વિજયનું ચિંતન જગત

|

વેબ ઉપર ફરતા અને લખતા ગમેલા ગુજરાતી સાહિત્યની રોજનીશી

Archive for March, 2009

મૃત્યુબીક

Monday, March 30th, 2009

કોઇ ક્યાં સાથે આવે છે, ઘડી બે ઘડીની વાતો છે.
કહેવાયે સૌ પોતાના પણ, રાત્રે  એકલતા ડારે છે
જન્મ્યા જીવ્યા તે તો ઠીક! મૃત્યુબીક બહુ લાગે છે
ચાલ્યા ગયા સૌ સ્વજનો, હવે એકલતા ડારે છે

 

 

એક જ દે ચિનગારી, મહાનલ! – હરિહર ભટ્ટ

Saturday, March 21st, 2009

 

એક જ દે ચિનગારી, મહાનલ !
એક જ દે ચિનગારી.

ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી
મહાનલ… એક દે ચિનગારી… 

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી
મહાનલ… એક દે ચિનગારી… 

ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી
મહાનલ… એક દે ચિનગારી…

 

  એક  જ દે ચિનગારીનું સર્જન -સુધાકર હરિહર ભટ્ટ.   

ગુજરાતની લગભગ દરેક શાળામાં દરેક વિદ્યાર્થીએ અને દરેક વિદ્યાર્થીનીએ કેટલાય દાયકાઓથી ‘એક જ દે ચિનગારી’ થી પ્રાર્થના કરી છે અને આજે પણ કદાચ કરે છે. ‘એક જ દે ચિનગારી’નું સર્જન એક અલૌકિક વાતાવરણમાં થયું તેના સર્જનની પાર્શ્વભૂમિકા અત્યંત રસદાયક અને અદભુત છે. ‘એક જ દે ચિનગારી’ નાં કવિ અને મારા પૂ. પિતાશ્રી હરિહર ભટ્ટ ઇ.સ ૧૯૧૯ થી ૧૯૩૦ સુધી અમદાવાદ મહાત્મા ગાંધીજી નાં સાબરમતી આશ્રમમાં તેમના અંતેવાસી તરીકે રહ્યા હતા.  (more…)

મા યાદ આવી

Wednesday, March 18th, 2009

અચાનક ફરીથી જ મા યાદ આવી,
બધાંયે દરદની દવા યાદ આવી…

                       અહમદ મકરાણી

બા જ્યારે નાની વાતોની ચિંતા કરતી ત્યારે થતું કે બા હવે ના ફીકર કર્. હવે મોટા થઈ ગયા..એના ચહેરા પર  હાસ્ય આવતુ  અને કહેતાં કે “તુ નાનકો..હંમેશા નાનો જ રહેવાનો ભલેને સાચ્ચે  જ નાના થઈને કેમ મને મળવા ન આવે…”

હવે તો ખૈર એનુ હાસ્ય ક્યાં જોવા મળે છે? તસ્વીર ઉપરનાં ફુલો સુકાયા અને આશિર્વચનો વરસાવતા તમે હવે તો ફોટો થઈ ગયા..

પહેલા આંસુ આવતા હતાને બા યાદ આવતા

હવે બા યાદ આવે છે ને આસુ આવે છે.

Thanks to Vijay Dharia for sending this in email

હાઈકુ

Wednesday, March 18th, 2009

સુકું તે ઝાડ
થઈ ગયું લીલેરું
ફાગણ સ્પર્શે

૦-૦

તુ પુછે કેમ્
હોળી સળગાવી તેં!
પાપો બાળવા

૦-૦

શ્વાસોચ્છશ્વાસ
જન્મથી મૃત્યુ સુધી
સમય  ચાલે

નિરપેક્ષીત થા

Wednesday, March 18th, 2009

oct06news2

તુ અપેક્ષાપ્રચુર

તેથી થાયે ક્ષણે ક્ષણે તને દુઃખોનાં પ્રચંડ આઘાત.

તેથી તુ રડે

પ્રભુને કરે ઘણી ઘણી ફરિયાદ્.

પછી જ્યારે કશું ન થાય ધાર્યુ,

ત્યારે કહે પ્રભુ તો બહેરો છે.

oct06news2નથી સાંભળતો મારી દરેક ફરીયાદ્

પણ પ્રભુએ તો તને દીધુ એક વરદાન ખબર છે ને…?

ફક્ત કાર્ય તુ કર

હાક માર.. તને નથી ફળનો અધિકાર્

યોગ્ય સમયે જરુર મળશે તને

યથા યોગ્ય પરિણામ….

oct06news2ખબર છે ને દ્રૌપદીનાં ચીર પુર્યા હતા

ને સુદામાનાં તાંદુલ આરોગી મહેલ દીધા હતા

મીરાને અપાયેલ ઝેરનો પ્યાલો ખીરથી છલકાવ્યો હતો

ને નરસૈંયાની હુંડીઓ ભરપાઇ કરી હતી

તે સૌએ જે કર્યુ હતું તે તું કરે છે?

મુક શ્રધ્ધા કે તે જે કરે છે તે સાચુ છે

oct06news2તુ ફરિયાદ ન કર

પ્રભુને જે પ્યારા છે તેમને મદદ કર.

સુખ સંતોષ માં છે …

સુખ મનમાં છે

પ્રાર્થના કર.. સહન કર..

નિરપેક્ષીત થા

Powered By Indic IME