ક્યારેક જિંદગી આપે ઘણું, ને શીખવાડે ના કશુ
ક્યારેક જિંદગી લઈ લે ઘણું, ને દેખાડે ના તસુ
સાનમાં સમજ મનવા તુ, તો ચોકીદાર ઠાલો
જિંદગી તો બેવફા, મૃત્યુ જ કહેશે અંતે બધુ
કમળ પત્રનો રસ ચુસતો મકરંદ જેમ ઢળતી સંધ્યાએ બંધ કમળ પત્રોમાં કેદ થાય તેમ ઓ માનવ જિંદગીનાં રસ પીવામાં મગ્ન ન થા. દેહ એ વિલાસનું માધ્યમ નથી. દેહ દ્વારા ભવબંધન કાપવામાં વ્યસ્ત થા નહિ તો જેમ ભ્રમર કમલ પત્રોમાં કેદ થાય છે તેમ આ ભવછુટી જશે અને ભવાટ્વીનાં ફેરામા ફરી ભટકાઈ જશે.