સંકલ્પ વિના એ શક્ય નથી
તું રોક નયનના આંસુ મથી
તું હાથની મુઠ્ઠી વાળી જો
રેખાઓ બધી બદલાઈ જશે !
ખાળ તારી આંખડીના નીરને
સંકટોમાં આ ન છાજે વીરને;
એને ઠોકર મારીને રસ્તે લગાવ,
ક્યાં સુધી પંપાળશે તકદીરને ?
-શેખાદમ આબુવાલા
કવિએ આ બે નાનકડા મુક્તકોમાં જાણે દુનિયાભરની ખુમારી મૂકી દીધી હોય એમ નથી લાગતું?!!!
Courtsey : http://urmisaagar.com/saagar/?p=672