Monthly Archives: March 2008

સુખને સમજવું અને માણવું કઈ રીતે?-જય ભટ્ટ

સુખના વિષય પર અત્યાર સુધીમાં ઘણું બધું લખાઈ ચૂક્યું છે.
થોડાંક પ્રશ્નો પૂછીને સુખના આ ગહન વિષયને હું આંતરિક રીતે સમજવાનો પ્રયત્ન કરૂં છું.

  • મારું કોઈ પણ કાર્ય મારાં સિવાય બીજાંને કંઈ ઊપયોગમાં આવ્યું કે નહિ?
  • મારી દરેક વ્યક્તિ સાથેની વાતચીતમાં મેં કેટલા ઊમળકા અને ઉત્સાહ સાથે વાત કરી? આ ઉત્સાહ કેટલો સાચો હતો? જ્યારે કોઈ પણ વ્યક્તિને મેં મદદ કરી એ કોઈ પણ અપેક્ષારહિત હતી?
  • ઈશ્વરને પાર્થના કરૂં છું ત્યારે એમાં કોઈ શરત કે અપેક્ષા છે?
  • નાનાં બાળકો સાથે રમું છું ત્યારે એમના જેટલી જ નિખાલસતા સાથે રમી શકું છું?
  • શું ‘ગુસ્સો’ શબ્દ મારી શબ્દપોથીમાં હજી પણ છે?
  • અત્યંત વિપરિત પરિસ્થિતિમાં શું હું સમતાપૂર્વક એનો સ્વીકાર કરી મારી દિવસભરની વિવિધ પ્રવૃત્તિઓ સહજ રીતે પાર પાડી શકું છું?
  • શું હું કોઈ પણ વજૂદ વગરના આક્ષેપોનો શાંતિથી જવાબ આપી શકું છું?
  • શું હું પક્ષીઓના મીઠાં કલરવમાં, સાગરના ઉછળતાં મોજામાં, મંદિરના ઘંટારવમાં કે પછી પાંદડાઓથી છવાયેલી કેડી પર ચાલતાં ચાલતાં થતાં ધ્વનિનાદને માણી શકું છું?
  • શું હું ફૂલોની સુવાસમાં, મૈત્રીની મહેકમાં, અને પૂનમની ચાંદનીમાં ઈશ્વરીય આનંદનો અનુભવ કરી શકું છું?
  • ટ્રેનમાં કે બસમાં મુસાફરી કરતી વખતે હું મારી સીટ પાસે ઊભી રહેલી કોઈ વૃદ્ધ વ્યક્તિને આપું છું ખરો?
  • ગમે એટલાં કામના બોજા વચ્ચે કશી પણ ફરિયાદ વગર હું મારાં કામો શાંતચિત્તે અને પૂરેપૂરા ખંતથી પાર પાડવાનો પ્રયત્ન કરૂં છું ખરો?

જયભાઈનાં આ પ્રશ્નોનાં જવાબો શોધતા મને મનમાંબીજા પ્રશ્નો ઉઠ્યા અને થયુ કે આ વિષયને વધુ આગળ વધારું..

  • શું હૂં સંતોષી છું?
  • શું મને બીન અપેક્ષીત રહેતા આવડે છે?
  • શું મને આજમાં રહેતા આવડે છે?
  • શું હું કાર્ય શરુ કરતા પહેલા તેમાથી થનારા લાભાલાભ વિશે વિચારીને કાર્યાન્વીત થઉં છું?
  • -વિજય શાહ

અવનવુ..

 AIR FORCE BONEYARD-

E mail Courtsey : Satish Parikh

 Of course the important thing to remember is that they are all capable of being returned to service if the need ever arises.
If you are ever in the Tucson area, the weekly tours  of the bone yard are still given through the Tucson  Air Museum , located just south of Davis Monthan AFB.  Even if you have seen this before, look again.  The 3rd   largest Air Force in the world is sitting on the ground  here.  It’s the only unit in the U.S. Air Force that actually  makes a profit.

Both the museum and the Bone Yard are very popular attractions in the Arizona desert. It is difficult to  comprehend the number of military aircraft in dead  storage until you see these photographs! Continue reading →

છૂટાછેડા – કાયદેસર,પણ અનિચ્છનીય-વલીભાઈ મુસા

valibhai-musa.jpg 

છૂટાછેડા – કાયદેસર,પણ અનિચ્છનીય

          સર્જનહારે પોતાની ઇચ્છાનુસાર નિશ્ચિત કુટુંબમાં આપણો ફરજિયાત જન્મ આપીને તદનુસાર આપણને સગાંસંબંધીની એવી નવાજિશ કરી છે કે જેઓ આપણને કદાચ ગમે કે ન પણ ગમે ! પણ, આપણે તેનો એ બાબતમાં જરૂર આભાર માનવો જોઈએ કે તેણે મિત્રોની પસંદગી માટેની તક આપણા હવાલે કરી છે. પત્ની એ પણ મિત્ર સમાન જ છે અને જે કહો તે – તેની વરણી, પસંદગી, ગમાડવી કે ચાહવી – સઘળું આપણા ઉપર છોડ્યું છે. આ સ્વતંત્રતા પ્રેમલગ્ન કે ગોઠવણી વડે કરવામાં આવતાં લગ્ન એમ બંને પ્રકાર માટે લાગુ પડે છે. લગ્ન કે મિત્રાચારીની પસંદગીમાં આપણા ઉપર કોઈ પણ જાતની ફરજ લાદવામાં આવી નથી, કારણ કે પત્ની અને મિત્ર આપણા જન્મ પછી જ આપણા જીવનમાં પ્રવેશનાર વ્યક્તિઓ છે. બીજાં તમામ પ્રકારનાં સગાંસંબંધી જન્મગત હોઈ તેઓ જેવાં હોય કે હોઈ શકે, આપણે સ્વીકારી લીધા સિવાય કોઈ જ છૂટકો નથી પત્ની એ આપણી જીવનસંગિની અને અર્ધાંગિની હોઈ અંગ્રેજી ભાષામાં પણ Wife ઉપરાંત બીજો Better-half શબ્દ છે.  Continue reading →

પ્રમાણિકતા -વલીભાઈ મુસા

valibhai-musa.jpg
પ્રમાણિકતા

ચાણક્યે નોંધ્યું છે કે, “માણસે વધારે પડતા પ્રમાણિક ન થવું જોઈએ. સીધાં ઝાડ વહેલાં કપાય છે અને સીધા માણસોને પહેલા ભીંસવામાં આવતા હોય છે.” મારા આ લઘુ નિબંધની શરૂઆતમાં જ મારા વાંચકોને આ અવતરણ, શીર્ષકથી કંઈક અંશે વિપરીત વાંચીને આશ્ચર્ય થશે, પણ આપણે “વધારે પડતા” શબ્દો ઉપર ધ્યાન આપીશું તો સ્પષ્ટ થઈ જશે કે ચાણક્યે પ્રમાણિકતાના ગુણને સર્વથા નકારી કાઢ્યો નથી; પરંતુ ગુઢાર્થમાં પ્રમાણિક માણસોને માર્ગદર્શન આપ્યું છે અને ચેતવ્યા છે કે વધારે પડતી પ્રમાણિકતા દાખવતાં વિપરીત પરિણામ માટે તૈયાર રહેવું પડશે. પ્રમાણિકતાને લંબાઈ, વજન કે કદમાં માપી શકાય નહિ. બીજા શબ્દોમાં પ્રમાણિકતાને ગણતરી સ્વરૂપની વ્યાખ્યા આપી શકાય નહિ અને તેથી જ પ્રમાણિકતાને આટલા કે તેટલા પ્રમાણમાં ગણવાનો કોઈ જ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આમ અહીં “વધારે પડતા” શબ્દો અર્થહીન બની જાય છે અને પ્રમાણિકતા એની જગ્યાએ કાયમ જ રહે છે કે જે માણસના ચારિત્ર્યઘડતરમાં ખૂબ જ મહત્વનું પરિબળ બની રહે છે. Continue reading →

પૂ. મોટાભાઈ-૩૦

moon-venus_filtered.jpg

પૂ. મોટાભાઈ-૩૦

ઘણા વિચારો પછી લાગે છે કે જુદી જુદી દિશામાં દોડતા તમારા સૌ સંતાનો ને એક કરી તમારુ એ સ્વપ્ન પુરુ કરવા અને મારી આજ ને સંભાળવા મને તમને અમેરિકા લાવવા પડશે. અને થોડુક વાતાવરણ ઉભુ કરવુ પડશે. તમને તમારી સ્વનજરકેદમાંથી મુક્ત થવા વિનયભરી અને આગ્રહ્પુર્વક વિનંતી.તમે મારુ અને કિંજલનુ ઘર જોયુ નથી. તમારા પાવન પગલા અમારા ઘરે પડે તે માટે હું તમારી ૯૦મી વર્ષ ગાંઠ અહીં મારે ત્યાં ઉજવવાનુ નક્કી કરું છું અને તે વાત બહુ ભાર પુર્વક તમારા સૌ દિકરા દીકરી અને તેમના કુટુંબોન મારે ગામ તેડીશ.

આ વાત ને અહીં ફેમીલી રીયુનીયન કહે છે જે કરવાની હિંમત હર્ષલ નથી કરતો કારણ કે તમને ૨૪ કલાક વિમાની પ્રવાસ ની કલ્પના ડરાવે છે. Continue reading →

ગામફોઇ

gamfoi.jpg

Picture courtsey: Mahendra Shah Pittsberg PA

 .

૫૫ વર્ષની કૃષ્ણવદનભાઈની પત્ની સુભદ્રા એ આપઘાત કર્યો.. કશુંક પી લીધું હતું અને બે છોકરા મા વિનાના થઈ ગયા.બે વહુઓ સાસુ વિનાની અને ત્રણ પૌત્રો અને એક પૌત્રી દાદીમા વિનાના થઈ ગયા.પોલીસને પત્રમ પુષ્પમ અને હોસ્પીટલના ખર્ચા ને અંતે કૃષ્ણવદન્ નાં બેંક ખાતામાં ૩ લાખ ઘટી ગયા પણ જેલ અને વકીલોની તકલીફ જતી રહી

નીતાને કૃષ્ણવદન ઉપર બહુ જ ગુસ્સો આવતો હતો તેથી તે બેસણામાં ના ગઈ.મનો મન સુભદ્રાના અત્માને વૈકુંઠધામ આપો પ્રભુની પ્રાર્થના કરીઆ ને સુભદ્રાની જીવન કથા મમળાવવા બેઠી.. સુભદ્રા છેલ્લા દિવસોમાં બહુ ઉદાસ રહેતી..વરંવાર કહેતી મારે તો મરી જવુ છે. નીતા તેની હતાશાને બે ત્રણ વાતો કરી હળવા કરવા મથતી. પણ સુભદ્રા તો હતી ત્યાં અને ત્યાં..તે દિવસે તે બોલી પણ ખરી હું મરી જઉં તો હું તો છુટુ અને તેમને બીજીને લાવવાનો રસ્તો મળેને?

નીતા બોલી પણ ખરી સુભદ્રા બેન એવુ ના વિચારો ૫૮ વર્ષે કંઇ તેમને બીજી કોઇ ના મળે..

કૃષ્ણવદનભાઈએ તેરમુ પત્યુ અને કોર્ટમાં લગ્ન ની અરજી દાખલ કરી ત્યારે નીતાને ગાંધારીની જેમ આંખે પાટા બાંધીને બેઠેલા ખોખલા સમાજ ઉપર ખુબ જ ગુસ્સો આવ્યો…ખુબજ ધુંધવાઈ અને તેણે પોલીસને ફોન કરીને જણાવ્યુ કે સુભદ્રાને બળજબરીથી ઝેર પાયુ છે કૃષ્ણવદન ભાઈએ..

નીતા ને ઘણા બધા લોકો એ ખખડાવી.. આ શું શરુ કર્યુ છે તેં.. અને એ કૃષ્ણવદન સાથે આપણે શું પંચાત્ પોલીસે તો ત્યાં સુધી કહ્યું વિના પુરાવાને આધારે તારી વાત હવામાં ઉડી જશે.

ત્યારે નીતા ફક્ત એટલુ બોલી મને ગાંધારીની જેમ આંખે પાટા બાંધીને બેસવુ ગમતુ નથી, મને ખબર છે કૃષ્ણવદને તેને ઝેર પાયુ છે.

કૃષ્ણવદન નાં બેંક ખાતમાંથી બીજા ચાર લાખ ઘટી ગયા.
ભીનુ સંકેલાઈ ગયુ અને
નીતાને ભાગે ખોટુ આળ આવી ગયુ..
તે તો ગામફોઇ છે.

પણ તેનો ગુસ્સો વેડફાઈ નહોંતો ગયો..
મીરાબેને કૃષ્ણવદનને લગ્નની ના પાડી રખડાવી દીધા હતા….
ગામફોઈઓ પણ ક્યારેક ગામનુ ભલુ કરી જતી હોય છે.
પૈસા હોય એટલે કંઈ બધુ ના કરી શકાય્..તે પાઠ ખોખલા સમાજને શીખવાડી ગઈ

પ્રિય સોહમ (૨૯)

 moon-venus_filtered.jpg

તારો પત્ર મળ્યો. દેવિકાબેનની કવિતા સચોટ છે અને શીખાને તે ગમી જાય તે સહજ છે.

આગળના પત્રોમાં તેં એવો ઉલ્લેખ કરેલો કે અંશ છેતરી ગયો તે વાતનુ શીખા અને આશ્કાને દુઃખ છે અને આ પત્રમાં વાત બદલાઈ..કદાચ આ એક સારી ઘટના છે.
કારણ કે “મા” જીવંત થઈ રહી છે..તને ખબર છે ને પેલી કોઈ મા નો કિસ્સો.. વૈશ્યાનાં પ્રેમ માં પાગલ દિકરો વૈશ્યાના ચઢાવાને કારણે માનુ મસ્તક વાઢીને લઈ જાય છે. અને પાછા જતા રસ્તામાં ઠોકર ખાય છે અને પેલુ કપાયેલુ માનુ મસ્તક બોલી ઉઠે છે ખમ્મા બેટા તને વાગ્યુ તો નથી ને?.. મા ગુસ્સો કરે, ગાળો દે કે રડે પણ કદી સંતાન નું તેના થકી અહીત નથી થતુ…

Continue reading →

પૂ. મોટાભાઈ (૨૯)

moon-venus_filtered.jpg 

તમારો પત્ર મળ્યો.ઘણી વખત ઘરમાં સહજ થવાના પ્રયત્નો અમે બંને જાગૃત રહીને કરીયે છે અને તમે તો જાણો છો અમેરિકામાં માંદા પડવુ પોષાય પણ્ નહીં.કદાચ આપના માનવા પ્રમાણે અમે “હતાશા” જે પણ એક માનસિક રોગ નો પ્રકાર જ કહેવાય તેનાથી પીડાઈએ છે.પણ મને આજે તમને શીખાની તકલીફો કહેવા દો.

હું માનુ છુ તેમ તેનો રોગ હતાશા નહિ પણ “મા” છે. તે ખુબ જ વાત્સલ્યમયી છે. અને તે વાત મને ત્યારે સુઝી કે જ્યારે તેના રુદનમાં ક્યારેય અંશ છેતરી ગયો નો ભાવ નથી આવતો અને એમજ વાત આવે છે કે તે ભોળો છે તેને દુનિયા છેતરી જશે.” ગરજ સરી ને વૈદ્ય વેરી”ની લપડાકો તેને પડશે Continue reading →

મોતી જો પામવા હો તો દરિયામાં ‘મરીઝ’

400px-scuba_diver.jpg 

એક નેમ છે અને એને વિસરવાનું નહીં
બીજી ભણી માથાને વિહાવાનું નહીં
મોતી જો પામવા હો તો દરિયામાં ‘મરીઝ’
ડૂબકી જ મારવાની હો, પછી તરવાનું નહીં
‘મરીઝ’

courtsey: www.tahuko.com

કેવી સુંદર વાત!

કોઈપણ લક્ષ્ય્ ઉપર પહોંચવુ હોય તો આડા અવળા વિચારોને તાબે થયા વિના એક જ ધ્યેયે એક નિશાને ચાલે તેને સિધ્ધિ મલે મળે અને મળે જ… પુરાણોમાં અર્જુનને જ્યારે ફક્ત ડાબી આંખ જ દેખાઈ તો તેનો લક્ષ્ય વેધ સફળ થયો તેજ વાત કવિ એ મરજીવાનાં રુપક થી અત્રે સિધ્ધ કરી.. મોતી પામવા હો તો ડુબકી મારવી જ પડે.. પછી સાપ કે શાર્ક આવશે તો ખાઈ જશે.. કે તળિયે પહોંચતા પહેલા શ્વાસ ખુટી જશે તો મરી જવાશે એવા ભયોથી કિનારે રહી જનાર મોતી કદી પામતા નથી..ધ્યેય સંધાન માટે “એક નેમ છે તેને વિસરવાનુ નહીં” અને તે નેમ જો મોતી પામવાની હોય “તો ડૂબકી જ મારવાની પછી તરવાનુ નહીં” કદાચ આવુ જ બીજુ સુંદર પદ ” કરતા જાળ કરોળીયો ભોંય પડી પછડાય” આપને યાદ હશે જ્…

ત્સુનામી ક્ષણ પહેલા

ત્સુનામી ક્ષણ પહેલાઆ ચિત્ર લેનાર કદાચ હયાત ન હોય
કે આ ચિત્ર કોમ્પ્યુટરની ઉપજ પણ હોય
પણ એક વસ્તુ જરૂર કહી જાય છે કે માણસ હજી.. પાંગળો છે
તે બણગા ભલે ફુંકે કે તે સર્વ શ્રેષ્ઠ છે
પણ ના હજી તેની ઉપર પણ કોઈક છે
જે જ્યારે ધારે ત્યારે તેને સીધો કરી શકે..
હરિકેન, ત્સુનામી , ધરતીકંપ, શીત પ્રપાત,વીજ પ્રપાત્,
દાવાનળ અને જ્વાળામુખી જેવી કેટલીય સત્તઓનો ધણી તે છે
જેને કદીક પ્રભુ, નસીબ કે પરમ તત્વ કહી માનવ નમે છે

Email Picture Courtsey : Vinod R Patel

રંગ, ચિત્રોનાં ને કલ્પનાનાં હીલોળે ચઢ્યા

હ્યુસ્ટનની શાંગ્રીલા આર્ટ ગેલેરીમાં ગુજરાતી સાહિત્ય સરિતાનાં ઉપક્રમે એક નવતર પ્રયોગ યોજાયો જેમાં રંગ, ચિત્રોના અને કલ્પનાનાં હીલોળે ચઢ્યા.

પહેલી માર્ચની હુંફાળી બપોરે ગુજરાતી સાહિત્ય સરિતાની 72મી બેઠક યોજાઇ જેમા નિયમીત આવતા 35 સભ્યોની હાજરીમાં નિયત સમયે એસોસીએટેડ કો ઓર્ડીનેટર શ્રી પ્રશાંત મુંશાએ શ્રી પ્રકાશ ની પ્રાર્થના થી બેઠકનો આરંભ કર્યો. કવિ ન્હાનાલાલની ‘પ્રભો અંતરયામી જીવન જીવના દીન શરણા’ ગવાયુ અને સમુહ સભા પ્રાર્થના ના નવે નવ મુક્તકોને ગાયા અને માણ્યાં. પ્રશાંતભાઇએ સભા સંચાલન દેવિકાબેન ધ્રુવને સોંપ્યું. ‘નજર’ વિષય ઉપર કાવ્યો રજુ કરવા વિશે જાણ કરી આ બેઠક માં શેરાક્ષરી -2 રજુ થઇ

.

વિવિધ કવિઓ અને લેખકો પોતાની રચના રજુ કરતી વખતે શ્રી વિનોદ પટેલ તરફથી વિનંતી થઇ કે બે કળા- ચિત્ર કળા અને કાવ્ય કળાના અદભુત સંગમને યાદગાર બનાવવા કવિ મિત્રો ને જે ચિત્ર જોતા લખવાનુ મન થાય તેવુ કાવ્ય, મુક્તક કે શેર લખે.

જેનો પ્રતિસાદ બે કલાકે દેખાયો કવિ શ્રી સુમન અજ્મેરી, રસિક મેઘાણી,હેમંત ગજરાવાલા, મનોજ મહેતા,શૈલા મુંશા,રમઝાન વિરાણી, વિજય શાહ અને અશોક પટેલે પોત પોતાની કલમ રજુ કરી.જે ચિત્રો ઉપર કવિતા લખાઇ તેના ચિત્રકારો હતા સંગીતા પસરીજા, મિશ્તા સ્માલી, અનીતા હલ્દિપુર, હોમી ડેવિયર, સોનુ આનંદ (ઇશ્વિન)અને અવન ભર્થેના.મુખ્ય હતા
શ્રી અતુલ અને આરતી વીરની આ આર્ટ ગેલેરીમાં તે સાંજે હ્યુસ્ટનનાં જનરલ કોંસ્યુલર દ્વારા કોમ્યુનીટી સ્થાનિક કલાકારોનાં ચિત્રોનું પ્રદર્શન ખુલ્લુ મુકાવાનું હતુ. જેમા 19 જેટલા ભારતિય ચિત્રકારોનાં લગભગ 100 જેટલા ચિત્રો પ્રદર્શીત થયા હતા.ચિત્રકારો કોઇ કવિને ઓળખતા નહોંતા અને તેઓ સાંજે પાંચ વાગ્યે આવવાના હતા.સંવેદન શીલ કવિમિત્રોને આ ઇજન સોનામાં સુંગંધ ભરે તેવુ તો હતુજ..અને નવો પ્રયોગ ઘણી નવી ઉર્જા લાવી ગઇ. અને લગભગ નવ ચિત્રો પર બાર જેટલા કાવ્યો તે બેઠક ના બે કલાક દરમ્યાન લખાયા.

મિશ્તા સ્માલી ચિત્ર 1, 2

 

જુની છતાં વિરાટ હવેલીના બારણા

ખુલ્લાં કદી જે પ્રેમથી ધબકી રહ્યા હતા

આજે પડેલા કેમ છે સૂના સપનની જેમ

વીટેલ વાદળો છે કાં ત્યાં અંધકારનાં

રસિક મેઘાણી –


સંગીતા પસરીજા -ચિત્ર 1

મારી હાજરી નથી તેથી તે ઉદાસ છે

ઉડીને પહોંચુ તેવી મારી આશ છે

સુરેશ બક્ષી

2.

હતાશ નજરે જોઇ રહી છું જુના મહેલો તરફ

સારું થયું નાદારી નોંધાવી સત્તા તરફ

યુવાન લાગણી અને જોબનની મિલ્કત થી.

નવી દાસ્તાન બનાવીશું નવી પેઢી થી.

હેમંત ગજરાવાલા

અવન ભર્થેના ચિત્ર 2

 

 

નાજુક બે આ ગરદનો ને કેવો છે આ ભાર

થાય ગમે તે હવે ઉગારી લેવો છે આ ભાર

મનોજ મહેતા

સંગીતા પસરીજા ચિત્ર 4

 

ઓત પ્રોત છે એકબીજામાં લાલ ને કાળો રંગ

વાંસડાની ફર્સ જો વેઠે એમને ખુદને અંગ

મનોજ મહેતા

અવન ભર્થેના ચિત્ર 1

સીંદુરી કુમ કુમ સેંથીમાં રાજ
મને મિલન નો ઉલ્લાસ પ્રગાઢ
સખે કરુ સૌ આજ નર્તન આજ
સજન તુ આવ આવ ને આવ
વિજય શાહ

હોમી ડેવીયર ચિત્ર

ઇચ્છાઓનાં અશ્વો જુઓ કેવા હણહણે

નથી પુરી થતી બધી છતા તે હણ હણે

કવચીત એકાદ થાયે પુરી

હજારો નવી થઈ ઉભી હણ હણે

અશોક પટેલ્

સંગીતા પસરીજા ચિત્ર 4 અનીતા હલ્દીપુર ચિત્ર 1

સજી સોળ શૃંગાર સખીરી, બેઠી રમણ કાજે

ખુલ્લી આંખે ભાળું કેવાં,સપના નેણ સજાવે

ભર્યું ભર્યું મલપતુ હૈયું, કોના ખ્યાલે મદમાતું

પુલક પુલક આ મુખડે મીઠી, યાદ સરે ઝલકાતી

સખીરી હું તો ઘેલી ઘેલી થાતી

પ્રો સુમન અજ્મેરી

સોનુ આનંદ (ઈશ્વીન)ચિત્ર ૪

દુઃખો આ નારીએ વેઠ્યા ઘણા છે કારમા
વ્યાકુળ નયનો,ચિંતીત મુદ્રા,કોના ઇતજારમાં
રમઝાન વિરાણી

અનીતા હલ્દિપુર ચિત્ર 2

વાસંતી વાયરાએ કર્યુ અડપલુને

ખીલ્યો ગુલમ્હોર મારે અંગ

ખીલ્યો તે ચંપો ને ખીલ્યો કેસુડો

ને છંટાયો રંગ કસુંબલ મારે અંગ

શૈલા મુંશા

હોમી ડેવિયર ચિત્ર-2

પર્વતોને છાંયડે વસ્યું ગામડું

કેવું ગમ્યું

પ્રતિતિ કરાવે પળ માટે

કે વસ્યા એવા કેટલાય ગામ

ગામે -ગામ

દેશભરમાંને ખાસ

આપણા ગરવા ગુજરાતમાં

રમઝાન વિરાણી

ચિત્રકારો અને કવિની રુબરુ મુલાકાત દરમ્યાન લાગણી ઓ જે હિલોળે ચઢી તેનુ વર્ણન કરવુ હોય તો આ રીતે કરી શકાય કે બે કલાબહેનો પ્રેમથી એકમેકને ભેટી. ચિત્રકારને થયું કે તેમની કલાને દેહ મળ્યો અને કવિને તેમની કલ્પના વાસ્તવમાં કેનવાસ ઉપર ઉભરી…

ચિત્રકારોમાં મહદ અંશે વિનોદ પટેલ અને હોમી ડેવીયર સિવાય ભાગ્યે જ કોઇ ગુજરાતી હતા પણ છતા દરેક ચિત્રકારોને તેમના ચિત્ર ઉપરથી લખાયેલ કાવ્ય સમજવાની અને માણવાની ઇંતેજારી ને જો ઉપમા આપવી હોય તો કંઇક આવી અપાય..તાજી પ્રસુતા જેમ પોતાના સંતાનને પહેલી વખત જુએ અને હરખે તેમ હતુ..જ્યારે કવિ પણ તેમના કાવ્યને સંભળાવતા અને ભાવનુવાદ કરતા હરખાતા હતા જાણે કે તેમને પણ્ કોઇ નવી સિધ્ધિ ના મળી હોય.
ગુજરાત ટાઈમ્સે લીધેલી આ પ્રસંગની નોંધ અહી જુઓ

 

 

 

પ્રિય સોહમ (૨૮)

moon-venus_filtered.jpg

તુ સમજુ છે અને તેથી જે વાત હુ તને સમજાવવા માંગતો હતો તે દિલીપ દોશીની કહાણીથી તુ સમજી ગયો. હાલત ગમે તેવી ખરાબ હોય માણસે ઝઝુમીને મથ્યા કરવુ પડતુ હોય છે અને તે ઝઝુમવાની વાત ઉપર તને બાળપણ ની કવિતા પડતા જાળ કરોળિયો ભોંય પડી પછડાય યાદ હશેજ..એક વખત બે વખત ત્રણ વખ કંળ કેટલીયે વાર પડ્યા પછી દરેક પ્રયત્ને તેણે શોધી નાખ્યુ કે ઉપર ચઢવા જતા ભીંત ક્યાં ખરબચડી છે અને ક્યાં સુંવાળી.. સાંજ સુધીમાં તો કરોળિયો ભીંત ની ટોચે બેઠો હતો. Tough time comes and go but tough people always stay તે તો તને ખબર છે ને? Continue reading →