જાઓ ભલે જીવનઆશ સર્વે,
ઉત્પાત થાઓ, ઉપહાસ થાઓ,
થાઓ ભલે તિરસ્કાર,
ન એક થાજો પ્રભુપ્રીતિ નાશ.
-રા.વિ.પાઠક
કપરા કાળમાં માનસીક સ્વસ્થતા જળવાઈ રહે એવુ બળ પ્રભુપ્રીતિ આપે છે. જેને પ્રભુ પ્રીતિ પ્રાપ્ત થાય છે તે આસ્તિક બને છે અને જે આસ્તિક હોય છે તે શ્રધ્ધાવાન બને છે. એની શ્રધ્ધા એટલીજ હોય છે કે પ્રભુએ માનવભવ આપી માનવ પરથી આશા ગુમાવી નથી તો માનવે આવતી આધી વ્યાધી કે ઉપાધીથી પ્રભુ પરની પ્રીતિ ગુમાવવાનુ કોઇ કારણ નથી. મને જે રીતે સમજાય છે તે રીતે જે આશાવાદી છે તે જ આસ્તિક છે તે હકારત્મક વલણ ધરાવે છે અને તેથી તે માને છે દરેક ઉત્પાત્, ઉપહાસ અને તિરસ્કારને તેનુ કારણ હોય છે અને દરેક કારણનુ મારણ હોય છે જે હકારાત્મક વલણોથી શોધી શકાય છે.
–ડો. પ્રતિભા શાહ