અજાણ વિદ્યા - ધીરુ મોદી August 8, 2008
Posted by vijayshah in : અન્ય બ્લોગ ઉપરથી ગમે, કાવ્ય રસાસ્વાદ , add a commentફાનસ ફૂટી ગયું
ત્યાં સુધી
મને ખબર જ ન્હોતી
કે મારી અંદર
અંધારું નહીં
પણ પ્રકાશ ભરેલો હતો.
-ધીરુ મોદી
ગાગરમાં સાગર જેવું એક નાનકડું અર્થગહન અછાંદસ. છેલ્લે સુધી અંદરના પ્રકાશથી અનભિજ્ઞ રહેવાનો કોઈ શાપ છે કે શું આપણા સૌના માથે જેને પરિણામે આખું જીવન અંધકારની ગલીઓમાં ભટકતા રહેવામાં જ નીકળી જાય છે ?! જાતનું ફાનસ ફૂટતું નથી ત્યાં સુધી સતનો પ્રકાશ સમજાતો નથી.
Vivek Tailor
કાવ્ય રસાસ્વાદ June 20, 2008
Posted by vijayshah in : અન્ય બ્લોગ ઉપરથી ગમે, કાવ્ય રસાસ્વાદ , add a commentમેં તો વેશ્યાના હાથને સીતાનું છૂદણું દીધું.
મેં તો તુલસીનું પાંદડું બીયરમાં નાખીને પીધું.
અનિલ જોશીની આ કવિતા મારી દ્ર્ષ્ટીએ અફલાતુન છે.. જે સ્ત્રીને સમાજ ધીક્કરે છે..( એની મજબુરીને સમજવાને બદલે.).”સમાજની નાતમાંથી બહાર તગડે છે ત્યારે કવિ ને દયા ઉપજે છે..સીતાની મજબુરી, ને સમાજની બહાર હઠાવી ..રાજ્ય-રાણી જંગલમાં જઈ વસે!! એ સ્ત્રીના છૂંદણા આપણે પારખી નથી શકતા.આ કવિ પારખી શક્યો છે.
તુલસી તો એક એવી પવિત્ર વસ્તું છે કે એ જ્યાં ભળે -મળે તે વસ્તું પણ અ પવિત્ર બની જાય! બિયર પણ દિયર બને! કવિ એ પણ કહેવા માંગતો હોય કે આંડબરીઓ ધર્મને નામે આવા ચેન -ચાળા ન કરે!!
વિશ્વદિપ બરાડ
તારું શરણું પ્રભુ! May 26, 2008
Posted by vijayshah in : તમે એટલે મારું વિશ્વ, કાવ્ય રસાસ્વાદ , add a commentસંતૃપ્તતાનો અહેસાસ હવે મને
જૉઇએ સુખ કે દુઃખ કંઈ ના પ્રભુ!
આપવુ હોય તો આપ ફક્ત એક
તારુ સાંનિધ્ય,તારું શરણું પ્રભુ!
સંતૃપ્તતાનો અહેસાસ માણસને વૈરાગ્ય માર્ગે ચઢાવે છે.જ્યાં કોઈ વહાલુ નથી દવલુ નથી અપેક્ષા નથી અને આવતી કાલની કોઈ ઉજળી આશા નથી. સુફી સંતો આ દશામાં જ રત રહેતા હોય છે અને કદાચ આવી દશાનાં અંતે જ મીરા એ ગાયુ હશે કે પાયોજી મેને રામ રતન ધન પાયો…પ્રભુનુ સાનિધ્ય મળે કે પ્રભુનું શરણ બંને તબક્કામાં અપેક્ષા ક્ષીણ થઈ જાય અને તે પરિસ્થિતિ પામવાની તલપ લાગવી તે પણ્ ઉર્ધ્વગમનની ઉજળી શક્યતાઓ જ કહેવાય્ આ પરિસ્થિતિથી પાછુ કોઈ વળતુ નથી તેથી જ તો મીરા ઝેર પણ પી ગઈ અને નરસિંહ મહેતાને નાત બહાર મુકાયો તો ય હરિજનોને દ્વાર તે કૃષ્ણ ને ભજતા..
શું આજ છે મારી પ્રિયા? April 13, 2008
Posted by vijayshah in : કાવ્ય રસાસ્વાદ , 1 comment so farરડી લે આજે રડાય તેટલું કે
ભ્રમો આજે તુટ્યાં છે બધાં
સહી લે આજે સહાય તેટલું કે
સંબંધો આજે છુટ્યાં છે બધાં
તરી લે આજે તરાય તેટલું કે
શોણિત ખરડ્યા હૈયા છે બધાં
શબો લે આજે હસ્યાંય કેટલું કે
ભડકા ચીતાનાં દઝાડે છે બધાં
અપેક્ષા ઘણાં દુઃખોનું કારણ છે અને તેથી (more…)
પૈસાનું ગૃપ તપાસ્યું છે?-ઈ-મેલ- રીધ્ધી દેસાઈ April 9, 2008
Posted by vijayshah in : કાવ્ય રસાસ્વાદ , add a commentમનુષ્ય જ્યારે જન્મે છે ત્યારે તેનુ વજન અઢી કીલો હોય છે
અને જ્યારે અગ્નિસંસ્કાર બાદ્
તેની રાખનું વજન પણ અઢી કીલો જ હોય છે
જીંદગીનું પહેલુ કપડું જેનુ નામ ઝભલું,
જેમાં ખીસું ન હોય્.
જે જીંદગીનું છેલ્લુ કાપડ કફન,
એમાય ખીસું ન હોય. (more…)
માણસાઈની હેલી!- ડો. દિનેશ ઓ શાહ February 13, 2008
Posted by vijayshah in : કાવ્ય રસાસ્વાદ , 2 commentsએક હતા માજી બહ શાણા સમજુ અને સન્નારી
બીજી હતી ભલી અને ભોળી યુવાન એક દુધવાળી
ગજરી એનુ નામ હતુ એ લાગતી ખૂબ રૂપાળી
માજીને ગજરી હૈયું ખોલી કરતા વાત નિરાળી
શિયાળાની ઠંડી પડતી સૌની કાયા કંપાવી
કુદરત તેનુ જોર બતાવેસૌને ખુબ હંફાવી
માજીને ઉષ્મા આપે ગજરી માલીસનુ તેલ લગાવી
ગજરી વિના માજીનુ જીવન બળદ વીનાની ગાડી
માજી આપે રૂપિયો ગજરીને, લીધા વીના ગઈ દોડી
માડી તારી ચાકરીના રૂપિયા મારે હરામની મૂડી
માજી કહે હું મરુ ત્યારે તો તુ આવજે સ્મશાને દોડી
આપીશ તને ચિતાની ઉષ્મા હવે એજ રહી છે મૂડી
મોજ શોખ ને પૈસા પાછળ આ દુનિયા થાતી ઘેલી
“દિનેશ” હૈયુ પલળે આજે જોઈ માણસાઈની હેલી
દિનેશ ઓ શાહ
નડીયાદ, ગુજરાત
૧૦, ફેબ્રુઆરી ૨૦૦૮
.
“પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ” વાળા કળીયુગમાં સાવ ગરીબ, નિઃસહાય અને સાધનહીન મૃત્યુની નજીક પહોંચેલી વૃધ્ધાની માવજત કરતી દુધવાળીની એક ઘટના અને સ્વાર્થ વિનાનાં માણસાઈના સબંધો જે સમજ થકી કેટલા ઉંચે જઈ શકે તેની સાવ સીધી વાત “માડી તારી ચાકરીના રૂપિયા મારે હરામની મૂડી” કહીને દર્શાવે છે
દેશમાં રહી દેશનું ઋણ ફેડવા માનદ પ્રધ્યાપક તરીકે કાર્ય કરતા સીત્તેર વર્ષની ઉમરે દેશ અને વિદેશ બંનેમાં છ મહિના રહેતા અને સરળ જીવન જીવતા ડો.દિનેશ ભાઈ ઘણાનાં જીવનમાં માર્ગદર્શક બન્યા છે.
રૂપિયે કિલો-હેમંત પુણેકર January 29, 2008
Posted by vijayshah in : અન્ય બ્લોગ ઉપરથી ગમે, કાવ્ય રસાસ્વાદ , 1 comment so farરૂપિયે કિલો
હું પણ હોત એક અબજોપતિ
જો વેચાઈ જાત
આ સ્વપ્નોનો ભંગાર
રૂપિયે કિલો
-હેમંત પુણેકર
http://hemkavyo.wordpress.com/2007/05/20/rupiye_kilo/
કવિની નજર ક્યાંથી ક્યાં પહોંચે છે?
ક્ષણ ભંગુર સ્વપ્નાઓનો વેપાર કરી અબજો પતિ બનવુ છે.
અને અબજો પતિઓ કોઇક નવુ સ્વપ્નુ શોધવા ‘બ્રૈન સ્ટોર્મીંગ સેશન’ કરી અબજો પતિ માંથી કરોડ પતિ બનતા હોય છે.
આ અબજો પતિમાંથી કરોડપતિ બનવાની ચાવી શું છે તે ખબર છે?
અમેરીકાનાં મનો વૈજ્ઞાનિકો કહે છે મનમાં શાંતિ આવે ત્યારે જે સુખ આવે છે તે કરોડો કે અબજોમાં નથી.
આવો શાંતિનો નોબલ પ્રાઈઝ જીતી શકાય તેવો ઉપાય શબ્દ ‘દાદા’ તરીકે આપણા ભૂતપુર્વ પ્રમુખ શ્રી અબ્દુલ કલામ આઝાદે આપ્યો હતો..દા એટલે આપવુ.
તારી પાસે જે હોય તે તુ આપ અને વારંવાર આપ તો ત્યાગ લાવશે ખુશી.. જે લાવ લાવ કરતા લેનારા લોકોને ભાવ લાવે અને આપનારનો ભાર ઘટાડે..
જેનો ભાર ઘટ્યો તેનુ ઉર્ધ્વગમન નિશ્ચીંત થઈ જાય.
આપણને ખબર છે સ્વર્ગ ઉપર છે.
મારા વગર પણ…..ભરત દેસાઈ “સ્પંદન” January 17, 2008
Posted by vijayshah in : કાવ્ય રસાસ્વાદ , add a commentબધુ જ રાબેતા મુજબ નુ લાગશે મારા વગર પણ
બે ઘડી ની ખૉટ નક્કી સાલશે મારા વગર પણ
રાખજે સચવાય તો તુ સાચવીને યાદ મારી
અર્થ એ ભીંનાશ નો સમજાવશે મારા વગર પણ
એ જ યારો એ જ મૅ’ફિલ જામ સાકી ને સુરાહી
એ મદીરા પણ જવાબો માગશે મારા વગર પણ
ક્યાંય પણ જો લાગણીનો ના મળે પર્યાય તમને
તો ગઝલ મારી દિલાસો આપશે મારા વગર પણ
દુર દિલ થી ક્યાં કદી “સ્પંદન”તમારા થી ગયો છે
હાજરી મારી તમોને લાગશે મારા વગર પણ
- ભરત દેસાઈ “સ્પંદન”
શિકાગો સ્થિત હજી છ મહિના જુના ભરત દેસાઈ “સ્પંદન્” તેમની ચાલીસીમાં બે બાળકો અને પત્ની સાથે અમેરિકા આવ્યા છે.
બાળકોનું સુંદર ભાવી કે આર્થિક સમૃધ્ધિનું અમેરિકન શમણુ તેમનુ પુરુ થશે તેવા શ્રધ્ધાવાન આ કવિ સાથે ફોન ઉપર વાતો કરતા લાગ્યુ તેમનામાં તેમનુ પોતાનુ કહી શકાય તેવુ ઘણું બધુ છે. સારા ગાયક શ્રેષ્ઠ કવિ અને શાયર ઉપરાંત સ્ટેજ ઉપર જકડી રાખી શકે તેવી રજુઆત અને સ્ટેજ કલાકાર છે. અમેરિકન થવાની તેમની પ્રક્રીયા સહજ છે પણ પ્રસ્તુત કાવ્ય જે વતન વડોદરા છોડતા મિત્રોને અલવિદા કહેતા જ્યારે રચાયુ હશે ત્યારની તેમની વતન ઝુરાપાની શ્રેષ્ઠ ક્ષણો હશે તેમા કોઇ બે મત નથી.
સંવેદનશીલ કવિનો મને આ શેર ખુબ જ ગમ્યો
દુર દિલ થી ક્યાં કદી “સ્પંદન”તમારા થી ગયો છે
હાજરી મારી તમોને લાગશે મારા વગર પણ
ભરતભાઈ અમેરિકા તમને તમારુ નવરંગી સ્વપ્ન સત્ય કરી ધાર્યુ સુખ આપે તેવી પ્રભુને પ્રાર્થના
તેમનો સંપર્ક ૧-૮૪૭-૮૨૪-૧૪૨૮
મૃત્યુ જ કહેશે અંતે બધુ December 31, 2007
Posted by vijayshah in : તમે અને મારું મન, કાવ્ય રસાસ્વાદ , add a commentક્યારેક જિંદગી આપે ઘણું, ને શીખવાડે ના કશુ
ક્યારેક જિંદગી લઈ લે ઘણું, ને દેખાડે ના તસુ
સાનમાં સમજ મનવા તુ, તો ચોકીદાર ઠાલો
જિંદગી તો બેવફા, મૃત્યુ જ કહેશે અંતે બધુ
કમળ પત્રનો રસ ચુસતો મકરંદ જેમ ઢળતી સંધ્યાએ બંધ કમળ પત્રોમાં કેદ થાય તેમ ઓ માનવ જિંદગીનાં રસ પીવામાં મગ્ન ન થા. દેહ એ વિલાસનું માધ્યમ નથી. દેહ દ્વારા ભવબંધન કાપવામાં વ્યસ્ત થા નહિ તો જેમ ભ્રમર કમલ પત્રોમાં કેદ થાય છે તેમ આ ભવછુટી જશે અને ભવાટ્વીનાં ફેરામા ફરી ભટકાઈ જશે.
કોડિયું-ડો.દિનેશ ઓ શાહ October 27, 2007
Posted by vijayshah in : કવિતા, કાવ્ય રસાસ્વાદ , add a commentભીની રે માટી ચડાવી ચાકડે, મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે
નીર છાંટી એણે ઘાટ ઘડ્યો, લૈ દોરી મુજને કાપ્યો રે…
સીતાજીની સમ આગમાં મુકી, અંગારે ખૂબ તપાવ્યો રે
પાવન થઇ બહાર નીકળ્યો, કો’કે કોડિયું કહી અપનાવ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!
કો’કે મુકી એક વાટ લાંબી, કો’કે તેલ ભરી છલકાવ્યો રે
કો’ક રુપાળા હાથે મુજને, ઉંચે ગોખ ચઢાવ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!
સૂરજ ડુબ્યો અંધાર છવાયાં, કો’કે મુને પ્રગટાવ્યો રે
દુર ન થાય અંધારા જગના, મેં ગોખલો એક ઉજાળ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!
તેલ ખુટ્યું ને વાટ ખુંટી, મારા સપનાનો અંત ન આવ્યો રે
લાખ દિવા એક જ્યોતમાં દીઠા, સાર જીવન નો જાણ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!
સપ્ટેમ્બર 10 , 2007
આ કાવ્ય વાંચતા પહેલો વિચાર આવ્યો કે કેટલા સરળ શબ્દોમાં આખા જીવનની સફર અને તેનો સાર કવિ સમજાવી ગયા..ભીની માટી થી શરુ થયેલ જીવન યાત્રા ચાકડે ચઢી આગમાં ભુંજાઇ અને પાવન થઇ જે હેતુ થી તેનું નિર્માણ જે હેતુ થી થયુ હતુ તે હેતુ તરફ સરે છે.. આખા જગનાં અંધારા દુર કરવાનાં સપના તો છે પણ એક ગોખલો ઉજાળીને જીવન જાણે પુરુ થયું ત્યારે લાખ દિવા એક જ્યોતમાં ભાળી તેમા વિલિન થઇ જવું..કહે છે પ્રભુએ તમને જે કામ માટે સર્જન કર્યુ છે તે કામ સરસ રીતે નિભાવો અને સમય આવે તે પરમ આત્મા માં કોઇ પણ હરખ શોખ વિના વિલિન થઇ જાવ તે જ તો જિંદગીનો સાર છે…સપનાઓ અસંખ્ય હોય તે સૌ પુરા ના પણ થાય.. એક ગોખલો ઉજાળ્યો તે પણ ઉત્તમ જિંદગીનું કામ છે.
ગુર્જરી ગિરા August 16, 2006
Posted by vijay in : કાવ્ય રસાસ્વાદ , add a commentwww.readgujarati.com
ગુર્જરી ગિરા
જે જન્મતાં આશિષ ‘હેમચન્દ્ર’ની
પામી, વિરાગી જિન સાધુઓ તણી,
જેને તપસ્યા ગળથૂથીમાં મળી,
રસપ્રભા ‘ભાલણ’ થી લહી જે,
નાચી અભંગે ‘નરસિંહ’- ‘મીરાં’,
‘અખા’ તણે નાદ ચડી ઉમંગે,
આયુષ્મતી લાડકી ‘પ્રેમભટ્ટ’ની ,
દ્રઢાયુ ‘ગોવર્ધન’થી બની જે,
અર્ચેલ ‘કાન્તે’ ‘દલપત્તપુત્રે’ ,
તે ગુર્જરી ધન્ય બની ઋતંભરા,
‘ગાંધી’ મુખે વિશ્વ માંગલ્ય ધાત્રી.
- ઉમાશંકર જોશી
સન્માન – પ્રદીપ બ્રહ્મભટ્ટ August 13, 2006
Posted by vijay in : કાવ્ય રસાસ્વાદ , add a commentમાગે એ ન મળતું કદીયે, ભલેને જીવન આખું પુરું થાય
મળતું એને શોભે જેને, વર્તનથી ઉજવળ જીવન બનતું જાય
માનવી માગે ભેખ ભલેને, મળતી ન એને જીવન એળે જાય
કર્મ ભલે પરદુ:ખે કરતો, નીશદીન પરસેવે છોને ન્હાય.
એક તણખલું સ્નેહથી આપે જીવન આખું એ તરી જાય
એના મનડાં હરખી હરખી જાય, એને હૈયે હરખ હરખના માય….માગે એ ન….
સજ્જનતાના સોપાન ચઢે જે, મળતા માનને રોકી જગમાં
સ્નેહતણા આઈને આવી, તનડાં સ્વચ્છ થતાં એ નીરખે
ગુર્જર સુણી પોકાર કરે એ જાણે દેહમાં જીવ વસે.
પરમાત્માનો પોકાર સુણે જે સન્માન સાચું જગમાં પામે તે….માગે એ ન….
માનવ મનને સંતાપ થતો મેળવી સંતોષ કરેલા કર્મ નો
પ્રદીપ મનમાં મુંઝાય આજે, પર ઉપકારને હું વળગી રહું
સંસાર વિંટમણામાં હું વિટાતોં બની તણખલું હું પડું.
બનુ સહારો જ્યારે કોઈનો સન્માન સાર્થક પામુ હું ….માગે એ ન….
સારુ નરસું ભલે જગતમાં માનવી વચ્ચે ફર્યા કરે
કર્મ તણા આ અતુટ બંધને સૃષ્ટિ આખી સર્જાયા કરે
કેવી આ કુદરતની લીલા માનવ જન્મો ધર્યા કરે
સૃષ્ટિનો સંહાર થતાં અવતાર પરમાત્મા ધારણ કરે. ….માગે એ ન….
ભલે આ માયા જગમાં ફર્યા કરે. કુદરત લીલા કર્યા કરે
માનવ મનડાં શરણું શોધે જીવન પુષ્પ તણું છે દીસે
ચોમેર સુવાસ પ્રસરી રહે, મહેંકી રહે જીવન સારું
ધન્ય જીવન બની રહે, સાર્થક માનવદેહે છે સન્માન મળે….માગે એ ન….
નિર્મળ જળમાં તરંગ દીસે જીવન ઊજવળ તેવું છે દીસે
કર્મતણા વ્યવહારમાં સંગે પરમાત્માનો સહવાસ મળે
માનવ એવા સંગને શોધે માન મોભો જેને છે શોભે
આત્માના ઉદગારને પામી, ઉજવળ જીવન કરવાને તરસે….માગે એ ન….
http://rdgujarati.wordpress.com/2006/08/13/kaavya-sanchary3/



