એક ઈ મેલ હમણા જોયો જેમા ગરુડની જીવન યાત્રા હતી.
ચાલીસ વર્ષ થી સીત્તેર વર્ષમાં ગરુડની ચાંચ વાંકી વળી જાય અને પગનાં પંજા જેનાથી શીકાર પકડાય છે તે ઢીલા પડી જાય છે અને પીંછા ભારે થતા જતા હોવાથી ઉડવાનુ અઘરુ થતુ જાય છે. આ તબક્કે તે એક એવો નિર્ણય્ કરે છે જ તેની જિંદગીમાં બીજા ત્રીસ વર્ષ ઉમેરે છે. તે નિર્ણય છે જુનુ ખંખેરો અને નવુ મેળવો..દુર ઉંચે શીખરે બેસી એક પછી એક ભારે પીંછા તોડી નાખે છે. વળી ગયેલી ચાંચ ઘસી ઘસીને તીણી કરેછે અને ફરીથી સક્ષમ નવા પીંછા ઉગે ખુલે તેની રાહ જુએ છે…પાંચ થી છ મહિનામાં ગરુડ નવા પીંછા સાથે બીજા ત્રીસ વર્ષ જીવી જાય છે.
સીત્તેર વર્ષે આપણે વધુ અને વધુ ભૂતકાળને વાગોળવાને બદલે ગરુડની જેમ પીંછા ખંખેરે તેમ ભૂતકાળને ખંખેરીયે તો નવુ જીવન મળે ને?