રડી લે આજે રડાય તેટલું કે
ભ્રમો આજે તુટ્યાં છે બધાં
સહી લે આજે સહાય તેટલું કે
સંબંધો આજે છુટ્યાં છે બધાં
તરી લે આજે તરાય તેટલું કે
શોણિત ખરડ્યા હૈયા છે બધાં
શબો લે આજે હસ્યાંય કેટલું કે
ભડકા ચીતાનાં દઝાડે છે બધાં
અપેક્ષા ઘણાં દુઃખોનું કારણ છે અને તેથી તો મરસીયા ગવાય છે બધે.
તુ જતો રહ્યો તે દુઃખ માત્ર નથી તારા ગયા પછી મારું શું થશે નું ગાન મન ને રડાવે છે.
તારી પાછળ મારી આખી જીંદગી પુરી થઈ પણ તે મને જેટલુ આપ્યુ તે કાયમ જ ઓછુ પડ્યુ.
હવે તુ જ્યારે નથી ત્યારે હવે એ ભ્રમો તુટે છે અને તુ આગની શેહમાંથી પણ હસે છે.
મને તે ચીતા દઝાડે છે..
પીયુ તુ જતો રહ્યો હવે મારું શું થશે?
ક્ષુબ્ધ શાંત મને જોતો રહ્યો પીયુ..
દેહ છોડીને
શું આજ છે મારી પ્રિયા?
જેને મારા જવાના દુઃખ કરતા છે વધુ દુઃખ
તેનુ શું થશેનું?
શાંગ્રીલા આર્ટ નાં અતુલ વીરને જ્યારે મળવાનુ થયુ ત્યારે તેમનો પહેલો મુહાવરો હતો કે આર્ટ ગેલેરીમાં તમે ચિત્ર પસંદ નથી કરતા ચિત્ર તમને પસંદ કરે છે ત્યારે થોડુક સમજાયુ નહોંતુ પણ મહીના પછી જ્યારે કાવ્ય જન્મ્યુ ત્યારે તે મહાવરો સમજાયો.. આ ચિત્ર મારા મન ઉપર સળંગ ટકોરા મારતુ હતુ અને તે ટકોરા આજે બંધ થયા