એક નેમ છે અને એને વિસરવાનું નહીં
બીજી ભણી માથાને વિહાવાનું નહીં
મોતી જો પામવા હો તો દરિયામાં ‘મરીઝ’
ડૂબકી જ મારવાની હો, પછી તરવાનું નહીં
‘મરીઝ’
courtsey: www.tahuko.com
કેવી સુંદર વાત!
કોઈપણ લક્ષ્ય્ ઉપર પહોંચવુ હોય તો આડા અવળા વિચારોને તાબે થયા વિના એક જ ધ્યેયે એક નિશાને ચાલે તેને સિધ્ધિ મલે મળે અને મળે જ… પુરાણોમાં અર્જુનને જ્યારે ફક્ત ડાબી આંખ જ દેખાઈ તો તેનો લક્ષ્ય વેધ સફળ થયો તેજ વાત કવિ એ મરજીવાનાં રુપક થી અત્રે સિધ્ધ કરી.. મોતી પામવા હો તો ડુબકી મારવી જ પડે.. પછી સાપ કે શાર્ક આવશે તો ખાઈ જશે.. કે તળિયે પહોંચતા પહેલા શ્વાસ ખુટી જશે તો મરી જવાશે એવા ભયોથી કિનારે રહી જનાર મોતી કદી પામતા નથી..ધ્યેય સંધાન માટે “એક નેમ છે તેને વિસરવાનુ નહીં” અને તે નેમ જો મોતી પામવાની હોય “તો ડૂબકી જ મારવાની પછી તરવાનુ નહીં” કદાચ આવુ જ બીજુ સુંદર પદ ” કરતા જાળ કરોળીયો ભોંય પડી પછડાય” આપને યાદ હશે જ્…