નિરપેક્ષીત થા

oct06news2

તુ અપેક્ષાપ્રચુર

તેથી થાયે ક્ષણે ક્ષણે તને દુઃખોનાં પ્રચંડ આઘાત.

તેથી તુ રડે

પ્રભુને કરે ઘણી ઘણી ફરિયાદ્.

પછી જ્યારે કશું ન થાય ધાર્યુ,

ત્યારે કહે પ્રભુ તો બહેરો છે.

oct06news2નથી સાંભળતો મારી દરેક ફરીયાદ્

પણ પ્રભુએ તો તને દીધુ એક વરદાન ખબર છે ને…?

ફક્ત કાર્ય તુ કર

હાક માર.. તને નથી ફળનો અધિકાર્

યોગ્ય સમયે જરુર મળશે તને

યથા યોગ્ય પરિણામ….

oct06news2ખબર છે ને દ્રૌપદીનાં ચીર પુર્યા હતા

ને સુદામાનાં તાંદુલ આરોગી મહેલ દીધા હતા

મીરાને અપાયેલ ઝેરનો પ્યાલો ખીરથી છલકાવ્યો હતો

ને નરસૈંયાની હુંડીઓ ભરપાઇ કરી હતી

તે સૌએ જે કર્યુ હતું તે તું કરે છે?

મુક શ્રધ્ધા કે તે જે કરે છે તે સાચુ છે

oct06news2તુ ફરિયાદ ન કર

પ્રભુને જે પ્યારા છે તેમને મદદ કર.

સુખ સંતોષ માં છે …

સુખ મનમાં છે

પ્રાર્થના કર.. સહન કર..

નિરપેક્ષીત થા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *