jump to navigation

વિવાદ September 8, 2007

Posted by vijayshah in : તમે અને મારું મન , trackback

સંધ્યાનો સુરજ આપી ગયો સંદેશો અનેરો
મુકીને જાઉ આજે તમને રાતનાં ભરોંસે..
આવીશ કાલે સવારે ફરી પૂરવ દિશમાંથી

તેના કામમાં કોઇ ભુલ નહિ..વિલંબ નહિ
કે નહિ કોઇ ન ઉગવાનું કોઇ બહાનુ
સાંજે આથમવાનુ ને નિત સવારે ઉગવાનુ

જીવી જવાય બસ આમ જ નિયમિત રીતે તો
સપ્તાહ મહીના વરસો અરે ભવો પણ..
ક્યાંય જતા રહે તે ન સમજાય્

પરમ પિતાનાં આપણે સૌ સંતાનો
તો જન્મ પછીનાં મૃત્યુ માટેનો રઘવાટ શા કાજે?
જન્મ્યું તે જાય વાત તે સનાતન
તો સમયની અનિશ્ચિતતાનો વિવાદ શા કાજે?

Comments»

no comments yet - be the first?


 Type in