Category Archives: વૃત એક વૃતાંત અનેક

કદાચ

૧૯મી જૂનના પ્રભાત છાપામાં એક સમાચાર હતા નવરંગપુરા રેલ્વે ફાટક પાસે કપાઇ ગયેલ એક અજાણ્યો યુવક સાથે કમકમી જવાય તેવી રીતે ધડથી છૂટું પડી ગયેલ માથું હાથ અને પગ અને બાઝી ગયેલ લોહીના અવશેષૌ ની છબી જોઇને ફોટોગ્રાફરેજ નહીં જેણ તે જોયા હશે તે બધાંએ કમકમિયા અનુભવ્યાં હશે..૨૨ વર્ષનો યુવાન .. હમણાં બોલી ઊઠશે તેવો ચહેરો અને સીટી પોલીસ , આ અમારી હદ નથી રેલ્વે પોલીસ જાણે અને રેલ્વે વાળા આ શહેરની હદમાંછે એમ કાગળિયે લઢતા હતા ત્યારે એ કોઇના એ લાડકવાયાને તાપ ન લાગે અને માંખો ન બણબણે તે માટે કફનના દાન જેવી ફાટેલી ચાદર ઓઢાડી હતી.એકાદ ફર્લાંગ દુર બેઠા ઘાટની બીનવારસી લીલા રંગની લેડીઝ સાયકલ પ્રસંગની સાક્ષી પુરતી ઉભી હતી. એક પગનાં બૂટનું નિકંદન ઘર્ષણમાં નીકળી ગયુ હતુ. દોઢ વાગ્યાના બોટાદ મેઇલ નીચે કચડાઇ મરેલ તે દેહનૂ પોષ્ટમોર્ટમ રાત્રે દસ વાગ્યે થયું. લાશના કપડાંમાથી કોઇ ચિહ્મ કે નિશાન ના મળતા પોલીસને તેની ઓળખવિધિ એક માથાનો દુખાવો બની ગઇ હતી તેથી તે ફોટો ગ્રાફ અને સમાચાર નજીકના પોલીસ સ્ટેશનોમાં અપાઇ અને છાપાઓમા જાહેરાત અપાઇ.છાપાના રીપોર્ટરો અકસ્માતની જગ્યાએ કોઇ વધુ સગડ મળે તે હેતુથી ખાંખા ખોળા કરતા હતા. લોહી જે રીતે પ્રસરેલૂ હતુ તેનાથી એક વાત તો સ્પષ્ટ હતીકે મૃતક ૫૦થી ૬૦ ફુટ ટ્રેન સાથે ઘસડાયો હતો અને તે સમય દરમ્યાન તેના શરીરે જે દર્દ વેઠયુ હશે..ચીસ પાડી હશે જીવ બચાવવા ફાંફા માર્યા હશે એ બધી કલ્પના કરતા ધ્રુજી જવાતુ હતુ.

સવારના પ્રભાતમાં ફોન આવ્યો અને એ સમાચાર વિશે પુછપરછ થઇ.ફોન કરનાર તે અભાગીના પિતા ચંદુભાઇ હતા અને લાશ ક્યાં હશે અને એ મેળવવા શુ કરવાનુ બાબતે પુછયુ સીવિલ હોસ્પીટલમાંથી લાશની ઓળખ આપી ચંદુભાઇ કપાયેલ અંગોનું પેાટલુ શબવાહીનીમાં ઘરે લાવ્યા બાદ છુટ્ટે મોઢે રડયા.”કપિલ આ તને શું સુજ્યુ..”

સોસાયટીનો આડોશ પાડોશ, સગા વ્હાલા અને ટોળે મળેલ સૌએ અંતિમ યાત્રાની તૈયારી કરી ત્યારે આ થાકથી બેવડ વળી ગયેલ ચંદુભાઈ લગભગ બેભાન બની ગયા હતા રામ બોલો ભાઇ રામની ધુન સાથે રડતાં મા બાપને ઘરમાં રાખીને ડાઘુઓ સ્મશાન તરફ વળ્યા.જુવાન કમોત એટલે માબાપને માટે તો હાથમાં અવેલ કોળીયો ગુમાવવાનો.. પણ કહે છે ને દુઃખનુ ઓસડ દહાડા..

વેકેશન પુરુ થયૂ અને પોલીટેકનીક કોલેજમાંથી અને હોસ્ટેલમાંથી પાછો આવ્યા હતા તેથી કપિલનૂ ડેથ સર્ટીફકેિટ લઇને ચંદુભાઇ વડોદરા ગયા.આર્કીટેક કોલેજમાં કપિલ જે વર્ગમાં ભણતો હતો તે વર્ગમાં ૪૫ છોકરા અને ૪ છોકરીઓ ભણતી અને દરેકને જ્યારે કપિલની આત્મહત્યાના સમાચાર મળ્યા ત્યારે આંચકો લાગ્યો.કપિલની ખુબજ વ્યવસ્થિત અને હોંશિયાર વિદ્યાર્થીની છાપ હતી. કોઇના માનવામાં આવતુ નહોંતું કે તેણે આમ કેમ કર્યુ હશે. વર્ગના બધા વિદ્યાર્થીઓની આંખોમાં તેને ગુમાવ્યાનો અફસોસ દેખાતો હતો.

હોસ્ટેલમાં તેનો રૂમ ખાલી કરતી વખતે તેનો રુમ પાર્ટનર કંદર્પ ચા બનાવતા બોલ્યો ગોવાની ટુરમાંથી પાછા આવ્યા પછી તે ભણી શકતો નહોંતો. તો શું ગોવામાં કંઇ બન્યુ હતુ? ચંદુભાઇ એ સહજ રીતે પુછયુ. હું તો નહોતો ગયો પણ શાલુને પુછી જોઇએ તે ગોવાની એજ્યુકેશન ટુરમાં ગઇ હતી. શાલુને તેડુ થયુ અને શાલુએ સ્પષ્ટ કહ્યુ ગોવામાંતો કશુ થયુ નહોંતુ પણ તેના માર્ક ઓછા આવ્યા હતા તેથી થોડોક નિરાશ રહેતો હતો. કંદર્પ તે વખતે ચા બનાવતો હતો અને તે આદુ લેવા બાજુના રુમમાં ગયો ત્યારે એક ચબરખીમાં ફોન નૃબર લખી હાથમાં આપી હાથથી ઇશારો કર્યો ૪ વાગે ફોન કરજો.ચંદુભાઇ ને લાગ્યુ કે કંદર્પ અને શાલુ વચ્ચે અણબનાવ હશે તેથી ચબરખી ગજવામાં મુકી અને તેઓ હોસ્ટેલમાંથી નીકળી હેડક્લાર્ક મકરંદ જોષીને મળવા ગયા. જ્મવાનો સમય હતો તેથી મકરંદનાં આગ્રહથી મેસમાં જમવા ગયા મેસ કોન્ટ્રાક્ટર દીઘેએ મકરંદ સાથે આવતા કપિલનાં પિતાને બહુજ આદરથી આવકાર્યા અને બોલ્યો

“આપ કપિલનાં પિતાજી?”

” હા”. ચંદુભાઇએ જવાબ આપ્યો.

દીઘેએ વાત આગળ ચલાવતા કહ્યુ “કપિલ આત્મહત્યા કરે તે ચોંકાવનારી બાબત છે પણ સાહેબ એક વિનંતી કરું?” મકરંદભાઇ બોલ્યા

“દીઘે કપિલનુ બાકી ફુડબીલ ભરાઇ ગયુ છે તેની ચિંતા ના કરશો.” ચંદુભાઇ બોલ્યા

“ તે ચિંતા તો નથી પણ કપિલ અને અરુણા અહીં સાથે જમવા આવ્યાં હતાં ત્યારે કેટલાક શબ્દો કાને પડયા હતા તે તમને કહેવા છે.”

“આ અરુણા કોણ?” ચંદુભાઇનાં પ્રશ્વ્નનો જવાબ મકરંદભાઇએ આપ્યો.

”જલાલપોરની છોકરી જે કપિલ સાથે ભણતી અને એક વિષયમાં નબળી તેથી મેં જ કપિલને ટયુશન માટે ભલામણ કરેલી.અને કપિલને કહેલુ કે ટયુશનના પૈસા બહુ નહીં આપી શકે ત્યારે કપિલે કેટલો ઉમદા જવાબ આપ્યો હતો

“સરસ્વતિ તો મા છે તેનો વેપાર હું નથી કરતો પણ માનભેર મન મંદિરમાં રાખીને ઉન્નતિ પામવીછે.”

મકરંદની વાત આગળ ચાલી ત્રણ મહિના કપિલ પાસેથી મફત ટયુશન લીધા પછી આ ટર્મમાં તે દેખાઇ નથી, અને ત્યાં કપિલના આ માઠા સમાચાર આવ્યા. હેં ભગવાન ભલાઇનો કે સારા માણસનો તો જમાનો જ નથી. દીઘેએ ફરીથી વાતનુ સંધાન બાંધતા કહ્યું મેં તેમની બધી વાતો નહોંતી સાંભળી પણ અરુણા કપિલને લગ્ન માટે સમજાવતી હશે અને કપિલનો જવાબ મેં સાંભળ્યો. તે કહેતો હતો “તમે બ્રાદ્મણ અને અમે વાણિયા તેથી લગ્ન સંભવ નથી અને આ બધુ માબાપની સંમતિથી ભણી રહ્યા પછી વિચારવાનુ..”

કેટલો ઠરેલ અને વ્યવહારૂ ઉકેલ. હૂં તો આવા દિકરાને જોઇ ખુબજ રાજી થઉ.

ચંદુભાઇને થોડોક તાળો મળતો જણાયો કાંતો આ પેમ પ્રકરણ કે પછી ગૂંડાઓની બળજબરી તેમનુ મન વિહ્વળ થવા લાગ્યુ.ઘડિયાળમાં નજર કરી તો કાંટા ૨ વાગ્યા હોવાનુ સુચવતાં હતાં..મકરંદ અને દીઘેનૌ આભાર માનીને અજંપ મનથી કપિલના રુમને ખાલી કરી વડોદરાનુ છેલ્લુ કામ પતાવવા નીકળ્યા.

કંદર્પ રુમમાં હતો તેથી કપિલના ચોપડા કપડા અને સામાન બેગમાં ભર્યો અને બહાર નીકળ્યા. ક્ંદર્પ સાથે આવ્યો અને રીક્ષાની રાહ જોતા ઉભા હતા ત્યારે ચંદુભાઇએ કૃદર્પને પુછયુ

“તુ કયા ગામનો?”

“ નવસારી પાસે જલાલપોર તો તુ અરુણાને ઓળખેં?”

“ હા તે અમારા ગામની”

તેના ઘરનો ફોન નંબર મળે?”

“ હા મળે પણ તે તો ગયા નાતાલ વેકેશનમાં સ્ટવ ફાટતાં અકસ્માત મૃત્યુ પામી.”

“ ખુબ ખોટું થયું.

ત્યાં રીક્ષા આવી જતા વાત પુરી કરી ચૃદુભાઇ રાવપુરા તેમના મિાને ત્યાં જવા રવાના થયા.હવે તેમને કપિલનાં પત્રોમાં આવતી ફરિયાદો જેવીકે ભણવામાં પાછળ પડી ગયોછું, ગમતુ નથી અને યાદશક્તિ ઘટી રહી છે જેવી વાતો સમજાવા માંડી.

બરોબર ૪નાં ટકોરે શાલુને ફોન કર્યો. તે કંદર્પની હાજરીમાં વાત નહોંતી કરવા માંગતી તેથી સમય લીધો હતો. તેની વાત સાવ સરળ હતી. અરુણા તેના કાકાની દીકરી અને કંદર્પને તેના કપિલ સાથે વધતા સબંધ પસંદ નહી તેથી તેણે અરુણાનાં ઘરે આ વાત વધારીને કહી હતી. તેથી નાતાલ વેકેશનમા ઘડિયાં લગ્ન લેવાયાં. લગ્નના બીજે દિવસે શાલુને બોલાવીને અરુણાએ એક ચિટ્ઠી કપિલને આપવા લખી.

કપીલ

હું જાઉં છું હવે ઉપર મળીશું.

અને બે જ કલાકમાં તેમણે કેરોસીન છાંટી આત્મ હત્યા કરી. છાપામાં અને પોલીસ સ્ટેશને સ્ટવ ફટયાની વાત થઇ અને કોલેજમાંથી નામ નીકળી ગયુ. કંદદર્પે કપિલને એટલુ જ જણાવ્યુ તેના લગ્ન થઇ ગયા તેથી ભણવામાંથી ઊઠાડી મુકી..મેં અરુણાબેનની ચિટ્ઠી બે મહીના સુધી ન આપી પણ કપીલની અસ્વસ્થતા અને બેચેનીમાંથી બહાર કાઢવા તે ચિટ્ઠી તેને આપી ત્યારે તે છુટ્ટા મોં એ ખુબજ રડયો અને બોલ્યો અરુણા તારુ કહેલુ મારે માનવુ જોઇતુ હતુ. ફોન ઉપર છેલ્લે રડતા રડતા શાલુ બોલી મને માફ કરજો અંકલ મેં કપિલને તે ચિટ્ઠી ન આપી હોત તો કદાચ..

(ગ્લોબલ ગુજરાત ન્યુઝ ની પ્રથમ વાર્તા સ્પર્ધામાં પ્રથમ વિજેતા)

સત્ય ઘટના ના આધારે

બાપાનું કારજ

 

૯૫ વર્ષનાં કાંતીભાઇએ દેહ મુક્યો ત્યારે તેમની આખી લીલી વાડી હાજર હતી.૬ દીકરા ૩ દીકરીઓ તેટલીજ વહુઓ અને જમાઈઓ અને દરેક્ને ત્યાં બે પૌત્રો કે પૌત્રીઓ અને વળી મોટા ૩ દીકરાનાં પૌત્ર અને પૌત્રી ને ત્યાં બે બે પ્રપૌત્રો..અને બે આવવાનાં તેમ મળીને કુલ્લે ૬૦નું કુટુંબ અને તે સૌને માથે ૯૧ વર્ષનાં શાંતા બા..જોકે કાંતીકાકાની તબિયત તો રાતી ચોળ..ત્રણએક ચોકઠા બદલાવ્યા અને કાજુ બદામ અને સુકોમેવો તેમના ગજવામાં ભરેલો રહે..રોગ તો તેમને આખી જિંદગીમાં જોયેલો જ નહીં..હા શાંતાબા હોસ્પીટલમાં આવજા કરે..તેમને ખાંસી અને કફ્નું દરદ ઘર કરેલું.

શાંતાબાએ પોક મુકી અને તે જેટલું રડ્યા તે દરમ્યાન તેમની છોડીઓ મ્લાન થઇ. પોતાનું માણસ જાય એટલે દુઃખ તો થાયને…! મુંબઈથી કાંતીભાઇનો ભત્રીજો ફોન ઉપર થોડુંક રડ્યો પ્ણ કાકી સાથે વાત કરતાજ સ્વસ્થતા પકડી અને કહે “કાકી..કહો શું હુકમ..”
શાંતાકાકી બોલ્યા.”ભાઇ ગામ જઇને લાડવા વાલ અને ફૂલવડી કરાવો અને આખી નાતને ભેગી કરો.

મૉટો બગડ્યો.. “બા! જો તમે ગામમાં  નાત જમાડવાનું કહો તો હ્યુસ્ટન નું શું?” બીજા નંબરનો થોડો મોળો તેથી કહે બા.. નવા જમાનાની વાત તો એ છે કે એવા બધા ખર્ચ કરવાને બદલે જ્ઞાતની આર્થિક રીતે પછાત કુટુંબોને સખાવત કરો.
મોટી કહે પાંજરાપોળમાં જે કસાઇ જતા ઢોરોને, મુંગા જીવોને ગોળ ખવડાવો…આ જ્ઞાત હવે તમને શું કામ લાગશે? મુંબઇનો ફોન તો મુકાઇ ગયો પણ કાંતીકાકાનાં દેહની પાસે કાકા પાછળ શું કરવુ અને શું ના કરવુંની વાતે વેગ પકડ્યો Continue reading →

મોંઘવારી હટાવો મહાયજ્ઞ –

 

 

તે સાંજે એડોલ્ફ ખુબ જ પરેશાન હતો. તેના કુટૂંબમાં જે ગણો તે હીલ્ડા અને એડોલ્ફ બે જ હતા.શીકાગોના પરામાં હીલ્ડાનું ઘર હતું -૩૦ ડીગ્રીની ઠંડીમાં ઘર ગરમ રાખવા વધારાના લાકડા આગદાનીમાં નાખતો અને હીલ્ડા ને કહેતો “મા તને હું કશું નહી થવા દઉ.” બે છેડા ભેગા કરવા ૧૮ કલાક  ત્રણ જુદા જુદા લીકર સ્ટોરમાં કામ કરતો.

હીલ્ડાને તો આ અમેરિકા દીઠ્ઠુય નહોંતું ગમતું..એનું આખું ય જીવન દક્ષીણ અમેરિકાનાં પેરુમાં ગયુ હતુ..એડોલ્ફ સૌથી નાનો તેથી તેને જીદ કરીને અમેરિકા લઈ આવ્યો હતો.

હીલ્ડાનો આ યંગ બેબી બોય બે વખત લગ્ન બંધનમાં ગોઠવાયો પણ દરેક્ને હીલ્ડા મા ના જોઇએ અને એડોલ્ફ કહે એ તો મારી સાથે જ રહેશે..હું કંઇ તેને નર્સીંગ હોમમાં ના મુકું..તેથી તેની વહુઓ તેને છોડીને જતી રહી, પણ એડોલ્ફ ના બદલાયો..ઊંમર વધતી ગઈ અને એક તબક્કે એડોલ્ફ અને તેની મામા પહેલા હાંસીનું અને પછી કરૂણાનૂ પાત્ર બની રહ્યા.

પેરુમાં ય હવે તો કોઇ રહયુ નહોતુ તેથી હીલ્ડાને એના એડી સિવાય કંઇ જ નહોંતુ.અમેરિકા આવ્યો ત્યારે તેને ખબર હતી કે મેડિકેર મળશે સોસીયલ સીક્યોરીટી મળશે અને સૌથી સરસ તો તબીબી વ્યવસ્થાઓ છે તે અને તેની માને સારી માવજત મળશે.

વરસો ઉપર વરસો ગયા..સોસીયલ સીક્યોરીટીની એલીજીબીલીટી હીલ્ડાની ઉંમર પ્રમાણે થઇ અને માજીને બાંધી આવકો શરુ થઇ..અને મેડીકેર મળતો થયો. એની જિંદગી એડી થી શરુ થાય અને એડી થી પુરી થાય.એડીનો બ્રેક ફાસ્ટ, લંચ અને સાંજે ડીનર. ઘર સાફ સફાઇ અને એડીનો ઇંતજાર…ટી.વી ઉપર મોટે ભાગે મારા મારી આવે તે જોવી હીલ્ડાને બીલકુલ ના ગમે.

પાંચેક વર્ષ પહેલા તેના ઘરે બ્રેક ઇન થયુ ત્યારે કાચ જડવા વાળાએ વણ માંગી સલાહ આપી હતી કે ઘરમાં રીવોલ્વર વસાવ..આ માજી આખો દિવસ એકલા હોય તો તે સારુ નહીંજો કે તે વખતે ઘર છોડી ને એપાર્ટ્મેંટમાં એડોલ્ફ રહેવા જતો રહ્યો હતો. પણ તેને માજી એકલા રહે તે ગમતુ તો નહોંતુ…પણ પગાર પણ ક્યાં વધતો હતો? અને આ કાળઝાળ મોંઘવારીમાં બે જણાએ કામ કરવુ પડે તે તબક્કામાં અઘરુ તો હતુ જ.. હીલ્ડા આવામાં પડી..તાબડતોબ હોસ્પીટલમાં તેને દાખલ કરી તેનો થાપો ભાંગી ગયો હતો અને સારવાર ૬ મહીના કરતા લાંબી થશે તેવુ ડોકટરનું કહેવુ હતુ.

રીસેશનમાં ત્રણમાંથી જે સારો પગાર આપતો હતો તે સ્ટોર વેચાઈ જવાનો છે અને નવા માલિકને સ્ટાફ ની જરુર નથી તે વાત આવતા તેને ટેન્શન તો થવાજ માંડ્યુ હતું

લીકર સ્ટોરનાં માલીકે તેને સ્ટોર ઉપર ગન આપી રાખી હતી.

સાંજના સમયે તેના ઉપર ફોન આવ્યો ડોક્ટર નેત બ્રુસ્ટરનો..કે મેડીકેર નાઅને મેડીકેડનાં કવરેજ પુરા થઇ ગયા હવે તે લોકો હીલ્ડાને એક દિવસ રાખી નહી શકે તેથી તેમને અમે સાંજે ૭.૦૦ વાગે મુકી જઇશુ.

ત્રીજી જોબ ઉપરના શેઠને કહ્યું આજે મામાને લેવા જઉં છું અને કાલે પેરુ જતો રહીશ. આમેય આ સ્ટોર વેચાવાનો હતો તેથી તેના શેઠે કોઇ પણ રક્ઝક વિના જવા દીધો. એડોલ્ફ સ્ટોરની ગન સંતાડીને સાથે લઇને નીકળ્યો.

સાત વાગે એમ્બ્યુલન્સ આવી નેત બ્રુસ્ટર તેની મામાને લઈ ઘરમાં દાખલ થયો…અને એડોલ્ફે પહેલી ગોળી છોડી મામા ઉપર.. બીજી નેત બ્રુસ્ટર ઉપર અને ત્રીજી પોતાની જાત ઉપર..કોઇ કશુ સમજે તે પહેલા મીનીટ નાં છઠા ભાગમાં ત્રણ દેહનાં રામ રમી ગયા.

પોલીસને એડોલ્ફ્નાં ટેબલ ઉપરથી ચીઠ્ઠી મળી હતી

મોંઘવારી…અસહ્ય મોંઘવારીમાં મામાને રીબાતી રાખવા કરતા હું તેમને મારી સાથે લઇ જઉ છું અને નેતનું તો મોત એટલે કરું છું કે મોંઘવારી અને બેરોજગારી જણતી આ સરકાર જાગે. યુધ્ધ કદી કોઇ વાતનું સમાધાન નથી હોતુ ત્યાં દેશનો સિપાહી મરે છે અને અહીં મારા અને મામા જેવાનાં આ દેશમાં સપના મરે છે.મેં જે કરવા ધાર્યુ છે તે રસ્તો જલદ છે..પણ આ પ્રશાસકોની કૂમ્ભકર્ણીય નીદ્રા તોડવા આ સચોટ હથિયાર થશે તેવી મારી શ્રધ્ધા છે.

નેત અને તેના કુટૂમ્બીજનો નો હું ગુનેગાર છુ. પણ કોઇકે તો શહિદ બનવું પડેને આ મોંઘવારી હટાવો મહાયજ્ઞનો

સત્ય ઘટનાના આધારે

હાથના કર્યા…

http://www.divyabhaskar.co.in/2009/10/03/images/raj411.jpg

ઉમંગ ઘણા સમયે આવ્યો. આમતો દુરનો પિત્રાઇ ભાઇ પણ એક સરખી ઉંમર એટલે મૈત્રી પણ ઠીક ઠીક…મેં એની સાથે પાછલા સમયની ઘણી વાતો કરી અને એક વાત પર તે ખુબ જ આર્દ્ર બની જતો જોયો..અને તે જ્યારે પણ તેની બા ના મૃત્યુનો ઉલ્લેખ આવે ત્યારે તેની આંખો ભરાઈ જતી.

મેં આ વખતે તેને રડવા દીધો. સ્વાતી પાણી આપી ગઈ પછી સ્વસ્થ કરતા કહ્યુ.. “અરે ભાઈ કલાકાકીએ તો પુરી જિંદગી જોઇ છે.. લીલી વાડી મુકીને ગયા છે. અને અમરપટો લઈને કોણ ક્યારેય આવ્યુ છે?”

મારી વાત સાંભળીને તે ફરી ડુસકે ચઢ્યો…

થૉડાક સમય પછી તે બોલ્યો..”ભાઈ! મારી જગ્યાએ મારી મા હોત તો આ નિર્ણય ના લેત એમ વિચારી વિચારીને મને રડવુ આવે છે.”

“એટલે?”

“…..”

“મને સમજાયુ નહિ…”

“મારી મા કોમામાં હતી. અને મેં તે વધુ રીબાય નહિ તેથી ડોક્ટરોના કહેવા મુજબ તેની ઓક્ષીજન ટ્યુબ ખેંચી નાખી હતી. .”

” અર..ર..ર..ર” મારાથી અને સ્વાતી થી એક સાથે નિઃસાસો નીકળી ગયો…

ઉમંગ અમારી સામે જોઇ ના શક્યો..તેનું રુદન વધુ ને વધુ હીબકા ભરતુ હતુ.

તે આગળ બોલ્યો..ડોક્ટરે જ્યારે આશા ના બતાવી ત્યારે તેમનો મને આ દયામૃત્યુ યોગ્ય અને વ્યવહારીક લાગ્યુ હતુ…પણ જેમ જેમ સમય વીતતો જાય છે તેમ મને એવા ભાવ બળવત્તર થતો જાય છે કે તે કામ કરીને હું સ્વાર્થી વધુ થયો હતો.. અને ખાસ તો જ્યારે જ્યારે કોમામાંથી પાછા ફરેલા ઉદાહરણો વિશે જાણુ છું ત્યારે તો મને એમજ થાય છે કે જો હું એની જગ્યાએ હોત તો અને તેઓ મારી જગ્યાએ હોત તો તેઓ આવું ના જ કરત…

ઉમંગ તો જતો રહ્યો પણ અમને વિચારમાં મુકી ગયો…

સ્વાતી કહે “ઉમંગભાઇએ આટલો બધો ગુનાનો ભાવ ન રાખવો જોઇએ..જે થયુ તે ન થવાનુ થોડુ હતુ?”

મેં સ્વાતીને કહ્યુ “આ મા એ તેને બહુજ જીવની જેમ સાચવ્યો હતો..તે માને દયામૃત્યુ આપવાનું તે નિમિત્ત બન્યો..તે ગુનાભાવ કરતા તેનો માતૃપ્રેમ તેને વધુ રડાવે છે.”

સ્વાતી કહે..”દયામૃત્યુ? ઉષાને હું જાણુને..તેણે જ ઉમંગને ચઢાવ્યો હશે..કલાકાકીનો દલ્લો જ તેમનો વેરી બન્યો..”

મેં સ્વિકાર અસ્વિકારની અસંમજસમાં જોરથી માથુ ધુણાવ્યું…

પછીની વાત તો બહુ લાંબી છે પણ કુદરતની લાકડી ક્યાં અને કેવી રીતે પડે છે તે સમજાવતી ઘટના બની…ઉષાને તેના એકના એક દીકરાએ મધરાતે તેને ઘરમાંથી કાઢી મુકી ત્યારે પાગલખાનામાં ઉમંગ ખડ્ખડાટ હસતો હતો અને મને કેમ એવુ સંભળાતુ હતુ જાણે ઉમંગ બોલતો ન હોય કે…”મા જે હું ન કરી શક્યો તે કુદરત કરે છે…હાથના કર્યા હૈયે વાગે જ છે.”

મારી શકુનુ શુ થશે?

    

મેઇલબોક્સમાંથી મેલનો થોકડો લઇને હરેશ ઘરમાં પેઠો.બાથરુમમાં ફ્રેશ થવા ગયો.અને,તેની પત્ની ચા બનાવવા રસોડામાં પેઠી.મેલનો થોકડો અને ચા લઇને એણે રીડીંગરુમમાં મૂક્યાં.ફ્રેશ થઇને તે ચા પીતાં પીતાં આજની મેલ જોવા લાગ્યો.અચાનક પેનથી લખાયેલ સરનામાવાળા એક મોટાં પરબીડીયા પર તેની નજર પડી.કૌતુકવશ તેણે તે ઉપાડ્યું.સામાન્ય અહીં મેલ ટાઇપ કરેલ સરનામા સાથે હોય છે.મોકલનારનું નામ જોઇ એનું આશ્ચ્રર્ય વધી ગયું-નકુળ.અઠવાડિયામાં બે-ત્રણ વાર મળનાર એનો નિ:સંતાન મિત્ર.પણ, એને ફૉન કરી શકતો હતો કે રુબરુ વાત કરી શકતો હતો.આ પત્ર લખીને સસ્પેંસ ઉભું કરવાની શી જરુર હતી?એને થોડો ગભરાટ થયો.થોડી શંકાસહિત એણે પત્ર ખોલ્યો.

        હરેશના સંબોધનથી શરુ થયેલ આ પત્રમાં,પોતાને શું સંબોધન કરવું તેનાથી શરુઆત થઇ.આજ સુધી તો આવી જરુર જ ન પડી હતી.એકબીજાને ગાળો દઇ,અને પછી ,શ્રીહરિ જેવાં શબ્દો બોલી મુલાકાત અને વિદાય થતી.આજે નકુળે પત્ર લખવાની શી જરુર પડી? શંકાના વાદળો ઘેરાં થતાં ચાલ્યા.અને પત્ર આગળ વંચાયો.

 ”एक दिन मीट जायेगा….”ની કડીઓ પુરી થઇ.મુરખ! એવા તો શું કામ કર્યા છે,કે દુનિયા તને યાદ રાખે.  હાહાહા વાંચતા રહસ્ય પરાકાષ્ઠાએ પહોંચ્યું.હરેશને લાગ્યું કે નકુળ એની સામે આવીને ઉભો છે.

પત્ર લખવાની શી જરુર હતી?ફૉન કર્યો હોત કે રુબરુ વાત કરતે ને?” Continue reading →

ભાભો ભારમાં તો વહુ લાજમાં

 

bhabho bharma

અર્ચના જયારે પરણી ને સાસરે આવી ત્યારે તેના વિચારો અને આદર્શો ખુબજ ઉંચા હતા. તે માનતી કે અવિનાશના માતા પિતા એ મારા માતાપિતાજ છે. એમની સંવા કરી એમની આંતરડી ઠારવી છે. એનાથી બાળકોને સંસ્કાર પણ પડે છે. તેથી જ નવી નવી જયારે ઘરમાં આવી ત્યારે બા તમે રહેવા દો. હું કરી નાખીશ. બાપુજી ઉઠો, ચા થઈ ગઈ. બા તમે મંદિર અને ધર્મ સંભાળો. ઘરમાં હવે હું બેઠી છું ને. બાપુજી બજારનું કામ હું કરી નાંખીશ તમે નિરાંતે નિવૃત્તિ માણો. જેવી કેટલીય મધમીઠી વાતો એની જીભ ઉપરથી નીતરતી રહેતી.
અવિનાશ કયારેક કહેતો પણ ખરો – આ શું એમનાથી થાય તેટલું કામ કરવા દે –થોડુંક શરીર ચેતનવંતુ રહે તો તબિયત સારી રહે પણ અર્ચના કહેતી – “મા બાપને આપણે છોકરા – વહું હોઈએ એથી તો રાહત હોવી જોઈએ, ભાર રુપ નહીં.”

અવિનાશ કહેતો – “તારી વાત ખરી છે પણ પછી આ આદત બનશે તો તને જ ભારે પડશે – એટલુ ધ્યાન રાખજે”.

અર્ચના નો પ્રત્યુત્તર સાંભળવા જેવો હતો. “એમ તો કઈ થાય અને થાય તો પ્રેમથી સમજાવીશું. એટલે વાંધો નહી આવે !”

અવિનાશ મન માં ખુશ થતો પણ છતાં પોતાની ફરજ બંને પક્ષે છે. તે સમજાવવા બોલ્યો. “જો અર્ચના કોઈ પણ વસ્તુ નો અતિરેક સારો નહીં. વહેવારુ બનીને રહીશ તો ઘરમાં અને આપણાં દાંપત્યમાં બંનેમાં શાંતિ રહેશે.”

સમય વહેતો ચાલ્યો. બધુ તૈયાર ભાણે મળતું ચાલ્યું. પણ બધા દિવસો કંઈ સરખા થોડા જાય… માતૃત્વ ધારણ કર્યા પછી અર્ચના ધીમે ધીમે સાસુ સસરા તથા અવિનાશ તરફ હાથમાં આપતી ચીજો ઘટાડતી ગઈ. ખરુ પુછો તો એ પહોંચીજ વળતી ન હોતીં. કારણ કે નાની સરલી પણ. કયારેક દૂધ – કયારેક સ્નાન. કયારેક ગંદા કપડા કયારેક ભુખ જેવા કારણોમાં તેનો સમય માંગતી અને માણસનું શરીર કંઇ મશીન તો નથી જ… તેથી પેલી પડેલી આદતોમાં વિધ્નો આવતા ગયા. Continue reading →

એમનો વંશ

અને આક્રોશમાં ધારા પોકે ને પોકે રડી પડી. એને સમજ નહોંતી પડતી કે પ્રિયમ ને આટલુ સમજાવ્યા છતા પણ તે બા ની વાતોને જ કેમ વધારે મહત્વ આપતો હતો. બે છોકરી પછી પણ હજી એજ પુત્ર લાલસા..તેનામાં હવે સુવાવડ લેવાની તાકાત તો હતી જ નહીં. પ્રિયમ તેને સ્પંદીત કરવા મથે તો સ્પંદનો જન્મે તો ખરા પણ અજંપા, દુઃખ અને એકલતા ભરીતે સુવાવડની રાતો યાદ આવતાજ તે ઠરી જતી. પ્રિયમને મન ધારાનું દર્દ એ હંગામી ઘટના હતી પણ બાને રાજી રાખવા તે બધુ કરી છુટવા હરદમ તત્પર હતો..અને તે પણ માનતો કે વંશ ચલાવવા બા જે પુત્ર માટે આગ્રહ કરે છે તે લોકધારે પણ સાચો છે.

પ્રિયમ પણ આમતો ત્રીજે ખોળે હતો તેથી બા માનતા કે ત્રીજુ સંતાન પુત્ર હશે…રાત પડે અને પ્રિયમનો મનગમતો સાથ શરીરનો થાક ઉતારતો પણ સુવાવડની ભીતિ અને ત્રીજી પણ પુત્રી થશે તો?નો કાલ્પનીક ભય ધારાને રડાવતો..તેના ગર્ભધારણ ન થાય તે પ્રયત્નોથી પ્રિયમ પણ ખીજવાતો અને એક પ્રકારની તાણથી ધારા પણ ત્રસ્ત રહેતી..પહેલી રાધા બીજી સ્વરા પ્રિયમની શીફ્ટ ની નોકરી અને પાછી ધારાની નોકરી તો ચાલુ જ્..જોકે બા ઘણું કરતા છતા અપેક્ષાઓનાં બે ચાર વાક્યોમાં જેવો વંશજનો ઉલ્લેખ આવે એટલે ધારાને તેના પપ્પા જે વાત કહેતા તે યાદ આવે. આજના જમાનામાં પુત્ર હોય કે પુત્રી બંને દરેક રીતે સમાન. પણ બાને આ વાક્ય પ્રિયમ કહી શકે ધારાથી થોડું કહેવાય? Continue reading →

‘મધરડે’ ને દિવસે

 

રાધા દાદીએ પૌત્ર અખિલ ને હાથમાં લીધો

સાત વર્ષનું કાનુની ઝ્નુન આજે ધીમંતની તરફેણમાં આવ્યું. માનસિક નબળાઇઓથી પીડાતા ધીમંતનાં દુઃખનું અવિભાજ્ય અંગ તેનો દીકરો અખિલને આજે તે મેળવશે..  તે વિચારીને રાધાદાદી ખુશ થતી હતી. તેની આંખમાં ઝળ ઝળીયા હતા પણ ખુશીનાં.. આજે તેનો દીકરો ધીમંત ખુશ થશે..

ઝરણાને પોતાના દીકરાથી છુટા પડતા દુઃખ થતું હતું. નપાણિયા પતિ સાથે ગાળેલા યાતના પૂર્ણ વરસોમાં એક માત્ર આશ હતી તેનો પુત્ર અખિલ ..તેને છોડવાની વાત માત્રથી આંખો ભરાઈ જતી હતી. આશા મમ્મી પણ અખિલનાં જવાથી રડતી હતી,તેથી પણ વધુ ઝરણાનો વિલાપ જોવાતો નહોંતો..

મા કેવું હ્રદય છે તે હંમેશા સંતાનોને સુખી જુએ તો પણ રડે અને દુઃખી જુએ તો પણ રડે…

કરૂણતા તો તે હતી ‘મધરડે’ ને દિવસે બધી માતાઓ ની આંખમાં આંસુ હતા.. કોઇક્નાં ખુશીનાં તો કોઇકનાં ગમનાં…