Category Archives: Uncategorized

Terrific Twoliners…Dr MJ Kapadia

  •  When Snake is alive, Snake eats Ants. When Snake is dead, Ants eat Snake.
    Time can turn at any time. Don’t neglect anyone in your life…….. …
  • Never make the same mistake twice, There are so many new ones,
    Try a different one each day. 
  •  A good way to change someone’s attitude is to change our own.
    Because, the same sun melts butter, also hardens clay!
    Life is as we think, so think beautifully. 
  •  Life is just like a sea, we are moving without end.
    Nothing stays with us,
    what remain is just the memories of some people who touched us as Waves.
  • Whenever you want to know how rich you are? Never count your currency,
    just try to Drop a Tear and count how many hands reach out to WIPE that- that is true richness.
     Heart tells the eyes see less, because you see and I suffer lot.
    Eyes replied, feel less because you feel and I cry a lot.
  • Never change your originality for the sake of others,
    because no one can play your role better than you.
    So be yourself, because whatever you are, YOU are the best. 
  • Baby mosquito came back after 1st time flying.
    His dad asked him “How do you feel?”
    He replied “It was wonderful, Everyone was clapping for me!”
    That’s what I call Positive Attitude………..
  • નિરાશાની પળ-it is just a bend, not the end -E mail from V M Bhonde

    depressed

    Often when we lose all the hope and think this is the end.
    God smiles from above and says
    “Relax guys, it is just a bend, not the end”.

    We will have a helping hand in one way or other
    it we who have to explore that adventure

    પ્રભુ એ પરમ તત્વ ને પામેલ એક વખતે આપણી જેમજ શ્વસતા જીવતા માણસ હતા.

    તે પરમ તત્વ ક્યારે અને કેવી રીતે પામ્યા તે તો ઇતિહાસવિદો, અચાર્યો અને ધર્મ પુસ્તકો કહેતા હોય છે

    મારી સામાન્ય બુધ્ધી એમ કહે છે કે Continue reading →

    દિવાળી આવે ને સૌનાં દિ’ વાળે

    www.arzoomag.com/tag/diwali/

    જ્યાં અંધકાર ત્યાં આવે પ્રકાશ
    જ્યાં ઉદાસીનતા ત્યાં થાયે હાશ
    જયાં રૂદન ત્યાં પ્રગટે હાસ્ય
    દિવાળી આવે ને સૌના દિ’ વાળે
    તેવી સૌને અમારી શુભ આશ

    Boss, આ ગુજરાત છે ! ઇ-મેલ પરાગ મહેતા

     
    અહીં પ્રેમ કેરો સાદ છે
    પ્રભુજીનો પ્રસાદ છે
    ને પ્રકૃતિનો વરસાદ છે !
    Boss, આ ગુજરાત છે !
     
    અહીં નર્મદાનાં નીર છે
    માખણ અને પનીર છે
    ને ઊજળું તકદીર છે !
    Yes, આ ગુજરાત છે !
     
    અહીં ગરબા-રાસ છે
    વળી જ્ઞાનનો ઉજાસ છે
    ને સોનેરી પરભાત છે
    અલ્યા, આ ગુજરાત છે !
     
    અહીં ભોજનમાં ખીર છે
    સંસ્કારમાં ખમીર છે
    ને પ્રજા શૂરવીર છે !
    કેવું આ ગુજરાત છે !
     
    અહીં વિકાસની વાત છે
    સાધુઓની જમાત છે
    ને સઘળી નાત-જાત છે
    યાર, આ ગુજરાત છે !
     
    અહીં પર્વોનો પ્રાસ છે
    તીર્થો તણો પ્રવાસ છે
    ને શૌર્યનો સહવાસ છે !
    દોસ્ત, આ ગુજરાત છે !

    __________________________________________________________

    મારે શ્યામાને નથી ખોવી

    Shyamawww.flickr.com

    વાને શામળી તેથી શ્યામા તેના શ્યામ પાસે અને સાસરે હડધુત થયા કરે.. વળી દસ વર્ષનાં લાંબા દાંપત્ય જીવન પછી પણ નિઃસંતાન હોવાથી શ્યામ દારુની લતે ચઢ્યો. ભણેલી ગણેલી શ્યામા સફળતાથી ટ્યુશનનાં ક્લાસ ચલાવે અને શ્યામની લગભગ સમકક્ષ રહેતી તેથી શ્યામસુંદર ઠાકોરનો પારો હંમેશા ૧૦૨ ડીગ્રી પર રહે. અને પીન્નતમાં ગાળો ભાંડે- ”તુ કાળી જ્યારથી મારા જીવનમાં આવી ત્યારથી મારી જિંદગી મેશ કરી નાખી ” ” વાંઝણી તેં તો મારો વંશ કાઢી નાખ્યો” ” મારા જેટલુ કમાય છે તે કંઈ ઉપકાર નથી કરતી…તારા બાપનું ઘર ભરે છે..”

    પણ ક્યારેક જ્યારે શ્યામાએ સવારનાં ઉઠતાવેંત લીંબુ પાણી આપ્યુ હોય અને સરસ ચા બનાવી હોય્..ત્યારે પાછો માફી પણ માંગી લેતો શ્યામ બધી તકલીફોનું કારણ દારુ ઉપર ઢોળી રાતની બૂમાબૂમ અને ગાળોનો લગ્નજીવનમાંથી બાદબાકી પણ કરી લેતો. શ્યામા આ ઠાગા ઠૈયા કરી સરતા જીવનથી ખુશ તો નહોંતી પણ એ કરે તો શું કરે? તેના બા અને બાપુજીએ તેના નામે ઘર લીધુ ત્યારે શ્યામને ખબર નહોંતી..પણ જ્યારે ખબર પડી ત્યારે ઉઠીને તેના મકાનમાંથી શ્યામાનું નામ કાઢી નાની બેન અને ભાણીયાનું નામ દાખલ કરી દીધું. Continue reading →

    ઝાંઝર-

      

    “ભાઈ હવે તુ મને મારી નાખ.. મારે હવે જીવવુ નથી…” જિંદગીની દોડમાં ૮૯ વર્ષનાં ત્રિભુવનદાસ નકારાત્મક મનોદશાની ઉંડી ગર્તામાં જઈ રહ્યા હતા. તેમનો ત્રીજો દિકરો રમેશ તેમને આ અકસ્માતને લીધે થયેલ શારીરિક જખ્મો અને તેને લીધે આવેલી હતાશામાંથી તેને બહાર કાઢવા મથી રહ્યો હતો.

    આજના શબ્દોથી તે ચોંક્યો અને પરાવર્તી ક્રિયા સ્વરુપે તે બોલ્યો ” અને હું પછી આખી જિંદગી જેલમાં જતો રહું કેમ ખરુને?” પણ તરત જ ભાન થયું કે બાપા તો હતાશામાં બોલે છે તેથી વિનમ્ર થઈ ને પાછુ વાક્ય અનુસંધાન કર્યુ… ” બાપા તમે તો અમારા જન્મ દાતા..અમારાથી તમને મૃત્યુ કેવી રીતે અપાય?  જરા શુભ શુભ બોલો..” Continue reading →

    નજર કરું ત્યાં નારાયણ-પુષ્પા વ્યાસ

    નજર કરું ત્યાં નારાયણ ને, હાથ ધરું ત્યાં હરિ,
    પગ મૂકું ત્યાં પુરુષોત્તમ ઘર, એ ઘરમાં હું ઠરી!

    હૈયાદૂબળી હું ને પાછી, મોઢે મોળી ખરી,
    દીવો પ્રગટ્યો ત્યાં તો, ટવરક-ટવરક વાતું કરી!

    ઘંટી, પાણી, વાસીદું ને, ચૂલો ઘરવરખરી,
    જ્યાં જ્યાં કામે લાગું ત્યાં ત્યાં મંદિર ને ઝાલરી!

    ભવખેતરને ખેડી રાખ્યું, કૂવો કાંઠા લગી,
    મેં તો વાવી જાર, પાક્યાં-મોતી ફાટું ભરી!

    અણસમજીમાં જે કંઈ વાવ્યું, બાવળ કે બોરડી,
    પાછું વળી જો ત્યાં તો આંબા ને મંજરી!

    પોથી, પુસ્તક, શાસ્ત્ર પુરાણે, સાવ જ કાચી ઠરી,
    ઢાઈ અક્ષર ધાગો કાઢું તેની તકલી ભરી!

    આંગણ વાવું કદંબિયો ને, ઘટમાં યમુના ભરી,
    પંડ અમારું વાંસલડી ને ફૂંક વાગશે ફરી!

    ( પુષ્પા વ્યાસ )
    http://heenaparekh.wordpress.com/2008/12/28/નજર-કરું-ત્યાં-નારાયણ/

    ભક્તિભાવથી છલકતું પ્રભુ ગાન જોઇ મન અતિ પ્રસન્ન થઇ ગયુ. મીરા જેવી ઉન્નત ભક્તિ ભાવ દર્શાવતુ આ ગીત ખરેખર ભગવાનમય થયા પછીની ઉત્કૃષ્ટ દશાનું વર્ણન કરે છે.

    સો વરસ જીવવુ છે?

    bald_eagle_2.jpg

    એક ઈ મેલ હમણા જોયો જેમા ગરુડની જીવન યાત્રા હતી.

    ચાલીસ વર્ષ થી સીત્તેર વર્ષમાં ગરુડની ચાંચ વાંકી વળી જાય અને પગનાં પંજા જેનાથી શીકાર પકડાય છે તે ઢીલા પડી જાય છે અને પીંછા ભારે થતા જતા હોવાથી ઉડવાનુ અઘરુ થતુ જાય છે. આ તબક્કે તે એક એવો નિર્ણય્ કરે છે જ તેની જિંદગીમાં બીજા ત્રીસ વર્ષ ઉમેરે છે. તે નિર્ણય છે જુનુ ખંખેરો અને નવુ મેળવો..દુર ઉંચે શીખરે બેસી એક પછી એક ભારે પીંછા તોડી નાખે છે. વળી ગયેલી ચાંચ ઘસી ઘસીને તીણી કરેછે અને ફરીથી સક્ષમ નવા પીંછા ઉગે ખુલે તેની રાહ જુએ છે…પાંચ થી છ મહિનામાં ગરુડ નવા પીંછા સાથે બીજા ત્રીસ વર્ષ જીવી જાય છે.

    સીત્તેર વર્ષે આપણે વધુ અને વધુ ભૂતકાળને વાગોળવાને બદલે ગરુડની જેમ પીંછા ખંખેરે તેમ ભૂતકાળને  ખંખેરીયે તો નવુ જીવન મળે ને?

    સાહિત્ય સંગમ એટલે લેખક અને વાચકનાં મિલનનું પહેલું સ્થળ

    5 10 2008

    મિત્રો..

    ગુજરાતી સાહિત્યને જીવંત રાખવા મથતા બ્લોગ જગતને શત શત વંદન..

    હજી પણ ઘણા ઘર છે જ્યાં વેબ -ઇંટર્નેટ અને કોમ્પ્યુટર સરળતા થી ઉપલબ્ધ નથી..ત્યાં મારા જેવા કેટલાય કવિ અને લેખકો પહોંચવા માંગે તો તેમને માટે માર્ગદર્શક બનવા કેટલીક માહીતિ હું આપ સૌ મિત્રો પાસેથી મેળવી પબ્લીશર અને નવોદીત કવિ અને લેખકોને અને વિશ્વભરના વાચકોને એક મંચ ઉપર લાવવા હું કટીબધ્ધ છું

    આપ લેખક છો?
    આપનુ પુસ્તક ક્યાં મળે છે?
    આપના પુસ્તકની મુખ્ય બાબતો જેવી કે તેનો પ્રકાર ( કાવ્ય સંગ્રહ, નવલીકા, નવલકથા, નિબંધ કે શૈક્ષણીક )
    પબ્લીશર વિશેની માહીતિ જેવી કે નામ સરનામુ અને સંપર્ક ( ટેલીફોન નંબર અને ઈમેલ જેવી માહીતિ)
    આપનો પ્રતિભાવ એક્ષેલમાં નીચે જણાવેલ ફોર્મેટમાં મોકલ્વા વિનંતી

    લેખક નું નામ્, પુસ્તક નું નામ,પુસ્તક નો પ્રકાર,પબ્લીશર,પ્રાપ્તિ સ્થાનસંપર્ક, નામ, ઇમેલ એડ્રેસ, કિંમત્ અન્ય જરૂરી માહીતિ

    આપ પુસ્તક વિક્રેતા છો?
    આપને ત્યાં જેટલાં પુસ્તકો છે તે વિશ્વભરમાં પહોંચે તેવું ઇચ્છો છો?
    આપનો પ્રતિભાવ એક્ષેલમાં નીચે જણાવેલ ફોર્મેટમાં મોકલ્વા વિનંતી
    લેખક નું નામ્, પુસ્તક નું નામ,પુસ્તક નો પ્રકાર,પબ્લીશર,પ્રાપ્તિ સ્થાનસંપર્ક, નામ, ઇમેલ એડ્રેસ, કિંમત્ અન્ય જરૂરી માહીતિ

    આપ વાચક છો?
    આપને આપની લાઈબ્રેરી સમૃધ્ધ બનાવવી છે?
    તે પુસ્તકો ક્યાં મળશે કેવી રીતે મળશે તે વિશે જાણવું છે? 

    આ પ્રકારનો ડેટાબેઝ વધુ અસરકારક ત્યારે પણ બને જ્યારે કેટલીક પબ્લીશીંગ કંપનીઓ તેમનુ શુચી પત્ર એક્ષેલ ફોર્મેટમાં મોકલે. ( અહી તેમનો ધંધાકીય હેતુ તો જાળવાશે પણ દેશ અને વિદેશમાં વસતા વાચકોને તેમની પાસે પહોંચવાનો એક પ્રયત્ન થશે).

    મને ખબર છે આ એક કઠીન કામ છે અને તે અત્યંત ચીવટ ભરેલું અને સમય માંગી લે તેવુ કામ છે પણ તે બ્લોગરો..લેખકો અને સૌથી વધુ વાચકોની સુવિધા વધારનારુ કામ છે. વિશ્વભરના વાચકોને ,વિશ્વભરની લાઈબ્રેરીઓને આજના સમયની તાતી જરૂરિયાત છે.

    હ્યુસ્ટનમાં ૨૦૦૬ માં જે રીતે પુસ્તક મેળાનુ આયોજન થયુ હતુ તેવુ આયોજન વિવિધ શહેરોમાં જે તે શહેરોનાં ગુજરાતી સમાજ કરી શકે તે માટે આ પ્રકારનો ડેટા બેઝ ખુબ અગત્યનો છે તેવુ સમજતા આ વિનંતી આપ સૌને કરી રહ્યો છું .

    મને યાદ છે મૃગેશભાઈએ (રીડ ગુજરાતી ડોટ કોમ્)આવુ એક સંકલન ગુજરાતી માસિકો અને પખવાડિકો માટે કર્યુ હતુ.. હું એજ કામ જરા મોટા પાયે કે જેમાં વિશ્વનાં વાચકો પાસે નવુ ઉપલબ્ધ સાહિત્ય  ક્યાંથી તે મેળવી શકાય વાળી ભુખ સંતોષવા મથુ છુ.ટુંકમાં વેબ ઉપર ફરતા વિશ્વના વાચકો તેમની રુચી મુજબનાં લેખકો, કવિઓ અને વાંચનને હાથ વગુ કરી શકે તેવો પ્રયાસ કરુ છું. આશા છે આપ સૌ ( લેખકો અને વાચકો) નો સહકાર મળશે.

    Better to be a Lion in your country – Email Courtsey Dr. M J kapadia

    In a poor zoo of India , a lion was frustrated as he was offered not more than 1 kg of meat a day.

    The lion thought its prayers were answered when one day a Dubai Zoo Manager visited the zoo and requested the zoo management to shift the lion to a Zoo in Dubai

    The lion was so happy and started thinking of a central A/c environment, a goat or two every day.

    On its first day after arrival, the lion was offered a big bag, sealed very nicely for breakfast. The lion opened it quickly but was shocked to see that it contained few bananas. The lion thought that may be they cared too much for him as they were worried about his stomach as he had recently shifted from India .

    The next day the same thing happened. On the third day again the same food bag of bananas was delivered.

    The lion was so furious; it stopped the delivery boy and blasted at him, dont you know I am the lion…king of the Jungle…, what’s wrong with your management? What nonsense is this? Why are you delivering bananas to me?’

    The delivery boy politely said, ‘Sir, I know you are the king of the jungle… but… you have been brought here on a monkey’s visa!!! ‘
    Moral of the Story…. *Better to be a Lion in your country than a Monkey elsewhere*

    એજ પ્રભુને પ્રાર્થના

    બા

    તમારા ગયા પછી તમારી નીકટતા વધી
    હજારો માઈલની દુરી હવે તો અનંતા થઈ

    મથ્યા કરું સ્મરણમાં ભુલવા તમારું મરણ
    ફોટો પણ બોલકો થઈ કરાવ્યા કરે સ્મરણ

    ઈચ્છિત ચુડી ચાંદલા સાથેનું મૃત્યુ વર્યા
     ને અમે સૌ તમારા વિના એકલા પડ્યા

    જાણીયે અમે કે મિથ્યા આ દુન્યવી વિલાપ
    છતા ના સમજાય કેમ જન્મ્યું તે જાય?

    છો તમે પ્રભુને ધામ, તે તો ઉત્તમ નિવાસ
    પામો પરમ શાંતિ અને પામો પરમ જ્ઞાન

    એજ પ્રભુને પ્રાર્થના
    એજ પ્રભુને પ્રાર્થના

     મા હયાત હોય ત્યારે મન એમને પુજતુ હોય પણ મૃત્યુ પછી તેને જોવા અને પામવા જંખતુ થાય. આ દુઃખદ પરિસ્થિતિ દરમ્યાન મળતા આશ્વાસનો ને સમાવતુ આ કાવ્ય મનને હંગામી રાહત જરુર આપે છે. છતા મન તો કહે કે મા એ શા માટે જવુ જોઈએ? અને સર્જાય છે

    જાણીયે અમે કે મિથ્યા આ દુન્યવી વિલાપ
    છતા ના સમજાય કેમ જન્મ્યું તે જાય?

    Do not pump full tank of petrol: Email Courtsey V M Bhonde

    Do not pump full tank of petrol

    Many of us are not aware that the petrol kiosk pump has a return pipe-line (in Pink ). When the petrol tank (in the car) reaches full level, there is a mechanism to trigger off the pump latch and at the same time a return-valve is opened (at the top of the pump station) to allow excess petrol to flow back into the sump. But the return petrol has already pass through the meter, meaning you are donating the petrol back to SHELL/CALTEX/MOBIL/ PETRONAS  

     image001.gif
    Pass this message onto your friends!!

    Believe it or not.

    Woman has Man in it; But in Man there is no Woman
    Mrs. has Mr . in it; But in Mr. there is no Mrs
    Female has Male in it; But in Male there is no Female
    She has  He in it; But in He there is no She
    Madam has Adam in it; but in Adam there is no Madam
    So Woman can understand Man very well,

     but Man…???

     How he can understand She?

    Inspiration: E mail from Dr Mayur J Kapadia

    ગુલામી હોય છે-હેમંત પૂણેકર

    12 06 2008

    મૂર્ખને મુક્તિ મળે, એ પણ નકામી હોય છે
    એની આઝાદી તો ઈચ્છાની ગુલામી હોય છે

    દૃશ્ય જે દેખાય છે, એવું જ છે, એવું નથી
    આપણી દૃષ્ટિમાં પણ ક્યારેક ખામી હોય છે

    આંખના કાંઠે તો બસ બે-ચાર બિન્દુ ઊભરે
    મનના દરિયે જ્યારે એક આખી ત્સુનામી હોય છે

    સૂર્ય શો હું, આથમીને, સત્ય એ સમજી શક્યો
    માત્ર ઉગતા સૂર્યને સૌની સલામી હોય છે

    નામ પાછળ જિંદગીભર દોડવું એળે જશે
    આખરે જે જાય છે એ તો “ન-નામી” હોય છે

    – હેમંત

    છંદ-વિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

    હેમંત પૂણેકર ના આ કાવ્યે મને જ્યારથી વાંચ્યું છે ત્યારથી હાથ ખેંચી ખેંચી લખાવા મથે છે. વિષય સરસ્, વિચારો સચોટ અને તરો તાજા પ્રતિકો મનને હલબલાવી દે…કોઈ વચલી વાત નહીં, કોઈ શબ્દાડંબર નહીં

    જરા વિચારો કે જે વિચાર જ્યારે પણ કહેવો હોય તેનૂં પુર્ણવિરામ સચોટ જેમ કે ત્સુનામી..સલામી, ન-નામી, ખામી કે ગુલામી. આઝાદી સાથે ગુલામી, દ્રશ્ય સાથે આંખની ખામી,  બેચાર આંસુ પણ પ્રતિક ત્સુનામીનું, આથ્મેલો સુરજ કહે સલામી તો ઉગતા સુરજને.. વાહ ભાઈ વાહ્

    અને છેલ્લો શેર તો ખુબ જ સચોટ છે આખી જિંદગી જે નામ પાછળ દ્દોડી દોડી થાકી જઈએ અને છેલ્લો શ્વાસ લીધો અને તરત તે નામ ન-નામી થઈ જાય્ તે નકામા જીવન ની દોડ  પરનું કવિ ચિંતન ખુબ જ સચોટ અને સંપૂર્ણ છે.

     જાણે કહેતા ના હોય કે

    ખાલી હાથે આવ્યોને જવાનો ખાલી હાથ્
    શું કામ આખેલ તમાશા અને આંસુ તમામ

    અભિનંદન અને સલામ હેમંતભાઈ!

    www.hemkavyo.wordpress.com

    કરપ્ટ જીવન ….. ચેતન ફ્રેમવાલા

    લાંચ તો લેતાં હશો, સાચ્ચું કહો !
    ને દગો દેતાં હશો, સાચ્ચું કહો!

    દેશને નુકશાન હો, તો મુજને શું?
    આવું પણ કે’તાં હશો, સાચ્ચું કહો !

    આંખ સામે છો નગર બળતું રહ્યું.
    આપ તો, છેટાં હશો સાચ્ચું કહો !

    લાગણી પણ ખેલ લાગે આપને.
    જડ બની રે’તાં હશો સાચ્ચું કહો.

    વીર સૈનિક ની શહીદી વેંચતાં,
    પાપીઓ ; નેતા હશો, સાચ્ચું કહો,

    છો ને જૂઠી જિંદગી, ચેતન મળી,
    આપ પણ એંઠાં હશો, સાચ્ચું કહો !

    હાલની કલયુગી જીંદગી સામે અરીસો બતાવવાની હીંમત કવિ એ દાખવી છે. ક્યાં રહી છે સત્ય કે નીતિની જરૂરીયાત્? સૌને આગળ વધવાની અને ભૌતિક સુખો માટે કરવુ પડે તે કરવાની તલપ લાગી છે. અને થોડુક નીતિમત્તા વાળુ જીવન ધર્મ કે વડિલો શીખવતા હશે ત્યારે તેને તમે તો પછાત છે એક્વીસમી સદીમાં તો ‘મારે તેની તલવાર’ નો જમાનો છે માનતા માણસોને ચેતનભાઈ કહે છે

    છો ને જૂઠી જિંદગી, ચેતન મળી,
    આપ પણ એંઠાં હશો, સાચ્ચું કહો !

    ખારા સમુદ્રમાં રહી મીઠા જળની વાતો કોઇ બેવકુફ જ કરે અને તેથી કળયુગમાં જો તમે લાગણી ઓને સાચી માનતા હો તો ભુલ કરો છો કારણ કે લાગણી સાચી હોય તેવુ તો બનતુ જ નથી લોકોને ગ્લિસરીનથી ખોટુ રડતા અને ખેલો કરતા આવડે છે અને તેથી કદાચ જડ બનો વહેવારીક બનો અને પોતાનુ ઘર સાચવો જેવા ગર્ભીત સુઝાવો સામે કવિ પ્રશ્ન પુછે છે

    લાગણી પણ ખેલ લાગે આપને.
    જડ બની રે’તાં હશો સાચ્ચું કહો.

    જે દગો દે છે તેને દગો મળે છે પણ તેની દરકાર આજે શું કામ્ આજે તો તેથી મારૂ ઘર ભરાય છે ને? અરે ભાઈ મારા જાગ્.. દગો કોઇનો સગો નથી..જુવારનો એક દાણો અનીતિનો ઘરમાં આવશે તો તે તો જશે પણ સાથે સાથે ઘરનાં પણ બે દાણા લઈને જશે. કેવી રીતે તે જાય છે તે જોવું છે?  જેઓને ત્યાં ડોક્ટરો, વકીલો અને વૈશ્યાઓની આવન જાવન છે તેમના ઘરને ઘસાતા જુઓ બીજે ક્યાંય જવુ નહી પડે તેમની અનીતિની આવકો અને સુખોને ઘસાતા જોવા માટે…