સૌ સાચી વાતે

berenerchamion-128.jpg

પ્રભુ સાથે વાતો કરતો માનવ બોલી ઉઠ્યો કે
પ્રભુ કેમ આપ્યુ શેતાન નાં સંતાન મન ને મસ્તિક્માં ઉંચેરુ સ્થાન્
અને હ્રદયને વેંત નીચે છાતીમાં?

પ્રભુ કહે

મન તો વિકલ્પોમાં ગુંચવે,
કરે નહી કોઇ વહેવારીક વાત
મન તો વિપરીત બુધ્ધી.
સાચુ કદીયે ના જુએ.

તેથી તે સાવકુ અને રાખ્યુ દુર ખાસ.

સમજે હ્રદય મારી બાની તેથી
તેનુ સ્થિર સુરક્ષીત દેહમાં સ્થાન
હ્રદય તો સ્વયં સંચાલીત,
મન નુ ના ચાલે કોઈ જોર.

હ્રદય સાચે જ ધડકે અને ધબકે સૌ સાચી વાતે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *