ભીષ્મનો વિષાદ

bhishma.jpg 

કુરુક્ષેત્રે ખડકાયે
મારા પૌત્રો અને પ્રપૌત્રોની સેના
કાપવા એક મેકનાં શર..
સમજાવુ કેમ કે તમે
શકુનીનાં પાસાથી પીડીત
તેથીતો દોડવું પડ્યું દ્વારકાધીશે
બનીને સારથી.

શીખંડીની ઓથ લઈ
રડતો જિષ્ણુ વરસાવે સહસ્ત્ર બાણ

મા ગંગા આવો અને તારો
પોકારે તમારો બાળ…

અઢારમાં દિવસે શું જોઉં કુરુક્ષેત્રે…
પાંચ પાડવો સિવાય્
ના બચ્યુ કો વંશ વેલે

દે બોધપાઠ મહાભારત
યુધ્ધ કદી નથી જવાબ કોઈ પ્રશ્નનો..
કે નથી જીતતુ કોઇ ખોયા વિના કશુ.

શું મે મેળવ્યું હસ્તિનાપુરને વફાદાર રહી?
પુત્ર ખોયા, પૌત્ર ખોયા, પ્રપૌત્ર ખોયા
આજે લઈ નામોશી ચાલ્યો મૃત્યુ પથે નાખતો નિઃસાસા.

આ કવિતા ની વાત દરેક દાયકામાં જુદા જુદા નામે અને સ્વરુપે દરેક્ની જિંદગીમાં આવતી હોય છે. જે તમને સાચુ લાગતુ હોય તે દરેક વાતોમાં સમાજનાં દુર્યોધનો નામ, સ્વમાન અને આગોતરી ચાણક્ય બુધ્ધીનાં નામે ” હવે તો યુધ્ધ એજ કલ્યાણ” નો બુંગીયો ફુંકતા હોય છે. કામ ન કરનારો અને વાંકો શોધનારો દુર્યોધની વર્ગ હંમેશા પાંડવોનો હક્ક ડુબાડે જ છે. અને કિંમતો ચુકવે છે કુંતા..ગાંધારી અને માદ્રી જેવી અગણીત માતાઓ અથવાતો બની બેઠેલા ભીષ્મ પિતાઓ  

2 replies on “ભીષ્મનો વિષાદ”

  1. Neela says:

    મહાભારતની વ્યથા આ કાવ્યમાં છે.

  2. manvant says:

    યુદ્ધ કદી નથી જવાબ કોઇ પ્રશ્નનો ! વાહ કયિ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *