીને જતો રહે.

    (2) ‘કેર-ફ્રી’ સ્વભાવવાળો અમેરિકન ચામાંથી માખી કાઢી ચા પી જાય.

    (3) ‘ચાલુ’ સ્વભાવવાળો ઓસ્ટ્રેલિયન ચા ઢોળી કપ લઈને જતો રહે.

    (4) ‘ચિત્ર-વિચિત્ર’ ખાનારો ચીનો માખી ઊપાડીને ખાઈ જાય.

    આ સમયે એક ‘મહાન વ્યક્તિ’ ત્યાં હાજર હોય તો એ શું કરે ખબર છે? એ ‘મહાન’ વ્યક્તિ બ્રિટિશર પાસેથી તરછોડેલી ચાના પૈસા લે. એણે તરછોડેલી ચા અમેરિકનને વેચી દે, કપ ઓસ્ટ્રેલિયનને વેચી અને અને માખી ચીનાને વેચી દે! બધાના પૈસા ખિસ્સામાં મૂકી ઘર ભેગો થઈ જાય. આ સોલિડ ગણતરીબાજ મહાન વ્યક્તિ એટલે કોણ ખબર છે ? આ અદ્દભુત, જોરદાર મહાનુભાવ એટલે ‘ગુજરાતી’ !આખી દુનિયામાં ‘વર્લ્ડ બેસ્ટ વેપારી’નો જેને એવોર્ડ મળેલો છે, તે છે – હું, તમે અને આપણે બધા – ‘ગુજરાતીઓ’, પણ આપણે માત્ર વેપારી જ નથી, વેપારીથી પણ વિશેષ છીએ. આપણો સ્વભાવ, આપણી આદતો, આપણી ખાસિયતો આપણને બીજાથી નોખાં અને જુદાં બનાવે છે. તો ચાલો આપણે ગુજરાતીઓ કેવા છીએ એની ચર્ચા આજે એરણ ઉપર ચઢાવીએ. Read the rest of this entry »

    મારે શ્યામાને નથી ખોવી

    June 27th, 2009

    Shyamawww.flickr.com

    વાને શામળી તેથી શ્યામા તેના શ્યામ પાસે અને સાસરે હડધુત થયા કરે.. વળી દસ વર્ષનાં લાંબા દાંપત્ય જીવન પછી પણ નિઃસંતાન હોવાથી શ્યામ દારુની લતે ચઢ્યો. ભણેલી ગણેલી શ્યામા સફળતાથી ટ્યુશનનાં ક્લાસ ચલાવે અને શ્યામની લગભગ સમકક્ષ રહેતી તેથી શ્યામસુંદર ઠાકોરનો પારો હંમેશા ૧૦૨ ડીગ્રી પર રહે. અને પીન્નતમાં ગાળો ભાંડે- ”તુ કાળી જ્યારથી મારા જીવનમાં આવી ત્યારથી મારી જિંદગી મેશ કરી નાખી ” ” વાંઝણી તેં તો મારો વંશ કાઢી નાખ્યો” ” મારા જેટલુ કમાય છે તે કંઈ ઉપકાર નથી કરતી…તારા બાપનું ઘર ભરે છે..”

    પણ ક્યારેક જ્યારે શ્યામાએ સવારનાં ઉઠતાવેંત લીંબુ પાણી આપ્યુ હોય અને સરસ ચા બનાવી હોય્..ત્યારે પાછો માફી પણ માંગી લેતો શ્યામ બધી તકલીફોનું કારણ દારુ ઉપર ઢોળી રાતની બૂમાબૂમ અને ગાળોનો લગ્નજીવનમાંથી બાદબાકી પણ કરી લેતો. શ્યામા આ ઠાગા ઠૈયા કરી સરતા જીવનથી ખુશ તો નહોંતી પણ એ કરે તો શું કરે? તેના બા અને બાપુજીએ તેના નામે ઘર લીધુ ત્યારે શ્યામને ખબર નહોંતી..પણ જ્યારે ખબર પડી ત્યારે ઉઠીને તેના મકાનમાંથી શ્યામાનું નામ કાઢી નાની બેન અને ભાણીયાનું નામ દાખલ કરી દીધું. Read the rest of this entry »

    Why mother is always so special:

    June 27th, 2009

     

    When I came home in the rain ………..

    Brother asked “why didn’t you take an umbrella?”

    Sister advised, “Why didn’t you wait till rain stopped?”

    Father angrily warned, “only after getting cold, you will  realize.”
     
    But Mother, while drying my hair, said, “stupid rain !….Couldn’t it wait….till  my child came home ?”
     
    That’s Aai…….(Aapala…..ishwar)

    Thats Maâ (Our God)

    Powered By Indic IME