પ્રિય સોહમ (૨૮)

moon-venus_filtered.jpg

તુ સમજુ છે અને તેથી જે વાત હુ તને સમજાવવા માંગતો હતો તે દિલીપ દોશીની કહાણીથી તુ સમજી ગયો. હાલત ગમે તેવી ખરાબ હોય માણસે ઝઝુમીને મથ્યા કરવુ પડતુ હોય છે અને તે ઝઝુમવાની વાત ઉપર તને બાળપણ ની કવિતા પડતા જાળ કરોળિયો ભોંય પડી પછડાય યાદ હશેજ..એક વખત બે વખત ત્રણ વખ કંળ કેટલીયે વાર પડ્યા પછી દરેક પ્રયત્ને તેણે શોધી નાખ્યુ કે ઉપર ચઢવા જતા ભીંત ક્યાં ખરબચડી છે અને ક્યાં સુંવાળી.. સાંજ સુધીમાં તો કરોળિયો ભીંત ની ટોચે બેઠો હતો. Tough time comes and go but tough people always stay તે તો તને ખબર છે ને?
હવે સાંભળ તમારી અને અંશની વાતોમાં “હું સાચો” અને “હું સાચી” વાળી વાતોનું મમત તીવ્ર છે. અને તેમાં મારો પ્રપૌત્ર દાદાનાં અને દાદીનાં વહાલથી વંચિત રહીજાય છે તે મને ખટકે છે.હજી તો નાનુ અબોધ બાળ છે પણ અભિમાનનાં ગજ ઉપર બેઠેલા તમે બંને મારા દિકરાઓ એક વસ્તુ સમજો..લોહીનાં સબંધો ક્યારેય લાઠીએ માર્યા છુટતા નથી અને હંમેશા આવી સ્થિતિમાં લાભ ત્રાહિત ખાટ સવાદીયા લઇ જતા હોય છે
હમણા જ ‘પરમ ઉજાસ’ પર વાંચેલુ આ લખાણ મને બહુ ગમ્યુ તેથી અહીં ટાંકુ છુ.

“ છે સંબંધ કાંઠા ની માટી સમા સૌ,
ઉડે જો જરી ભેજ, થઈ જાય રેતી.”

સંબંધોની ભીની માટીમાંથી જો ભેજ….અર્થાત ઉષ્મા…સંવેદન ઊડી જાય તો તેને કોરી રેતી સમાન બની રહેતા વાર નથી લાગતી. અને પછી કોરી રેતી જેમ હાથમાંથી સરી જાય છે તેમ જ જીવનમાંથી સંબંધો સરી જાય છે. સંબંધોની સુવાસ ને સાચવવી આસાન નથી..પરંતુ અશકય પણ નથી જ. કયારેક થોડું જતું કરવાની વૃતિ જો બંને પક્ષ દાખવી શકે તો સંબંધો વરસો સુધી લીલાછમ્મ રહી શકે છે

તારા અને અંશ વચ્ચેનાં તંગ બનેલા સબંધોનાં કારણો માં અભિમાન બંને પક્ષે ગેર સમજુતીઓ ને કારણે તે ઉષ્મા સરી જતી દેખાય છે.મે આગળ પણ કહ્યું હતુ તેમ લોહીના સબંધો અને પ્રેમના સબંધોને વણસાવવા હોય તો વચ્ચે ત્રાહિતોને નાખો કે જે વાતોને પોતાની રીતે પોતાના હીતમાં આવે તેમ ફેરવી શકે છે..અરે! ઘણી વખત પોતાના સુક્ષ્મ લાભ માટે અન્યનાં (બાપ દીકરા જેવા મોટા લોહીના સબંધોને પણ) લાખો રુપિયાનાં નુકશાન કરતા ખચકાતા નથી. જરુરત છે તેવા પરિબળોને ઓળખવાની અને તેમને ખુલ્લા પાડવાની. આવા પરિબળો મહદ અંશે તેમનો સ્વાર્થ પુરો થઈ જતા હવા થઈ જતા હોય છે તેથી તેમને ઓળખીને લોહીનાં સબંધોની કદર કરવી.

તેં તારો ભાગ પુરે પુરો ભજવ્યો છે. સંપર્ક જીવંત રાખવા મથે છે. અને તારાથી બનતું કરે છે.

મારા અનુભવોથી એટલુ તો કહીશ કે જિંદગી ઘણી જ લાંબી છે અને ઘણા વૈવિધ્યો અને ચમત્કારોથી ભરેલી છે. જ્યારે આગળ જોવાનુ માણસ ભુલી જાય અને પાછલા ભૂતકાળમાં પડ્યો રહેવાને આદી થતો જાય ત્યારે હતાશા તેને જકડી લે છે.અને થવાનુ થવાના સમયે થાય જ છે તો
આશાવંત રહી આગળ જોતો રહે..

તારી બા તેના પ્રભુધ્યાન અને ભક્તિમાં આટલા બધા વિઘ્નો આવ્યા હોવા છતા જેમ બની શકે તેટલુ કરતી રહે છે બસ તેમ જ તુ તને વળગેલ હતાશાનાં રોગને ખંખેરવા મથતો રહે…

મોટભાઈનાં આશિષ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *